ભરૂચ: ગુજરાત વિદ્યાપીઠના વિદ્યાર્થીઓએ 3 ગામોમાં ફરી પ્રાકૃતિક ખેતીનો આપ્યો સંદેશ !

ગૂજરાત વિદ્યાપીઠના વિદ્યાર્થીઓએ જંબુસર,આમોદ અને વાગરા તાલુકાના ગામોમાં લોકસંપર્ક કરી પ્રાકૃતિક ખેતીનો સંદેશો આપ્યો હતો

New Update

ગુજરાત વિદ્યાપીઠ દ્વારા આયોજન

ગ્રામજીવન પદયાત્રાનું આયોજન

વિદ્યાર્થીઓએ આપ્યો પ્રાકૃતિક ખેતીનો સંદેશ

જંબુસર,આમોદ અને વાગરાના ગામોમાં વિદ્યાર્થીઓ ફર્યા

આગેવાનો અને ગ્રામજનો રહ્યા ઉપસ્થિત

ગૂજરાત વિદ્યાપીઠના વિદ્યાર્થીઓએ જંબુસર,આમોદ અને વાગરા તાલુકાના ગામોમાં લોકસંપર્ક કરી પ્રાકૃતિક ખેતીનો સંદેશો આપ્યો હતો
ગૂજરાત વિદ્યાપીઠના કુલાધિપતિ અને ગૂજરાત રાજ્યના મહામહીમ રાજ્યપાલ આચાર્ય દેવવતની પ્રેરણા અને કુલપતિ ડૉ.હર્ષદ પટેલના માર્ગદર્શન હેઠળ ગૂજરાત વિદ્યાપીઠના ઉદ્દેશ્યો અને મહાત્મા ગાંધીજીના રચનાત્મક કાર્યક્રમોને ધ્યાનમાં રાખીને ગૂજરાત વિદ્યાપીઠ દ્વારા ગ્રામજીવન પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું.જે સંદર્ભે ગૂજરાત વિદ્યાપીઠના કોમ્પ્યુટર સાયન્સના ૨૦ વિદ્યાર્થિઓ તેમજ અધ્યાપક ડૉ.ગેલજીભાઈ ભાટિયાએ ભરૂચ જીલ્લાના જંબુસર,આમોદ અને વાગરા તાલુકાના ગામોમાં લોકસંપર્ક કરી ધરતીપુત્રોને પ્રાકૃતિક ખેતી અપનાવવા સમજણ આપી હતી.ગૂજરાત વિદ્યાપીઠ અમદાવાદના કોમ્પ્યુટર સાયન્સ વિભાગના વિદ્યાર્થીઓ ૨૧ ઓક્ટોમ્બરથી ૨૬ ઓક્ટોમ્બર દરમિયાન ભરૂચ જિલ્લાનાં જંબુસર,આમોદ વાગરા તાલુકાના ૧૬૬ ગામોમાં પ્રાકૃતિક ખેતીનો સંદેશો આપ્યો હતો.આ પ્રસંગે નગરપાલિકા પ્રમુખ જલ્પાબેન પટેલ,આમોદના અગ્રણી મહેશભાઈ શાહ, માતર પ્રાથમિક શાળાના આચાર્ય સંજયભાઈ પટેલ,આરોગ્ય સમિતિનાં ચેરમેન રશ્મિકા પરમાર સહિતના આગેવાનો તેમજ ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા
Read the Next Article

અંકલેશ્વર: NH 48 પર ટ્રાફિકજામની રોજિંદી સમસ્યા, બિસ્માર માર્ગોના પગલે સમસ્યા

અંકલેશ્વર નેશનલ હાઇવે પર  આમલાખાડી પરના બિસ્માર બ્રિજ અને હાઇવેનો માર્ગ ખખડધજ બનતા સતત ટ્રાફિકજામની પરિસ્થિતિનું નિર્માણ થઈ રહ્યું છે. અંકલેશ્વર નેશનલ હાઇવે

New Update
MixCollage-09-Jul-2025-08-21-PM-8778

અંકલેશ્વર નેશનલ હાઇવે પર  આમલાખાડી પરના બિસ્માર બ્રિજ અને હાઇવેનો માર્ગ ખખડધજ બનતા સતત ટ્રાફિકજામની પરિસ્થિતિનું નિર્માણ થઈ રહ્યું છે.

અંકલેશ્વર નેશનલ હાઇવે ઉપર આવેલ આમલાખાડી પરનો બ્રિજ છેલ્લા ઘણા સમયથી બિસ્માર બન્યો છે.બીજી તરફ ચોમાસુ જામતા જ હાઇવે પર ખાડાઓની ભરમાર છે.તેવામાં રોજેરોજ ટ્રાફિકજામની પરિસ્થિતિનું નિર્માણ થતા વાહન ચાલકો હેરાન પરેશાન બન્યા છે.વાહનોનું ભારણ અને બ્રિજ જર્જરિત,રસ્તા પર ખાડાઓ પડતા વાહન ચાલકો પોતાનો કિંમતી સમય સાથે ઇંધણ બગાડી રહ્યા છે.દિવસે દિવસે માથાના દુખાવા સમાન બનેલ આ ટ્રાફિકની સમસ્યા હલ કરવામાં આવે તે જરૂરી છે.તંત્ર યોગ્ય નિરાકરણ લાવે એવી વાહનચાલકો માંગ કરી રહ્યા છે