ભરૂચ: પુષ્પધન સોસાયટીથી દહેજ બાયપાસને જોડતા માર્ગનું નવનિર્માણ કરાશે, MLA રમેશ મિસ્ત્રીના હસ્તે ખાતમુહૂર્ત

ભરૂચની ઉમરાજ ગ્રામ પંચાયતમાં આવેલ પુષ્પધન સોસાયટીથી દહેજ બાયપાસને જોડતા RCC માર્ગનું નવનિર્માણ કરવામાં આવશે જેનું ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રીના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું

New Update
  • ભરૂચમાં વિકાસના કાર્યોનો ધમધમાટ

  • આર.સી.સી.માર્ગનું કરાશે નિર્માણ

  • રૂ.1 કરોડનો કરવામાં આવશે ખર્ચ

  • પુષ્પધન સોસા.નજીકનો માર્ગ નિર્માણ પામશે

  • ધારસભ્ય રમેશ મિસ્ત્રીના હસ્તે ખાતમુહૂર્ત

ભરૂચની ઉમરાજ ગ્રામ પંચાયતમાં આવેલ પુષ્પધન સોસાયટીથી દહેજ બાયપાસને જોડતા RCC માર્ગનું નવનિર્માણ કરવામાં આવશે જેનું ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રીના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું
ભરૂચ શહેરમાં વિકાસના કાર્યોનો ધમધમાટ જોવા મળી રહ્યો છે ત્યારે ભરૂચના ભોલાવ જિલ્લા પંચાયત વિસ્તારમાં આવેલ ઉમરાજ ગામની પુષ્પધન સોસાયટીથી દહેજ બાયપાસને જોડતા માર્ગનું સ્વર્ણિમ મુખ્યમંત્રી સડક યોજના અંતર્ગત ₹1.5 કરોડના ખર્ચે નવનિર્માણ કરવામાં આવશે. માર્ગની આ કામગીરીનું ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રીના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.આ પ્રસંગે ભરૂચ જિલ્લા પંચાયતની કારોબારી સમિતિના અધ્યક્ષ ધર્મેશ મિસ્ત્રી, અનિલ રાણા, સ્થાનિક આગેવાનો તેમજ સોસાયટીના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે ભરૂચની શ્રવણ ચોકડી નજીક નિર્માણ પામી રહેલ ફ્લાયઓવર બ્રિજના પગલે સર્જાતી ટ્રાફિક જામની પરિસ્થિતિના કારણે મોટી સંખ્યામાં વાહન ચાલકો આ માર્ગનો ઉપયોગ કરે છે ત્યારે માર્ગનું નવનિર્માણ થતાં વાહન ચાલકો તેમજ સોસાયટીના સભ્યોને રાહત થશે.
Latest Stories