ભરૂચ: ગુજરાત વિદ્યાપીઠના વિદ્યાર્થીઓએ 3 ગામોમાં ફરી પ્રાકૃતિક ખેતીનો આપ્યો સંદેશ !

ગૂજરાત વિદ્યાપીઠના વિદ્યાર્થીઓએ જંબુસર,આમોદ અને વાગરા તાલુકાના ગામોમાં લોકસંપર્ક કરી પ્રાકૃતિક ખેતીનો સંદેશો આપ્યો હતો

New Update

ગુજરાત વિદ્યાપીઠ દ્વારા આયોજન

Advertisment

ગ્રામજીવન પદયાત્રાનું આયોજન

વિદ્યાર્થીઓએ આપ્યો પ્રાકૃતિક ખેતીનો સંદેશ

જંબુસર,આમોદ અને વાગરાના ગામોમાં વિદ્યાર્થીઓ ફર્યા

આગેવાનો અને ગ્રામજનો રહ્યા ઉપસ્થિત

ગૂજરાત વિદ્યાપીઠના વિદ્યાર્થીઓએ જંબુસર,આમોદ અને વાગરા તાલુકાના ગામોમાં લોકસંપર્ક કરી પ્રાકૃતિક ખેતીનો સંદેશો આપ્યો હતો
Advertisment
ગૂજરાત વિદ્યાપીઠના કુલાધિપતિ અને ગૂજરાત રાજ્યના મહામહીમ રાજ્યપાલ આચાર્ય દેવવતની પ્રેરણા અને કુલપતિ ડૉ.હર્ષદ પટેલના માર્ગદર્શન હેઠળ ગૂજરાત વિદ્યાપીઠના ઉદ્દેશ્યો અને મહાત્મા ગાંધીજીના રચનાત્મક કાર્યક્રમોને ધ્યાનમાં રાખીને ગૂજરાત વિદ્યાપીઠ દ્વારા ગ્રામજીવન પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું.જે સંદર્ભે ગૂજરાત વિદ્યાપીઠના કોમ્પ્યુટર સાયન્સના ૨૦ વિદ્યાર્થિઓ તેમજ અધ્યાપક ડૉ.ગેલજીભાઈ ભાટિયાએ ભરૂચ જીલ્લાના જંબુસર,આમોદ અને વાગરા તાલુકાના ગામોમાં લોકસંપર્ક કરી ધરતીપુત્રોને પ્રાકૃતિક ખેતી અપનાવવા સમજણ આપી હતી.ગૂજરાત વિદ્યાપીઠ અમદાવાદના કોમ્પ્યુટર સાયન્સ વિભાગના વિદ્યાર્થીઓ ૨૧ ઓક્ટોમ્બરથી ૨૬ ઓક્ટોમ્બર દરમિયાન ભરૂચ જિલ્લાનાં જંબુસર,આમોદ વાગરા તાલુકાના ૧૬૬ ગામોમાં પ્રાકૃતિક ખેતીનો સંદેશો આપ્યો હતો.આ પ્રસંગે નગરપાલિકા પ્રમુખ જલ્પાબેન પટેલ,આમોદના અગ્રણી મહેશભાઈ શાહ, માતર પ્રાથમિક શાળાના આચાર્ય સંજયભાઈ પટેલ,આરોગ્ય સમિતિનાં ચેરમેન રશ્મિકા પરમાર સહિતના આગેવાનો તેમજ ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા
Advertisment
Read the Next Article

અંકલેશ્વર: કમોસમી વરસાદ સાથે પ્રદૂષણના દ્રશ્યો સામે આવ્યા, રાસાયણિક પાણી ખાડીમાં વહ્યું !

અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતમાં સી પમ્પીંગ સ્ટેશન ગેટ અને કેનાલ ઓવરફલો થતા રાસાયણિક પાણી અમરાવતી નદી અને છાપરા ખાડીમાં વહી ગયું જીપીસીબી દ્વારા નમૂના લેવામાં આવ્યા

New Update
  • અંકલેશ્વરમાં કમોસમી વરસાદ

  • કમોસમી વરસાદ સાથે પ્રદૂષણના દ્રશ્યો

  • પ્રદુષિત પાણી ઓવરફ્લો થયું

  • લાખો લીટર પાણી ખાડીમાં વહ્યું

  • જીપીસીબી દ્વારા નમૂના લેવામાં આવ્યા

Advertisment
અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતમાં સી પમ્પીંગ સ્ટેશન ગેટ અને કેનાલ ઓવરફલો થતા રાસાયણિક પાણી અમરાવતી નદી અને છાપરા ખાડીમાં વહી ગયું હતું. હજુ ચોમાસુ બેઠું નથી એ પૂર્વે જ અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતમાં વરસાદી પાણી સાથે રાસાયણિક પાણી વિપુલ માત્રામાં વહી ગયું હતું.10 દિવસમાં બીજી વાર પડેલા માવઠામાં પ્રથમ માવઠામાં અમરાવતી નદીમાં માછલાંના મોત થયા હતા અને હવે બીજા માવઠામાં જળ સંપદા અને જમીન સંપદાને વ્યાપક નુકશાન થવાના દ્રશ્યો સામે આવ્યા છે.
ખાસ કરીને સી પમ્પીંગ સ્ટેશન પાસે નોટીફાઈડ વિભાગ દ્વારા બનાવેલ પાળો અને તેની નજીક મુકેલ ગેટ પર ઓવરફ્લો થઇને ઔદ્યોગિક વસાહતનું રાસાયણિક પાણી ખાડીમાં ધોધ સ્વરૂપે વહી રહ્યું હતું.આ અંગે જીવદયા પ્રેમીઓ જીપીસીબીને જાણ કરતા અધિકારીઓએ ત્વરિત અસરથી સ્થળ પર દોડી આવ્યા હતા અને સેમ્પલ લીધા હતા તેમજ નોટીફાઈડ વિભાગના અધિકારીઓ અને ઉદ્યોગ મંડળને પ્રિ મોન્સૂન કામગીરી અંતર્ગત પાળો ઉંચો કરવા તાકીદ કરવામાં આવી હતી. 
Advertisment