ભરૂચ: પાંજરાપોળ ખાતે વેલેન્ટાઇન ડેની માતૃપિતૃ પૂજન દિવસ તરીકે ઉજવણી કરાય

તારીખ 14 મી ફેબ્રુઆરીની સમગ્ર વિશ્વમાં વેલેન્ટાઈન ડે તરીકે ઉજવણી કરવામાં આવે છે પરંતુ ભરૂચ પાંજરાપોળ ખાતે સનાતન સંસ્કૃતિને ટકાવવા માટે માતૃપિતૃ પૂજન દિવસ તરીકે ઉજવણી કરવામાં આવી હતી.

New Update
  • આજે તારીખ 14 ફેબ્રુઆરી વેલેન્ટાઈન ડે

  • ભરૂચ પાંજરાપોળ ખાતે કરવામાં આવી ઉજવણી

  • માતૃપિતૃ પૂજન દિવસ તરીકે ઉજવણી કરાય

  • બાળકોએ માતાપિતાનું કર્યું પૂજન

  • આગેવાનો રહ્યા ઉપસ્થિત

ભરૂચ પાંજરાપોળ ખાતે આજરોજ ૧૪મી ફેબ્રુઆરી વેલેન્ટાઇન ડે ની માતૃપિતૃ પૂજન દિવસ તરીકે ઉજવણી કરવામાં આવી હતી
તારીખ 14 મી ફેબ્રુઆરીની સમગ્ર વિશ્વમાં વેલેન્ટાઈન ડે તરીકે ઉજવણી કરવામાં આવે છે પરંતુ ભરૂચ પાંજરાપોળ ખાતે સનાતન સંસ્કૃતિને ટકાવવા માટે માતૃપિતૃ પૂજન દિવસ તરીકે ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સર કાર્યવાહ કૌશલ પટેલ, વિશ્વ હિન્દુ પરિષદના વિરલ દેસાઈ, નીલકંઠ નગર પ્રાથમિક શાળાના આચાર્ય માયાબેન જાદવ તેમજ પાંજરાપોળના ટ્રસ્ટી મહેન્દ્ર કંસારા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા ભરૂચના કર્મકાંડી બ્રાહ્મણ રિદ્ધેશ પંડ્યા દ્વારા શાસ્ત્રોક્ત વિધિ અનુસાર બાળકો પાસે તેમના માતા પિતાનું પૂજન કરાવાયું હતું સાથે જ બાળકોને માતૃ પિતૃ પૂજનનું મહત્વ પણ સમજાવવામાં આવ્યું હતું
Read the Next Article

ભરૂચ જિલ્લા ભાજપ દ્વારા ભવ્ય તિરંગા યાત્રા યોજાય, દેશપ્રેમના રંગ જોવા મળ્યા

ભરૂચ જિલ્લા ભાજપ દ્વારા માતરીયા તળાવથી સ્ટેચ્યુ પાર્ક સુધી ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. સ્વતંત્રતા પર્વની ઉજવણીના ભાગરૂપે ભરૂચમાં જિલ્લા

New Update

ભરૂચમાં કરવામાં આવ્યું આયોજન

ભાજપ દ્વારા આયોજન કરાયું

તિરંગા યાત્રાનું આયોજન

આગેવાનો અને કાર્યકરો જોડાયા

દેશભક્તિના રંગ જોવા મળ્યા

ભરૂચ જિલ્લા ભાજપ દ્વારા માતરીયા તળાવથી સ્ટેચ્યુ પાર્ક સુધી ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. 

સ્વતંત્રતા પર્વની ઉજવણીના ભાગરૂપે ભરૂચમાં જિલ્લા ભાજપ દ્વારા ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી, ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, મહામંત્રી નિરલ પટેલ, શહેર પ્રમુખ જતીન શાહ સહિત પક્ષના અગ્રણીઓ, હોદ્દેદારો અને મોટી સંખ્યામાં યુવાનો જોડાયા હતા. હાથમાં તિરંગો લહેરાવતા કાર્યકરો દેશભક્તિના સૂત્રોચ્ચાર કરતા આગળ વધતા નજરે પડ્યા હતા.ભાજપ દ્વારા હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત યોજાયેલી આ યાત્રા દરમિયાન શહેરના મુખ્ય માર્ગો પર દેશપ્રેમનો જુસ્સો છલકાતો જોવા મળ્યો હતો. યાત્રામાં દેશભક્તિ ગીતો, સૂત્રોચ્ચારો અને તિરંગાની લહેરાટ સાથે ઉત્સાહનો માહોલ છવાયો હતો.