ભરૂચ: કલેક્ટર કચેરી ખાતે સ્થાનિક સ્વરાજયની ચૂંટણીને લઈ નોડલ અધિકારીઓની તાલીમ યોજાઈ

ભરૂચ જિલ્લામાં નગરપાલિકા જંબુસર વોર્ડ નંબર-૧ બેઠકની પેટા ચૂંટણી, જિલ્લા પંચાયત (૧- આછોદ ) બેઠકની પેટા ચૂંટણી તથા હાંસોટ તાલુકા પંચાયત (૧૨- પંડવાઇ ) બેઠક

New Update
images (2)2
ભરૂચ જિલ્લામાં નગરપાલિકા જંબુસર વોર્ડ નંબર-૧ બેઠકની પેટા ચૂંટણી, જિલ્લા પંચાયત (૧- આછોદ ) બેઠકની પેટા ચૂંટણી તથા હાંસોટ તાલુકા પંચાયત (૧૨- પંડવાઇ ) બેઠકની પેટા ચૂંટણી માટે મતદાન તા. ૧૬/૦૨/૨૦૨૫ અને મતગણતરી તા.૧૮/૦૨/૨૦૨૫ના રોજ થશે.નિષ્પક્ષ અને ન્યાયી વાતાવરણમાં ચૂંટણી પ્રક્રિયા થાય તે - માટે ભરૂચ  કલેકટર કચેરીના સભાખંડ ખાતે ચૂંટણી માટે નિમાયેલા નોડલ ઓફિસરોની તાલીમ નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા પુરવઠા અધિકારીની ઉપસ્થિતિમાં યોજાઈ હતી.
આ તાલીમમાં સમગ્ર ચૂંટણી પ્રક્રિયા દરમિયાન વિવિધ નોડેલ અધિકારીઓને કરવાની થતી કામગીરી અંગે માહિતગાર કરાયા હતા.જેમાં કો-ઓર્ડીનેશન, સુપરવિઝન, મતપેટી મેનેજમેન્ટ કામગીરી, કાયદો અને વ્યવસ્થા, ઓબ્ઝર્વેર લાયઝનીંગ, કોમ્પ્યુટરાઈઝેશન તથા ઇ- ડેશ વર્ડમાં ડેટા એન્ટ્રી, હેલ્પલાઈન અને ફરિયાદ નિવારણ, મતદાન મથકોને લગતી કામગીરી, આચારસંહિતા અમલીકરણ, પોલીંગ સ્ટાફ વેલ્ફેર અંગેની કામગીરી અંગે વિગતે ચર્ચા કરવામાં આવી હતી.
Read the Next Article

ભરૂચ: અંગારેશ્વર ગામે વાલ્મિકી સમાજના વૃદ્ધને હેરાનગતિ કરાતી હોવાના આક્ષેપ,કલેકટરને આવેદનપત્ર પાઠવાયું

ભરૂચના વાલ્મિકી સમાજ દ્વારા અંગારેશ્વર ગામે વાલ્મિકી સમાજના વૃદ્ધને કેટલાક શખ્સો હેરાનગતિ કરતા હોવાના આક્ષેપ સાથે કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું

New Update
  • ભરૂચ કલેકટરને પાઠવાયું આવેદનપત્ર

  • વાલ્મિકી સમાજ દ્વારા આવેદનપત્ર પાઠવાયું

  • વૃદ્ધને હેરાનગતિ કરાતી હોવાના આક્ષેપ

  • વૃદ્ધનું મકાન તોડી પાડી દીકરીને માર મરાયો

ભરૂચના વાલ્મિકી સમાજ દ્વારા અંગારેશ્વર ગામે વાલ્મિકી સમાજના વૃદ્ધને કેટલાક શખ્સો હેરાનગતિ કરતા હોવાના આક્ષેપ સાથે કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. ભરૂચના વાલ્મિકી સમાજના આગેવાનો દ્વારા આજરોજ ભરૂચ કલેકટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યુ હતું જેમાં જણાવ્યા અનુસાર ભરૂચ તાલુકાના અંગારેશ્વર ગામે રહેતા જગદીશ સોલંકીના ઘરે નિકોરા ગામમા રહેતા તોસીફ રાજ, સબ્બીર, મોઈન, સલીમ તથા સરફરાજ સહિતના શખ્સોએ જગદીશભાઈની દિકરી જમાઈને મકાન ખાલી કરી દેવા ધમકી આપી હતી 
ત્યાર બાદ બીજા દિવસે તોસિફ રાજ અને અન્ય શખ્સોએ જેસીબીથી મકાન તોડી પાડી દીકરીને માર માર્યો હતો અને શારીરિક અડપલા પણ કર્યા હોવાના આક્ષેપ કર્યા છે.મકાન અંગેનો મામલો કોર્ટમાં હોવા છતાં માથાભારે ઈસમો દાદાગીરી કરી રહ્યા હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે ત્યારે આ સમગ્ર મામલે વાલ્મિકી સમાજ અને વૃદ્ધ દ્વારા ન્યાયની માંગ કરવામાં આવી છે.
Latest Stories