ભરૂચ : PM મોદીના જન્મ દિવસથી ત્રણ મોટા અભિયાનની શરૂઆત

ગુજરાત | Featured | સમાચાર, ભરૂચ વહીવટી તંત્ર દ્વારા આગામી દિવસોમાં યોજાનાર વિવિધ અભિયાન અંગેની માહિતી આપવા માટે કલેકટર તુષાર સુમેરાના અધ્યક્ષ સ્થાને પ્રેસ કોન્ફરન્સ યોજાઇ હતી.

New Update
ભરૂચ કલેકટર તુષાર સુમેરા દ્વારા યોજાય પ્રેસ કોન્ફરન્સ
પી.એમ.મોદીના જન્મદિવસથી અભિયાનની કરાશે શરૂઆત
સેવા સેતુના 10માં તબક્કાની થશે શરૂઆત
સ્વરછતા હી સેવા અભિયાનનો કરાશે પ્રારંભ
27 સપ્ટેમ્બરે ગરીબ કલ્યાણ મેળો યોજાશે
ભરૂચ વહીવટી તંત્ર દ્વારા આગામી દિવસોમાં યોજાનાર વિવિધ અભિયાન અંગેની માહિતી આપવા માટે કલેકટર તુષાર સુમેરાના અધ્યક્ષ સ્થાને પ્રેસ કોન્ફરન્સ યોજાઇ હતી.

રાજ્ય તેમજ કેન્દ્ર સરકારની વિવિધ યોજનાઓ લોકો સુધી પહોંચે તે માટે ભરૂચ વહીવટી તંત્ર દ્વારા આગામી દિવસોમાં વિવિધ અભિયાનની શરૂઆત કરવામાં આવશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ 17મી સપ્ટેમ્બરના રોજથી એક પેડ મા કે નામ અભિયાન અંતર્ગત મેગા ઇવેન્ટ, સેવા સેતુ કાર્યક્રમનો 10મો તબક્કો અને સ્વરછતા હી સેવા અભિયાનની શરૂઆત કરવામાં આવશે. જે અંગેની માહિતી આપવા ભરૂચ કલેકટર તુષાર સુમેરાના અધ્યક્ષ સ્થાને પત્રકાર પરિષદ યોજાઇ હતી જેમાં તમામ કાર્યક્રમો અંગે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. તો સાથે જ તારીખ 27 મી સપ્ટેમ્બરે ભરૂચની કે.જે પોલિટેકનિક કોલેજના ગ્રાઉન્ડ પર ભરૂચ જિલ્લા કક્ષાનો ગરીબ કલ્યાણ મેળો યોજાશે. આ તમામ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકો જોડાઈ તે માટે કલેકટર તુષાર સુમેરા દ્વારા અપીલ કરવામાં આવી છે

Read the Next Article

અંકલેશ્વર: ખરોડ ગામે યુવાનની હત્યા કરનાર આરોપીની ક્રાઇમ બ્રાન્ચે કરી ધરપકડ, અગાઉ થયેલ માથાકૂટની રીસ રાખી હત્યા કરાય

અંકલેશ્વર તાલુકાના ખરોડ ગામેથી મળી આવેલ મૃતદેહના મામલામાં ચોકાવનારો ખુલાસો થયો છે પોલીસે યુવાનની હત્યા કરનાર આરોપીની ધરપકડ કરી તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

New Update

અંકલેશ્વરના ખરોડમાં મળી આવ્યો હતો મૃતદેહ

હત્યા થઈ હોવાનું આવ્યું બહાર

પોલીસે હત્યારાની કરી ધરપડક

અગાઉના ઝઘડાની રીસ રાખી કરાય હત્યા

પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી


અંકલેશ્વર તાલુકાના ખરોડ ગામેથી મળી આવેલ મૃતદેહના મામલામાં ચોકાવનારો ખુલાસો થયો છે પોલીસે યુવાનની હત્યા કરનાર આરોપીની ધરપકડ કરી તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

અંકલેશ્વરના ખરોડ ગામની સીમમાં આવેલ બાકરોલ વગામાં ખેતરના શેઢા ઉપર અજાણ્યા વ્યક્તિનો મૃતદેહ વિકૃત હાલતમાં મળી આવ્યો હતો.આ બાબતે પાનોલી પોલીસે ગુનો નોંધી મૃત્યુનું કારણ જાણવા તપાસ શરૂ કરી હતી.આ તરફ ક્રાઇમ બ્રાન્ચ પણ તપાસમાં જોડાય હતી દરમ્યામ પોલીસને બાતમી મળી હતી કે આ ગુનામાં  અક્કલકુવાનો શંકર મોવરીયા વસાવા નામનો ઈસમ સંડોવાયો છે જે અંકલેશ્વર તથા પાનોલી વિસ્તારમા છુટક મજુરી કરે છે.પોલીસે હ્યુમન ઇન્ટેલીજન્સના આધારે આરોપીની ખરોડ નજીકથી ધરપકડ કરી હતી. પોલીસની પૂછપરછમાં ચોંકાવનારો ખુલાસો થયો હતો. આ મામલામાં મરણ જનાર ઇસમે થોડા દિવસ અગાઉ મારમારી 1500 રૂપિયા લૂંટી લીધા હતા જેની રીસ રાખી આરોપી શંકર વસાવાએ મૃતકને શોધી તેને મજૂરી કામ અપાવવાના બહાને ખરોડ ગામની સીમમાં લઈ ગયો હતો અને ત્યાં પથ્થરના ઘા મારી હત્યા કર્યા બાદ તેના વતન ફરાર થઇ ગયો હતો.પોલીસે આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.