ભરૂચ : મેઘરાજાના ઉત્સવમાં છડી ઉત્સવ દરમિયાન જર્જરિત ઇમારતની છત ધરાશાયી થતા ત્રણ લોકો દબાયા

છડી ઝુલાવતા સમયે અકસ્માત સર્જાયો હતો,અને જર્જરિત ઇમારતની છત ધરાશાયી થતા ત્રણ લોકો ઈજાગ્રસ્ત થયા હતા,સર્જાયેલા અકસ્માતને પગલે દોડધામ મચી ગઈ....

New Update

ભરૂચમાં છડી-નોમની ઉજવણીમાં સર્જાયો અકસ્માત

Advertisment

છડી ઝુલાવતા સમયે જર્જરિત ઈમારત થઈ ધરાશાયી

ઇમારત ધરાશાયી થતા ત્રણ લોકો ઈજાગ્રસ્ત થયા

 ઇજાગ્રસ્તોને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા 

સર્જાયેલી દુર્ઘટનાને પગલે દોડધામ મચી 

ભરૂચમાં ઉજવાતા પરંપરાગત મેઘરાજાના ઉત્સવમાં છડી ઝુલાવતા સમયે અકસ્માત સર્જાયો હતો,અને જર્જરિત ઇમારતની છત ધરાશાયી થતા ત્રણ લોકો ઈજાગ્રસ્ત થયા હતા,સર્જાયેલા અકસ્માતને પગલે દોડધામ મચી ગઈ હતી.

 ભરૂચમાં ઉજવાતા પરંપરાગત મેઘરાજાના ઉત્સવની ઉજવણી ઉત્સાહભેર કરવામાં આવી રહી હતી,જોકે અચાનક આ ઉત્સવનો માહોલ ચિંતામય પરિસ્થિતમાં ફેરવાઇ ગયો હતો.જેમાં બન્યું કંઈક એવું હતું કે મેઘરાજાના ઉત્સવમાં  છડી ઝુલાવતા સમયે અકસ્માત સર્જાયો હતો.

Advertisment

અને એક જર્જરિત ઇમારતની છતનો હિસ્સો ધરાસાઈ થતાં ત્રણ લોકો પર કાટમાળ પડ્યો હતો,અને જેના કારણે ત્રણ લોકો ઈજાગ્રસ્ત બન્યા હતા,અને ઈજાગ્રસ્તોને સારવાર અર્થે પોલીસ વેનમાં હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા.ઘટનાને પગલે ભારે દોડધામ મચી ગઈ હતી.

Advertisment
Read the Next Article

અંકલેશ્વર : સુરવાડી ગામે દસ દિવસથી વીજ પુરવઠો ખોરવાતા ખેડૂતોમાં રોષ,નિયમિત પાણી ન મળતા ઉભો પાક સુકાઈ જવાની ભીતી

સુરવાડી ગામમાં અનિયમિત વીજ પુરવઠાથી લોકો પરેશાન થઇ ગયા છે.જ્યારે એગ્રીકલ્ચર લાઈનમાં 8 કલાક મળતો વીજ પુરવઠો પણ ખોરવાય જતા ખેડૂતોમાં રોષ જોવા મળ્યો

author-image
By Connect Gujarat Desk
New Update
  • અનિયમિત વીજ પુરવઠાએ ખેડૂતોમાં ચિંતા વધારી

  • વીજળી ખોરવાતા સિંચાઇની સમસ્યા પણ ઘેરી બની

  • ખેતરમાં ઉભા પાકમાં પાણી આપવું બન્યું મુશ્કેલ

  • છેલ્લા દસ દિવસથી નથી મળી રહી વીજળી

  • ખેડૂતોની રજૂઆત બાદ પણ સમસ્યા યથાવત 

અંકલેશ્વર તાલુકાના સુરવાડી ગામ ખાતે છેલ્લા દસ દિવસથી વીજ પુરવઠો ખોરવાયો છે,જેના કારણે એગ્રીકલ્ચર લાઈનમાં 8 કલાક મળતી વીજળી પણ ખેડૂતોને મળી રહી નથી,અને ખેતર માં ઉભો પાક સુકાઈ જવાની ભીતી ખેડૂતો વ્યક્ત કરી રહ્યા છે.

અંકલેશ્વર તાલુકાના સુરવાડી ગામમાં અનિયમિત વીજ પુરવઠાથી લોકો પરેશાન થઇ ગયા છે.જ્યારે એગ્રીકલ્ચર લાઈનમાં 8 કલાક મળતો વીજ પુરવઠો પણ ખોરવા જતા ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે.ખેડૂતો દ્વારા આ અંગે દક્ષિણ ગુજરાત વીજ કંપની લી.ખાતે રજૂઆત  બાદ પણ તેઓની સમસ્યાનું કોઈજ નિરાકરણ આવ્યું નથી.ખેતરમાં ઉભા પાકમાં સિંચાઈ માટે પાણી પણ તેઓ વીજ પુરવઠાના અભાવે આપી શકતા નથી.ત્યારે ઉભો પાક સુકાઈ ન જાય તે માટે ખેડૂતો દ્વારા પ્લાસ્ટિકના ડબ્બાથી પાકમાં પાણી નાખવાની નોબત આવી છે.