ભરૂચ: ઓરિયન આર્કેડ ખાતે શહીદોને શ્રદ્ધાંજલિ, પાકિસ્તાનના પૂતળાનું દહન

ભરૂચના ઝાડેશ્વર વિસ્તારમાં આવેલ તુલસીધામ નજીક ઓરિયન આર્કેટ શોપિંગ સેન્ટરના વેપારીઓ દ્વારા આતંકીઓના પૂતળાનું દહન કરાયું હતું સાથે જ હુમલામાં મૃત્યુ પામેલા લોકોને શ્રદ્ધાસુમન અર્પણ કરાયા હતા

New Update
  • જમ્મુ કશ્મીરમાં આતંકી હુમલાનો વિરોધ

  • ભરૂચમાં યોજાયો કાર્યક્રમ

  • ઓરિયન આર્કેડ ખાતે શહીદોને શ્રધ્ધાસુમન અર્પણ કરાયા

  • પૂતળા દહન કરી વિરોધ નોંધાવાયો

  • ભાજપના આગેવાનો પણ જોડાયા

Advertisment
ભરૂચના ઝાડેશ્વર વિસ્તારમાં આવેલ તુલસીધામ નજીક ઓરિયન આર્કેટ શોપિંગ સેન્ટરના વેપારીઓ દ્વારા આતંકીઓના પૂતળાનું દહન કરાયું હતું સાથે જ હુમલામાં મૃત્યુ પામેલા લોકોને શ્રદ્ધાસુમન અર્પણ કરાયા હતા
ભરૂચના ઝાડેશ્વર વિસ્તારમાં આવેલા તુલસીધામ નજીક ઓરિયન આર્કેડ શોપિંગ સેન્ટર ખાતે આતંકી હુમલામાં શહીદ થયેલા લોકો માટે શ્રદ્ધાંજલિ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં વેપારીઓ, સ્થાનિક રહીશો તથા સામાજિક કાર્યકરો જોડાયા હતા. હુમલામાં શહીદ થયેલા નિર્દોષ નાગરિકોને શ્રદ્ધાંજલિ અર્પવા માટે ઉપસ્થિત લોકોએ કાળી પટ્ટી ધારણ કરીને શોક વ્યક્ત કર્યો હતો અને પૂતળા દહન કરી આતંકવાદ વિરુદ્ધ ઉગ્ર આક્રોશ દર્શાવ્યો હતો. આ કાર્યક્રમમાં ભાજપના જિલ્લા પ્રમુખ પ્રકાશ મોદી, પૂર્વ ભાજપ જિલ્લા પ્રમુખ મારુતિસિંહ અટોદરિયા, ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, યુવા ભાજપ પ્રમુખ રૂષભ પટેલ, નિરલ પટેલ તેમજ ઓરિયન આર્કેડના વેપારી સભ્યો તથા સ્થાનિક નાગરિકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
Advertisment
Latest Stories