ભરૂચ: ગુજરાત વિદ્યાપીઠના વિદ્યાર્થીઓએ 3 ગામોમાં ફરી પ્રાકૃતિક ખેતીનો આપ્યો સંદેશ !

ગૂજરાત વિદ્યાપીઠના વિદ્યાર્થીઓએ જંબુસર,આમોદ અને વાગરા તાલુકાના ગામોમાં લોકસંપર્ક કરી પ્રાકૃતિક ખેતીનો સંદેશો આપ્યો હતો

New Update

ગુજરાત વિદ્યાપીઠ દ્વારા આયોજન

ગ્રામજીવન પદયાત્રાનું આયોજન

વિદ્યાર્થીઓએ આપ્યો પ્રાકૃતિક ખેતીનો સંદેશ

જંબુસર,આમોદ અને વાગરાના ગામોમાં વિદ્યાર્થીઓ ફર્યા

આગેવાનો અને ગ્રામજનો રહ્યા ઉપસ્થિત

ગૂજરાત વિદ્યાપીઠના વિદ્યાર્થીઓએ જંબુસર,આમોદ અને વાગરા તાલુકાના ગામોમાં લોકસંપર્ક કરી પ્રાકૃતિક ખેતીનો સંદેશો આપ્યો હતો
ગૂજરાત વિદ્યાપીઠના કુલાધિપતિ અને ગૂજરાત રાજ્યના મહામહીમ રાજ્યપાલ આચાર્ય દેવવતની પ્રેરણા અને કુલપતિ ડૉ.હર્ષદ પટેલના માર્ગદર્શન હેઠળ ગૂજરાત વિદ્યાપીઠના ઉદ્દેશ્યો અને મહાત્મા ગાંધીજીના રચનાત્મક કાર્યક્રમોને ધ્યાનમાં રાખીને ગૂજરાત વિદ્યાપીઠ દ્વારા ગ્રામજીવન પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું.જે સંદર્ભે ગૂજરાત વિદ્યાપીઠના કોમ્પ્યુટર સાયન્સના ૨૦ વિદ્યાર્થિઓ તેમજ અધ્યાપક ડૉ.ગેલજીભાઈ ભાટિયાએ ભરૂચ જીલ્લાના જંબુસર,આમોદ અને વાગરા તાલુકાના ગામોમાં લોકસંપર્ક કરી ધરતીપુત્રોને પ્રાકૃતિક ખેતી અપનાવવા સમજણ આપી હતી.ગૂજરાત વિદ્યાપીઠ અમદાવાદના કોમ્પ્યુટર સાયન્સ વિભાગના વિદ્યાર્થીઓ ૨૧ ઓક્ટોમ્બરથી ૨૬ ઓક્ટોમ્બર દરમિયાન ભરૂચ જિલ્લાનાં જંબુસર,આમોદ વાગરા તાલુકાના ૧૬૬ ગામોમાં પ્રાકૃતિક ખેતીનો સંદેશો આપ્યો હતો.આ પ્રસંગે નગરપાલિકા પ્રમુખ જલ્પાબેન પટેલ,આમોદના અગ્રણી મહેશભાઈ શાહ, માતર પ્રાથમિક શાળાના આચાર્ય સંજયભાઈ પટેલ,આરોગ્ય સમિતિનાં ચેરમેન રશ્મિકા પરમાર સહિતના આગેવાનો તેમજ ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા
Read the Next Article

ભરૂચ: નબીપુર નજીક ટ્રેનમાંથી પડી જતા અજાણ્યા વ્યક્તિનું મોત, રેલવે પોલીસે તપાસ શરૂ કરી

રેલવે ટ્રેક પર અજાણ્યા 45 વર્ષીય વ્યક્તિ સૌરાષ્ટ્ જનતા એક્સપ્રેસ ટ્રેનમાં મુસાફરી દરમિયાન અચાનક નીચે પડી જતા તેનું ગંભીર ઇજાઓને પગલે કરુણ મોત નીપજ્યું

New Update
Saurashtra Janata Express train
ભરૂચના વરેડિયા-નબીપુર વચ્ચે સૌરાષ્ટ્ર જનતા એક્સપ્રેસ ટ્રેનમાંથી પડી જતા અજાણ્યા વ્યક્તિનું મોત નીપજ્યું હતું.ગતરોજ સાંજના સમયે ભરૂચના વરેડિયા-નબીપુર વચ્ચે રેલવે ટ્રેક પર અજાણ્યા 45 વર્ષીય વ્યક્તિ સૌરાષ્ટ્ જનતા એક્સપ્રેસ ટ્રેનમાં મુસાફરી દરમિયાન અચાનક નીચે પડી જતા તેનું ગંભીર ઇજાઓને પગલે કરુણ મોત નીપજ્યું હતું.અકસ્માત અંગે ભરૂચ રેલવે પોલીસે ગુનો નોંધી મૃતદેહના વાલી વારસાની શોધખોળ હાથ ધરી છે.