ભરૂચ: બ્રીટાનીયા કંપનીના હડતાલ પર ઉતરેલા કર્મચારીઓને વાલિયા યુથ પાવર સંગઠને ટેકો જાહેર કર્યો

ભરૂચના વાલિયા યુથ પાવર સંગઠન દ્વારા હડતાળ ઉપર ઉતરેલ બ્રિટાનિયા કંપનીના કર્મચારીઓને સમર્થન આપી તેઓની માંગ સંતોષાય તેવી માંગ કરવામાં આવી હતી.

author-image
By Connect Gujarat
New Update

છેલ્લા 8 દિવસથી કર્મચારીઓની હડતાળ યથાવત, પગાર વધારા સહિતની માંગને લઈ હડતાળ

છેલ્લા આઠ દિવસથી ભરૂચની ઝઘડિયા ઐદ્યોગિક વસાહતમાં આવેલ બ્રિટાનિયા કંપનીના કર્મચારીઓએ પગાર વધારા સહિત અન્ય પડતર પ્રશ્નોને લઈ હડતાલનું શાસ્ત્ર ઉગામ્યું છે. 

સતત આઠમાં દિવસથી કર્મચારીઓ કંપનીના ગેટની બહાર હડતાલ પર ઉતર્યા છે ત્યારે આજે વાલિયા યુથ પાવરના અધ્યક્ષ રજની વસાવા, વિનય વસાવા,વિજય વસાવા અને ઉમરપાડા ગામના આગેવાન ચિરાગસિંહ વસાવા સહિતના સભ્યો બ્રિટાનિયા કંપની ખાતે પહોંચ્યા હતા અને હડતાળ ઉપર ઉતરેલ કર્મચારી સાથે વાતાઘાટો કરી તેઓની માંગ સ્વીકારવામાં નહીં આવે તો તેઓના આંદોલનમાં સહભાગી બની ન્યાયની માંગ કરી હતી.

Read the Next Article

ભરૂચ: ક્ષત્રિય આગેવાન પી.ટી.જાડેજાને જેલ મુક્ત કરવાની માંગ, પાસા હેઠળ કરવામાં આવી છે અટકાયત

અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘના આંતરરાષ્ટ્રીય અધ્યક્ષ પી.ટી.જાડેજાની પાસા કાયદા હેઠળ જેલમાં કેદ કરવામાં આવ્યા છે. તેઓને તાત્કાલિક જેલ મુક્ત કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી

New Update
  • ભરૂચ કલેકટરને આવેદનપત્ર પાઠવાયું

  • રાજપૂત યુવા સંઘ દ્વારા આવેદનપત્ર પાઠવાયું

  • ક્ષત્રિય આગેવાન પીટી જાડેજાને મુક્ત કરવા માંગ

  • પાસા હેઠળ કરવામાં આવી છે અટકાયત

  • ખોટી રીતે કાર્યવાહી કરાય હોવાના આક્ષેપ

અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘના આંતરરાષ્ટ્રીય અધ્યક્ષ પી.ટી.જાડેજાને તાત્કાલિક જેલ મુક્ત કરવાની માંગ સાથે ભરૂચ જિલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવાયું હતું.
ભરૂચ જિલ્લા કલેકટર કચેરી ખાતે અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘના પ્રદેશ મંત્રી સહિત સમાજના તમામ સભ્યોએ એક આવેદનપત્ર પાઠવ્યું હતું.જેમાં જણાવ્યા અનુસાર અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘના આંતરરાષ્ટ્રીય અધ્યક્ષ પી.ટી.જાડેજાની પાસા કાયદા હેઠળ જેલમાં કેદ કરવામાં આવ્યા છે.જેના સામે સમાજના તમામ સંગઠનોએ વખોડી કાઢી તેઓને તાત્કાલિક જેલ મુક્ત કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે રાજકોટમાં અમરનાથ મંદિરમાં આરતી કરવા જેવી બાબતે બોલાચાલી થતાં ધમકી આપવામાં આવી હોવાના આક્ષેપ સાથેની ઓડિયો-ક્લિપ સોશિયલ મીડિયામાં વાઇરલ થઈ હતી. એ બાદ તેમને પાસા હેઠળ અમદાવાદ સાબરમતી જેલ ખાતે મોકલવા કાર્યવાહી કરવામાં આવી હતી.