New Update
-
ભરૂચમાં તંત્ર દ્વારા માર્ગ જાહેર કરાયો છે વન વે
-
ઝાડેશ્વર ચોકડીથી તવરા સુધીનો માર્ગ વન વે
-
ટ્રાવેલ્સ એસો.દ્વારા કલેક્ટરને કરાય રજુઆત
-
બસ ચાલકોને પસાર થવાની મંજૂરી આપવા માંગ
-
પાર્કિંગ પણ બનાવી આપવા માંગ કરાય
ભરૂચ જિલ્લા ટ્રાવેલ્સ એસોસિયેશન દ્વારા આજરોજ કલેકટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું જેમાં ઝાડેશ્વર ચોકડીથી તવરા સુધીના માર્ગ પરથી ખાનગી લકઝરી બસને પસાર થવા માટે મુક્તિ આપવાની માંગ કરવામાં આવી છે.
ભરૂચની ઝાડેશ્વર ચોકડીથી તવરા સુધીના રોડ પર માર્ગની ચાલી રહેલી કામગીરીના પગલે આ રોડને વન-વે જાહેર કરવામાં આવ્યો છે ત્યારે આજરોજ ભરૂચ જિલ્લા ટ્રાવેલ્સ એસોસિએશન દ્વારા કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું જેમાં જણાવ્યા અનુસાર રોડનું જે કામ ચાલે છે તે દરમ્યાન આ રોડને વન વે જાહેર કરવામાં આવ્યો છે અને અન્ય વૈકલ્પિક માર્ગની ફાળવણી કરવામાં આવી છે પરંતુ આ માર્ગ સાંકડો હોવાથી બસચાલકોને મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવી રહ્યો છે.
આ ઉપરાંત અકસ્માતનું જોખમ પણ રહેલુ છે.આ સાથે જ 30 કી.મી.નો વધારાનો ફેરાવો થાય છે જેના કારણે ઈંધણ અને સમયનો પણ વ્યય થઈ રહ્યો છે આથી આ સમય દરમિયાન બસ ચાલકોને આ માર્ગ પરથી પસાર થવાની છૂટ આપવામાં આવે એવી માંગ કરવામાં આવી છે.