ભરૂચ:નારાયણ વિદ્યાલય શાળામાં શિક્ષકો માટેના બે દિવાસીય જ્ઞાનસત્રનો પ્રારંભ !

ભરૂચની નારાયણ વિદ્યાલય શાળામાં શિક્ષકો માટેના જ્ઞાનસત્રનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 85થી વધુ શિક્ષકોએ ભાગ લીધો હતો

New Update

ભરૂચમાં આવેલી છે નારાયણ વિદ્યાલય શાળા

શાળામાં જ્ઞાનસત્રનું કરાયુ આયોજન

શિક્ષકો માટેના જ્ઞાનસત્રનો પ્રારંભ

બે દિવસ યોજાશે જ્ઞાનસત્ર 

શાળા પરિવાર રહ્યો ઉપસ્થિત

ભરૂચની નારાયણ વિદ્યાલય શાળામાં શિક્ષકો માટેના જ્ઞાનસત્રનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 85થી વધુ શિક્ષકોએ ભાગ લીધો હતો
શાળાના શિક્ષકો શિક્ષણના નવિન પ્રવાહોથી વાકેફ રહે, જ્ઞાનનું સતત આદાન-પ્રદાન થતું રહે, શિક્ષણમાં નવું નવું સંશોધન અને ચિંતન થતું રહે અને શિક્ષકો જ્ઞાનથી સમૃધ્ધ બની રહે તે હેતુસર ભરૂચની નારાયણ વિદ્યાલય શાળામાં દર વર્ષે શિક્ષકોના જ્ઞાનસત્રનું આયોજન કરવામાં આવે છે ત્યારે આજથી બે દિવસસીય જ્ઞાનસત્રનો પ્રારંભ કરવામાં આવ્યો હતો જેમાં "Effective Teaching & Effective Learning" વિષય પર શાળાના ૮૫ શિક્ષકો વિવિધ વિષયો પર પ્રેઝન્ટેશન રજૂ કરશે. જ્ઞાનસત્રના ઉદ્ઘાટન સમારોહમાં જિલ્લા શિક્ષણાધિકારી સ્વાતિબા રાઓલ, શાળાના આચાર્ય ડો.ભગુ પ્રજાપતિ તેમજ શાળા પરિવાર ઉપસ્થિત રહ્યો હતો.
Read the Next Article

અંકલેશ્વર: તંત્રએ કર્યું બુદ્ધિનું પ્રદર્શન, પીલુદ્રા ગામે વરસતા વરસાદ વચ્ચે કરી RCC રોડની કામગીરી

અંકલેશ્વરના ગ્રામ્ય વિસ્તારમાં તંત્રએ બુદ્ધિનું પ્રદર્શન કર્યું હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે.અંકલેશ્વર તાલુકાના પીલુદરા ગામ ખાતે છેલ્લા કેટલાક સમયથી આરસીસી

New Update
Screenshot_2025-07-30-07-26-48-21_92460851df6f172a4592fca41cc2d2e6

અંકલેશ્વર તાલુકાના પીલુદરા ગામમાં ચાલુ વરસાદે આરસીસી રોડનું કામ ચાલુ હોવાનો વિડીયો વાયરલ થયો છે.

અંકલેશ્વરના ગ્રામ્ય વિસ્તારમાં તંત્રએ બુદ્ધિનું પ્રદર્શન કર્યું હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે.અંકલેશ્વર તાલુકાના પીલુદરા ગામ ખાતે છેલ્લા કેટલાક સમયથી આરસીસી રોડની કામગીરી ચાલી રહી છે ત્યારે ગતરોજ વરસતા વરસાદ વચ્ચે પણ આ રોડની કામગીરી ચાલુ જ રાખવામાં આવી હતી જેના પગલે કામની ગુણવત્તા સામે અનેક સવાલો ઉભાગ થયા છે. વરસતા વરસાદ વચ્ચે આરસીસી રોડનું કામ ચાલુ હોય તેવા વિડિયો પણ વાયરલ થયા છે. વરસતા વરસાદ વચ્ચે આ કામગીરી કરાતા તેની ગુણવત્તા સામે પણ સવાલ ઊભા થયા છે.પાણી વચ્ચે કરાયેલી કામગીરી કેટલા સમય ટકશે તે પ્રશ્ન ઉઠી રહ્યા છે ત્યારે માર્ગ અને મકાન વિભાગ દ્વારા આ બાબતે જરૂરી કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી રહી છે