ભરૂચ : જંબુસરના મંગણાદ નજીક માર્ગ અકસ્માતમાં મોપેડ ચાલકનું કરુણ મોત…

ખંડાલી ગામ ખાતે રહેતા સદ્દામ અલ્લારખા ભઠ્ઠી મોપેડ લઈને મંગણાદ ગામ નજીકથી પસાર થઇ રહ્યા હતા. તે દરમિયાન અજાણ્યા વાહન ચાલકે તેઓના મોપેડને ટક્કર મારીને અકસ્માત સર્જી ફરાર થઇ ગયો હતો

New Update
Bharuch Accident

ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના મંગણાદ ગામ નજીક અજાણ્યા વાહન ચાલકે મોપેડ ચાલકને ટક્કર મારી હતી. સર્જાયેલા અકસ્માતમાં ગંભીર ઈજાના પગલે મોપેડ સવાર યુવકનું કરુણ મોત નીપજ્યું હતું.

મળતી માહિતી અનુસારભરૂચજિલ્લાના વાગરા તાલુકાના વસ્તી ખંડાલી ગામ ખાતે રહેતા સદ્દામ અલ્લારખા ભઠ્ઠી મોપેડ લઈને મંગણાદ ગામ નજીકથી પસાર થઇ રહ્યા હતા. તે દરમિયાન અજાણ્યા વાહન ચાલકે તેઓના મોપેડને ટક્કર મારીને અકસ્માત સર્જી ફરાર થઇ ગયો હતો. સર્જાયેલા અકસ્માતમાં સદ્દામ અલ્લારખા ભઠ્ઠીને ગંભીર ઈજાઓ પહોંચતા કરુણ મોત નીપજ્યું હતું.

બનાવ અંગે જંબુસર પોલીસે મૃતકના મૃતદેહને જંબુસર સબ ડીસ્ટ્રીક્ટ હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી અકસ્માત સર્જીને ફરાર થયેલા અજાણ્યા વાહન ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી હતી. અત્રે ઉલ્લેખનીય છે કેકોઈ ઇકો કારનો અજાણ્યો ચાલક મોપેડ સવાર યુવકને ટક્કર મારીને ફરાર થઇ ગયો હોવાનું લોકમુખે ચર્ચાઇ રહ્યું છે.

Latest Stories
    Read the Next Article

    અંકલેશ્વર : NH 48 પર સતત ચોથા દિવસે ભારે ટ્રાફિક જામ, અનેક વાહનચાલકો અટવાયા

    અંકલેશ્વર નેશનલ હાઇવે નંબર 48 પર ટ્રાફિકની સમસ્યા હવે જાણે સામાન્ય બની ગઈ છે,વારંવાર સર્જાતી ચક્કાજામની પરિસ્થિતિ વાહન ચાલકો માટે સરદર્દ સમાન બની ગઈ છે.

    New Update
    Screenshot_2025-08-01-15-00-28-73_92460851df6f172a4592fca41cc2d2e6

    અંકલેશ્વર નેશનલ હાઇવે નંબર 48 પર ટ્રાફિકની સમસ્યા હવે જાણે સામાન્ય બની ગઈ છે,વારંવાર સર્જાતી ચક્કાજામની પરિસ્થિતિ વાહન ચાલકો માટે સરદર્દ સમાન બની ગઈ છે. ત્યારે સતત ચોથા દિવસે પણ હાઇવે પર ભારે ટ્રાફિકજામ જોવા મળ્યો હતો

    અંકલેશ્વર નજીક નેશનલ હાઇવે નંબર 48 પર ફરી ટ્રાફિકજામના કારણે વાહનચાલકો ત્રાહિમામ પોકારી રહ્યા છે. વાહનચાલકોએ બે કલાક કરતા વધુ સમય ટ્રાફિકમાં ઉભા રહેવું પડ્યું હતું. અંકલેશ્વર નજીક નેશનલ હાઈવે 48 પર સમયાંતરે  ટ્રાફિકજામની ગંભીર પરિસ્થિતિ સર્જાય છે. ભરૂચ તરફથી સુરત તરફ જતી લેનમાં અંદાજે 5 કિમી લાંબો ટ્રાફિકજામ જોવા મળ્યો છે.હાઈવેના બિસ્માર માર્ગ અને ખાસ કરીને આમલાખાડી પરના સાંકડા બ્રિજને કારણે આ માર્ગ પર વારંવાર ટ્રાફિકજામ સર્જાય છે. આજે સતત ચોથા દિવસે પણ હાઇવે પર વાહનોની લાંબી કતાર જોવા મળી હતી.રોજ  બનતી સમસ્યાને કારણે અંકલેશ્વર - દહેજ ઇન્ડસ્ટ્રિયલ બેલ્ટ અને સુરત તરફ અવરજવર કરતા વાહન ચાલકો ત્રાસી ઉઠ્યા છે.
    Latest Stories