ભરૂચ: ટાયર એસો.દ્વારા જીએનએફસી ખાતે સ્નેહમિલન સમારોહ યોજાયો

ભરૂચ ટાયર એસોસિએશન દ્વારા શહેરના GNFC કોમ્પલેક્ષમા આવેલા S&R ક્લબ ખાતે 23મી ફેબ્રુઆરીના રોજ સ્નેહ મિલન સમારોહનું આયોજન કરાયું હતું.

New Update
  • ભરૂચ જીએનએફસી ખાતે કરાયુ આયોજન

  • ટાયર એસો.દ્વારા આયોજન કરવામાં આવ્યું

  • સ્નેહમિલન સમારોહ યોજાયો

  • મલયાલી સમાજના સભ્યો રહ્યા ઉપસ્થિત

  • આગેવાનોએ આપી હાજરી

Advertisment
ભરૂચ જિલ્લા ટાયર એસો.દ્વારા જીએનએફસીના એસ.એન્ડ આર.ક્લબ ખાતે સ્નેહમિલન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતુ.

ભરૂચ ટાયર એસોસિએશન દ્વારા શહેરના GNFC કોમ્પલેક્ષમા આવેલા S&R ક્લબ ખાતે 23મી ફેબ્રુઆરીના રોજ સ્નેહ મિલન સમારોહનું આયોજન કરાયું હતું. જેમાં મલયાલી સમાજના સભયોએ ઉત્સાહ પૂર્વક ભાગ લીધો હતો.આ પ્રસંગે યોજાયેલ સાંસ્કૃતિક કાર્યક્રમમાં બાળકોએ વિવિધ સુંદર સાંસ્કૃતિક કૃતિઓ રજૂ કરી હતી.ભરૂચ ટાયર એસોસિએશન દ્વારા અનેક સેવાકીય કાર્યો કરવામાં આવે છે જેમાં રક્તદાન શિબિર,તમામ એસોસિયેશનના સભ્યોનો જીવન વીમો, વિધાર્થીઓના અભ્યાસ માટે સહાય સાથે કેરળમાં આવેલા વિનાશક પૂરમાં પણ ત્યાંના લોકોને આર્થિક સહાય પૂરી પાડવામાં આવી હતી.આ કાર્યક્રમમાં GNFC સિક્યુરિટીના હેડ જયસ ચાકો અને S&R ક્લબના જનરલ મેનેજર સહિત મલિયાલી સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

Advertisment
Read the Next Article

અંકલેશ્વર : જલારામ મંદિરથી નવી દીવી રોડ પર આવેલ નાળાનું કામ ખોરંભે ચઢ્યું, સ્થાનિકો-રાહદારીઓને હાલાકી...

ભરૂચ જિલ્લાના અંકલેશ્વરના નવી દીવી રોડ પર આવેલ નાળાનું કામ છેલ્લા 4 મહિનાથી ખોરંભે ચઢતા સ્થાનિકો સહિત રાહદારીઓને ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો છે.

New Update

છેલ્લા 4 મહિનાથી ચાલતી કામગીરી બંધ થઈ

Advertisment

લોકોમાં ધીમી કામગીરીને લઈને ફેલાયો છે રોષ

કમોસમી માવઠાને લઈ ડાઈવર્ઝન માર્ગ બિસ્માર

નાળાની કામગીરી ઝડપથી પૂર્ણ કરવા માંગ ઉઠી

ભરૂચ જિલ્લાના અંકલેશ્વરના નવી દીવી રોડ પર આવેલ નાળાનું કામ છેલ્લા 4 મહિનાથી ખોરંભે ચઢતા સ્થાનિકો સહિત રાહદારીઓને ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો છે.

ભરૂચ જિલ્લાના અંકલેશ્વરના નવી દીવી અને નવા દીવા ગામના માર્ગ પર જલારામ મંદિર સ્વર્ણિમ લેક-વ્યુ પાર્ક નજીક  વર્ષો જૂનું નાળું આવેલું છે. જે બિસ્માર નાળાના નવીનીકરણની કામગીરી 4 મહિના પહેલા ભરૂચ જિલ્લા પંચાયત માર્ગ અને મકાન વિભાગ દ્વારા ઈજારો આપી શરૂ કરાવવામાં આવી હતી. જોકે4-4 મહિના થઈ ગયા હોવા છતાં ગોકળ ગતિએ ચાલતી કામગીરીને લઇ સ્થાનિકો સહિત રાહદારીઓને ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો છે. તાજેતરમાં જ આવેલ કમોસમી વરસાદને લઇ માર્ગની બાજુમાં આપેલ ડાઈવર્ઝનનું પણ ધોવાણ થતાં ત્યાંથી વાહનો પસાર કરવું મુશ્કેલ બન્યું છે. છેલ્લા એક સપ્તાહ ઉપરાંતથી અટકેલ કામગીરી શરૂ કરાવવા માટે લોકો રસ્તે ઉતરી આવ્યા હતા. આ અંગે નવી દીવી ગામના રહેવાસીએ જણાવ્યું હતું કેછેલ્લા 4 મહિનાથી અટકી ગયેલી કામગીરી અને ડાઈવર્ઝન માર્ગ પણ અત્યંત બિસ્માર બન્યો છે. અહી 2 ગામ તેમજ વિવિધ સોસાયટીના રહીશોને આવાગમન કરવામાં ભારે અગવડતા ઉભી થઈ છે. અત્રે ઉલ્લેખનીય છે કેચોમાસું બેસવાને ગણતરીના જ દિવસો બાકી રહ્યા છેત્યારે હવે આ અધૂરી કામગીરીને તાકીદે શરૂ કરવામાં આવે તેવી સ્થાનિકો સહિત રાહદારીઓ માંગ કરી રહ્યા છે.

Advertisment