ભરૂચ: કાળઝાળ ગરમી વચ્ચે પાણીની તંગી ન પડે એ માટે બનાવાયેલા વર્ષો જુના ભૂગર્ભ ટાંકા આજે પણ આશીર્વાદરૂપ !

જુના ભરૂચના વિસ્તારોમાં કેટલાયે પરિવારજનોના મકાનોમાં પાણીનો સંગ્રહ કરવા માટેના અદ્ભૂત કહી શકાય તેવા ભૂગર્ભ ટાંકા હયાત છે અને અહીં રહેતા લોકો વરસાદી પાણીનો બારેમાસ સંગ્રહ કરી ઉપયોગ પણ કરે છે.

New Update
  • ઉનાળામાં સર્જાતી હોય છે પાણીની તંગી

  • વર્ષો પૂર્વે મકાનમાં બનાવાતા હતા ટાંકા

  • ભૂગર્ભ ટાંકામાં પાણીનો થતો સંગ્રહ

  • ભૂગર્ભ ટાંકા આજે પણ આશીર્વાદરૂપ

  • વરસાદી પાણીનો બારે માસ થાય છે સંગ્રહ

Advertisment
ભરૂચ નર્મદાના કાંઠે વસેલા અને વર્ષોથી પીવાના મીઠા પાણી માટે તરસતા રહેતા ભરૂચના કેટલાયે વિસ્તારોમાં વરસાદી પાણીના સંગ્રહ માટે મકાનોમાં ભૂગર્ભ ટાંકા બનાવવામાં આવ્યા છે. જે આજે પણ ઉપયોગી પુરવાર થઇ રહ્યા છે.
નર્મદા કાંઠે વસેલું હોવા છતાં વર્ષોથી ખારા પાણીની સમસ્યા ભરૃચને સતાવતી રહી છે. પીવાના મીઠા પાણી માટે ભારે હાલાકીનો સામનો કરવો પડયો હતો. લોકોએ આખું વર્ષ મીઠું પાણી મળી રહે તે માટે પોતાના મકાનોમાં પાકુ બાંધકામ કરી ભૂગર્ભ ટાંકા બનાવેલા છે. જે માટે ખૂબ જ ઇજનેરી કૌશલ્યની પણ જરૃર પડતી.ભરૂચમાં વર્ષો પૂર્વે આ રીતે મકાનોમાં બનાવાતા ભૂગર્ભ ટાંકાની સંખ્યા ખૂબ મોટી હતી પરંતુ પાણીની સમસ્યા ઓછી થવા લાગતાં જૂના ભરૂચના ઘણાખરા મકાનોમાં હવે આ ભૂગર્ભ ટાંકા પૂરી દેવામાં આવ્યા છે.
અથવા બનાવવામાં જ આવતા નથી પરંતુ આજે પણ ભરૂચ શહેરના પારસીવાડ, ચકલા સહિત જુના ભરૂચના વિસ્તારોમાં કેટલાયે પરિવારજનોના મકાનોમાં પાણીનો સંગ્રહ કરવા માટેના અદ્ભૂત કહી શકાય તેવા ભૂગર્ભ ટાંકા હયાત છે અને અહીં રહેતા લોકો વરસાદી પાણીનો બારેમાસ સંગ્રહ કરી ઉપયોગ પણ કરે છે.વરસાદી પાણીના સંગ્રહ માટે મકાનના છાપરા પર પડતા વરસાદના પાણીને પાઇપ વડે ભૂગર્ભ ટાંકામાં ઉતારી  દેવાની વ્યવસ્થા કરવામાં આવેલી જોવા મળે છે. જેથી ચોમાસા દરમ્યાન આવા ભૂગર્ભટાંકા છલોછલ ભરાઇ જતાં તે મીઠું પાણી આખા વર્ષ દરમ્યાન ઉપયોગમાં લેવાય છે.
Advertisment
Read the Next Article

ભરૂચ : ઇતિહાસના સાક્ષી, અવગણનાના શિકાર બન્યા નર્મદા ઘાટ,પર્યટન સ્થળ તરીકે  પુનઃવિકાસની ઉઠી પોકાર

સ્થાનિક રહીશો અને ધાર્મિક સંગઠનો મુજબ, ભૂતકાળમાં આ ઘાટો પર ધાર્મિક ક્રિયાઓ, પવિત્ર સ્નાન, તહેવાર અને આરતી જેવી પરંપરાઓ નિયમિત રીતે થતા હતા.

author-image
By Connect Gujarat Desk
New Update
  • નર્મદા ઘાટ બન્યા દુર્દશાનો શિકાર

  • ઇતિહાસના સાક્ષી ઘાટોની અવગણના

  • પવિત્ર ઘાટ પર સંતો અને ઋષિઓએ કર્યા છે તપ

  • વારાણસી મુજબ જ નર્મદા ઘાટનાં વિકાસનો પોકાર

  • પર્યટન સ્થળ તરીકે ઘાટનાં વિકાસ માટે ઉઠી માંગ 

Advertisment

ભરૂચના નર્મદા કિનારાનાં ઘાટ આજે પોતાના અસ્તિત્વ માટે ઝઝૂમી રહ્યા છે. સ્થાનિક રહીશો અને ધાર્મિક સંગઠનો મુજબભૂતકાળમાં આ ઘાટો પર ધાર્મિક ક્રિયાઓપવિત્ર સ્નાનતહેવાર અને આરતી જેવી પરંપરાઓ નિયમિત રીતે થતા હતા. આ ઘાટો પર સંતો અને ઋષિઓએ તપ કર્યા હતા,તો કેટલાક ઘાટો ઐતિહાસિક યુદ્ધો અને યાત્રાઓના સાક્ષી રહ્યા છે. આજના સમયમાં આ ઘાટો તૂટી ગયેલી પાળીઓકચરો અને પાણીના ભરાવા સહિત ગંદકી જેવી સમસ્યાઓથી ઘેરાયેલા છે.

ભરૂચની જનતાનું કહેવું છે કે સરકાર દ્વારા 'સ્ટેચ્યુ ઓફ યુનિટીજેવા વિશ્વવિખ્યાત પ્રોજેક્ટ પર કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યોપણ એ જ નર્મદા નદીના પવિત્ર ઘાટો આજે પણ મૂળભૂત સુવિધાઓથી વંચિત છે. ત્યાં લાઇટિંગ,પીવાનું પાણી,શૌચાલય કે બેસવાની વ્યવસ્થાઓ પણ ઉપલબ્ધ નથી.

સ્થાનિક સામાજિક કાર્યકરોઐતિહાસિક રસ ધરાવતા લોકો અને ધાર્મિક સંગઠનો સરકારને આગ્રહ કરી રહ્યા છે કે નર્મદા ઘાટોનું દસ્તાવેજી કરણ કરવામાં આવેઅને તેમની પૌરાણિક તથા ઐતિહાસિક મહત્તાને પ્રકાશમાં લાવીને ઘાટોનું સૌંદર્યકરણ કરવામાં આવે. સાથે જ ઘાટોની કથાઓ અને ઇતિહાસ દર્શાવતું દ્રશ્ય અને ઓડિયો માર્ગદર્શન દિવાલ ચિત્રો અને સાંસ્કૃતિક કાર્યક્રમો શરૂ કરવાથી ધાર્મિક પર્યટન વધારી શકાય તેવી લાગણી લોકો વ્યક્ત કરી રહ્યા છે. 

Advertisment