ભરૂચ: રૂ.1.28 કરોડના વિકાસના વિવિધ કાર્યોનું MLA રમેશ મિસ્ત્રીના હસ્તે ખાતમુર્હુત

ભરૂચ નગર સેવા સદનના વોર્ડ નંબર આઠમાં વિકાસના વિવિધ કાર્યોનું ધારાસભ્ય રમેશ મિસ્ત્રીના હસ્તે ખાતમુર્હુત કરવામાં આવ્યુ હતું

New Update

ભરૂચમાં વિકાસના કાર્યોનો ધમધમાટ

વિવિધ કાર્યોનું ખાતમુર્હુત

રૂ.1.28 કરોડના ખર્ચે થશે વિકાસના કામો

ડ્રેનેજ, રસ્તા અને પેવર બ્લોકના કામોનો સમાવેશ

ધારાસભ્ય રમેશ મિસ્ત્રી રહ્યા ઉપસ્થિત

ભરૂચ નગર સેવા સદનના વોર્ડ નંબર આઠમાં વિકાસના વિવિધ કાર્યોનું ધારાસભ્ય રમેશ મિસ્ત્રીના હસ્તે ખાતમુર્હુત કરવામાં આવ્યુ હતું
ભરૂચમાં દિવાળી પૂર્વે વિકાસના કામોનો ધમધમાટ જોવા મળી રહ્યો છે ત્યારે આજરોજ વિકાસના વિવિધ કાર્યોનું ધારાસભ્ય રમેશ મિસ્ત્રીના હસ્તે ખાતમુર્હુત કરવામાં આવ્યું હતું જેમાં વોર્ડ નંબર આઠમાં રૂપિયા 94 લાખના ખર્ચે પાંચબત્તીથી સ્ટેશન રોડ અને આલી સુધીની ડ્રેનેજ લાઈન તેમજ રૂપિયા ૩૪ લાખના ખર્ચે પેવર બ્લોકના કામ અને રસ્તાના કામનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આમ કુલ 1.28 કરોડના વિકાસના વિવિધ કાર્યોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.આ પ્રસંગે નગરપાલિકાના પ્રમુખ વિભૂતિ યાદવ, ભરૂચ જિલ્લા ભાજપના પ્રમુખ મારુતિસિંહ અટોદરિયા, નગરપાલિકાની કારોબારી સમિતિના ચેરમેન હેમેન્દ્ર પ્રજાપતિ, જિલ્લા ભાજપના દિવ્યેશ પટેલ સહિતના આગેવાનો તેમજ સ્થાનિક નગરસેવકો ઉપસ્થિત રહ્યા હતા. આગામી સમયમાં વોર્ડ નંબર આઠમાં રૂપિયા ૮૦ લાખના ખર્ચે વિકાસના અન્ય  કાર્યો પણ કરવામાં આવશે.
Read the Next Article

ભરૂચ: નર્મદા પરિક્રમાવાસીઓ માટે CM ભુપેન્દ્ર પટેલનો મહત્વનો નિર્ણય, હાંસોટના વમલેશ્વરમાં 100091 ચો.મી.જમીન ફાળવાય

ભરૂચના હાંસોટના વમલેશ્વર ખાતે નર્મદા પરિક્રમા પથના યાત્રાધામોના વિકાસ માટે મુખ્યમંત્રીએ મહત્વપૂર્ણ નિર્ણય લઈ 10091 ચો. મીટર જમીનની ફાળવણી કરી છે.

New Update
bhupendra

ભરૂચના હાંસોટના વમલેશ્વર ખાતે નર્મદા પરિક્રમા પથના યાત્રાધામોના વિકાસ માટે મુખ્યમંત્રીએ મહત્વપૂર્ણ નિર્ણય લઈ 10091 ચો. મીટર જમીનની ફાળવણી કરી છે.

નર્મદા પરિક્રમા માર્ગ પર આવેલા યાત્રાધામો અને પરિક્રમાપથ ખાતે યાત્રાધામોના વિકાસની કામગીરી અર્થે પ્રવાસન ખાતા (ઉદ્યોગ અને ખાણ) વિભાગને વહીવટી હુકમ- 3 હેઠળ જમીન તબદીલ કરી આપવામાં આવી છે.ગુજરાત રાજ્યમાં નર્મદા પરિક્રમા આગવી ઓળખ સાથે ધાર્મિક મહત્વ ધરાવે છે. વમલેશ્વર યાત્રાધામ સહિત નર્મદા પરિક્રમા માર્ગ પર આવેલા અને પરિક્રમાપથના યાત્રાધામોના વિકાસથી ગુજરાત અને મઘ્યપ્રદેશ રાજ્યના હજારો પરિક્રમાવાસીઓ અને શ્રદ્ધાળુને પડતી વિવિધ મુશ્કેલીઓ હવે ભૂતકાળ બનશે.રાજ્ય સરકારના આ સંવેદનશીલ નિર્ણયથી ખરા અર્થમાં ભરૂચ જિલ્લામાં પ્રવાસન વિભાગને પ્રોત્સાહન મળશે તેમજ સ્થાનિકોને પણ તેનો લાભ થનાર છે. નર્મદા પરિક્રમા માર્ગ પર આવેલા યાત્રાધામો અને પરિક્રમાપથ ખાતે યાત્રાધામોના વિકાસની કામગીરી અર્થે મહત્વનો નિર્ણય લઇ જમીન ફાળવવાની મુખ્યમંત્રીએ મંજૂરી આપી છે. પ્રવાસન ખાતા દ્વારા વમલેશ્વર ખાતે સર્વે નંબર 553 ની 10091 ચોરસ મીટર જમીન ફાળવવા અંગે સરકારમાં માંગણી કરવામાં આવી હતી. જેને અનુલક્ષી મુખ્યમંત્રીએ આ નિર્ણય કર્યો છે.
ભરૂચ જિલ્લાના હાંસોટ તાલુકામાં આવેલું વમલેશ્વર ધાર્મિક સ્થળોમાં ખૂબ વિખ્યાત યાત્રાધામ છે. આ યાત્રાધામ સાથે નર્મદા પરિક્રમા ખૂબ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. વહીવટી મંજૂર હુકમ 3 હેઠળ તબદીલ કરતા મુખ્યમંત્રીનો આ નિર્ણય મહત્વપૂર્ણ બની રહેશે.