ભરૂચ: બ્રીટાનીયા કંપનીના હડતાલ પર ઉતરેલા કર્મચારીઓને વાલિયા યુથ પાવર સંગઠને ટેકો જાહેર કર્યો

ભરૂચના વાલિયા યુથ પાવર સંગઠન દ્વારા હડતાળ ઉપર ઉતરેલ બ્રિટાનિયા કંપનીના કર્મચારીઓને સમર્થન આપી તેઓની માંગ સંતોષાય તેવી માંગ કરવામાં આવી હતી.

author-image
By Connect Gujarat
New Update

છેલ્લા 8 દિવસથી કર્મચારીઓની હડતાળ યથાવત, પગાર વધારા સહિતની માંગને લઈ હડતાળ

Advertisment

છેલ્લા આઠ દિવસથી ભરૂચની ઝઘડિયા ઐદ્યોગિક વસાહતમાં આવેલ બ્રિટાનિયા કંપનીના કર્મચારીઓએ પગાર વધારા સહિત અન્ય પડતર પ્રશ્નોને લઈ હડતાલનું શાસ્ત્ર ઉગામ્યું છે. 

સતત આઠમાં દિવસથી કર્મચારીઓ કંપનીના ગેટની બહાર હડતાલ પર ઉતર્યા છે ત્યારે આજે વાલિયા યુથ પાવરના અધ્યક્ષ રજની વસાવા, વિનય વસાવા,વિજય વસાવા અને ઉમરપાડા ગામના આગેવાન ચિરાગસિંહ વસાવા સહિતના સભ્યો બ્રિટાનિયા કંપની ખાતે પહોંચ્યા હતા અને હડતાળ ઉપર ઉતરેલ કર્મચારી સાથે વાતાઘાટો કરી તેઓની માંગ સ્વીકારવામાં નહીં આવે તો તેઓના આંદોલનમાં સહભાગી બની ન્યાયની માંગ કરી હતી.

Advertisment
Read the Next Article

ભરૂચ : DGVCL દ્વારા માતરીયા ઇન્ટેકવેલ પર  કામગીરીને પગલે વીજ અને  પાણી પુરવઠો રહેશે બંધ

ભરૂચ શહેરના માતરીયા ઇન્ટેકવેલ પર દક્ષિણ ગુજરાત વીજ કંપની દ્વારા મેન્ટેનન્સની કામગીરીને પગલે વીજ સપ્લાય બંધ રહેશે,જેના કારણે શહેરીજનોને અપાતો પાણી પુરવઠો પણ ખોરવાશે.

New Update
power cut

ભરૂચ શહેરના માતરીયા ઇન્ટેકવેલ પર દક્ષિણ ગુજરાત વીજ કંપની દ્વારા મેન્ટેનન્સની કામગીરીને પગલે વીજ સપ્લાય બંધ રહેશે,જેના કારણે શહેરીજનોને અપાતો પાણી પુરવઠો પણ ખોરવાશે.

Advertisment

aa

ભરૂચ નગરપાલિકા દ્વારા એક અખબારી યાદી જાહેર કરીને જણાવવામાં આવ્યું છે કે તારીખ 30-05-2025ને શુક્રવારના રોજ દક્ષિણ ગુજરાત વીજ કંપની તરફથી માતરીયા ઇન્ટેકવેલ ઉપર અપાતો વીજ પુરવઠો સવારના 7 કલાકથી બપોરેના 1 કલાક સુધી બંધ રાખવામાં આવશે.જેના કારણે શુક્રવારના રોજ સવારના 7 કલાકથી તમામ ટાંકી પરથી અપાતો પાણી પુરવઠો પણ બંધ રહેશે.જોકે તારીખ 31-05-2025ને શનિવારના રોજ તમામ વિસ્તારમાં રાબેતા મુજબ પાણી પુરવઠો રાબેતા મુજબ મળશે.

Advertisment