ભરૂચ: વૈષ્ણવજનોએ રંગોના બદલે ફૂલોથી ઉજવી હોળી, 200 કીલો ફુલથી પુષ્પવર્ષા !

ભરૂચ વલ્લભ યુથ ઓર્ગેનાઈઝેશન દ્વારા રસિયા હોળીના પર્વની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા

New Update
  • ભરૂચમાં કરવામાં આવ્યું આયોજન

  • જે.પી.કોલેજના ગ્રાઉન્ડ પર આયોજન

  • વલ્લભ યુથ ઓર્ગેનાઈઝેશન દ્વારા આયોજન કરાયું

  • રસિયા હોળીનો કાર્યક્રમ યોજાયો

  • ફુલથી રમાતી હોળીમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા

ભરૂચ વલ્લભ યુથ ઓર્ગેનાઈઝેશન દ્વારા રસિયા હોળીના પર્વની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા
વૈષ્ણવ સમાજ માટે હોળીનું પર્વ અદકેરૂ મહત્વ ધરાવે છે. હોળી પહેલાં જ તેઓ અલગ અલગ પ્રકારે ઉજવણી કરતાં હોય છે.ભરૂચમાં વલ્લભ યુથ ઓર્ગેનાઇઝેશનના ઉપક્રમે જે.પી  કોલેજના ગ્રાઉન્ડ  ખાતે 108 શ્રી વ્રજરાજકુમારજી મહોદયના સાંનિધ્યમાં રસિયા હોળીની ઉજવણી કરવામાં આવી હતી.200 કિલોથી વધુ ફૂલોથી સૌ કોઇ રસિયા હોળી રમ્યાં હતાં.વૈષ્ણવો કીર્તનના તાલથી ઝુમી ઉઠ્યા હતાં અને વૃંદાવન જેવો માહોલ સર્જાયો હતો.માત્ર વૈષ્ણવજનો જ નહિ પણ અન્ય સમાજના લોકોએ પણ હાજર રહીને રસિયા હોળીનો લ્હાવો લઇને ધન્યતા અનુભવી હતી.લોકોએ પુષ્પવર્ષા કરીને પર્વનો આનંદ ઉઠાવ્યો હતો.
Read the Next Article

ભરૂચ: દિગ્ગજ નેતા મર્હુમ અહેમદ પટેલની આજે જન્મ જયંતિ, કોંગ્રેસ દ્વારા પુષ્પાંજલી અર્પણ કરાય

ભરૂચ કોંગ્રેસના દિગ્ગજ નેતા અને રાજ્યસભાના સાંસદ રહી ચૂકેલા મર્હુમ અહેમદ પટેલની જન્મ જયંતિ નિમિત્તે ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા આજે કાર્યાલય ખાતે પુષ્પાંજલિ અર્પણ કરવાનો કાર્યક્રમ યોજાયો હતો.

New Update
  • ભરૂચ જિલ્લા કોંગ્રેસ દ્વારા યોજાયો કાર્યક્રમ

  • મર્હુમ અહેમદ પટેલનું જન્મજયંતિ નિમિત્તે કાર્યક્રમ

  • અહેમદ પટેલની પ્રતિકૃતિને પુષ્પાંજલી અર્પણ કરાય

  • કોંગ્રેસના આગેવાનો રહ્યા ઉપસ્થિત

  • અહેમદ પટેલના કાર્યોને યાદ કરાયા

ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા મર્હુમ અહેમદ પટેલની જન્મ જયંતિ નિમિત્તે તેઓને શ્રદ્ધાંજલિ અર્પણ કરતો કાર્યક્રમ યોજાયો હતો
ભરૂચ કોંગ્રેસના દિગ્ગજ નેતા અને રાજ્યસભાના સાંસદ રહી ચૂકેલા મર્હુમ અહેમદ પટેલની જન્મ જયંતિ નિમિત્તે ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા આજે કાર્યાલય ખાતે પુષ્પાંજલિ અર્પણ કરવાનો કાર્યક્રમ યોજાયો હતો.આ પ્રસંગે જિલ્લા કોંગ્રેસ પ્રમુખ રાજેન્દ્રસિંહ રણા, પૂર્વ પ્રમુખ પરિમલસિંહ રણા, શહેર પ્રમુખ સલીમ અમદાવાદી,હેમેન્દ્ર કોઠીવાલા સહિતના આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. અહેમદ પટેલે પોતાના રાજકીય જીવનમાં કોંગ્રેસ પાર્ટી માટે અવિસ્મરણીય યોગદાન આપ્યું હતું ત્યારે તેઓના કાર્યોને યાદ કરવામાં આવ્યા હતા