ભરૂચ: રૂ.1.28 કરોડના વિકાસના વિવિધ કાર્યોનું MLA રમેશ મિસ્ત્રીના હસ્તે ખાતમુર્હુત

ભરૂચ નગર સેવા સદનના વોર્ડ નંબર આઠમાં વિકાસના વિવિધ કાર્યોનું ધારાસભ્ય રમેશ મિસ્ત્રીના હસ્તે ખાતમુર્હુત કરવામાં આવ્યુ હતું

New Update

ભરૂચમાં વિકાસના કાર્યોનો ધમધમાટ

વિવિધ કાર્યોનું ખાતમુર્હુત

રૂ.1.28 કરોડના ખર્ચે થશે વિકાસના કામો

ડ્રેનેજ, રસ્તા અને પેવર બ્લોકના કામોનો સમાવેશ

ધારાસભ્ય રમેશ મિસ્ત્રી રહ્યા ઉપસ્થિત

ભરૂચ નગર સેવા સદનના વોર્ડ નંબર આઠમાં વિકાસના વિવિધ કાર્યોનું ધારાસભ્ય રમેશ મિસ્ત્રીના હસ્તે ખાતમુર્હુત કરવામાં આવ્યુ હતું
ભરૂચમાં દિવાળી પૂર્વે વિકાસના કામોનો ધમધમાટ જોવા મળી રહ્યો છે ત્યારે આજરોજ વિકાસના વિવિધ કાર્યોનું ધારાસભ્ય રમેશ મિસ્ત્રીના હસ્તે ખાતમુર્હુત કરવામાં આવ્યું હતું જેમાં વોર્ડ નંબર આઠમાં રૂપિયા 94 લાખના ખર્ચે પાંચબત્તીથી સ્ટેશન રોડ અને આલી સુધીની ડ્રેનેજ લાઈન તેમજ રૂપિયા ૩૪ લાખના ખર્ચે પેવર બ્લોકના કામ અને રસ્તાના કામનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આમ કુલ 1.28 કરોડના વિકાસના વિવિધ કાર્યોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.આ પ્રસંગે નગરપાલિકાના પ્રમુખ વિભૂતિ યાદવ, ભરૂચ જિલ્લા ભાજપના પ્રમુખ મારુતિસિંહ અટોદરિયા, નગરપાલિકાની કારોબારી સમિતિના ચેરમેન હેમેન્દ્ર પ્રજાપતિ, જિલ્લા ભાજપના દિવ્યેશ પટેલ સહિતના આગેવાનો તેમજ સ્થાનિક નગરસેવકો ઉપસ્થિત રહ્યા હતા. આગામી સમયમાં વોર્ડ નંબર આઠમાં રૂપિયા ૮૦ લાખના ખર્ચે વિકાસના અન્ય  કાર્યો પણ કરવામાં આવશે.
Read the Next Article

અંકલેશ્વર: NH 48 પર ટ્રાફિકજામની રોજિંદી સમસ્યા, બિસ્માર માર્ગોના પગલે સમસ્યા

અંકલેશ્વર નેશનલ હાઇવે પર  આમલાખાડી પરના બિસ્માર બ્રિજ અને હાઇવેનો માર્ગ ખખડધજ બનતા સતત ટ્રાફિકજામની પરિસ્થિતિનું નિર્માણ થઈ રહ્યું છે. અંકલેશ્વર નેશનલ હાઇવે

New Update
MixCollage-09-Jul-2025-08-21-PM-8778

અંકલેશ્વર નેશનલ હાઇવે પર  આમલાખાડી પરના બિસ્માર બ્રિજ અને હાઇવેનો માર્ગ ખખડધજ બનતા સતત ટ્રાફિકજામની પરિસ્થિતિનું નિર્માણ થઈ રહ્યું છે.

અંકલેશ્વર નેશનલ હાઇવે ઉપર આવેલ આમલાખાડી પરનો બ્રિજ છેલ્લા ઘણા સમયથી બિસ્માર બન્યો છે.બીજી તરફ ચોમાસુ જામતા જ હાઇવે પર ખાડાઓની ભરમાર છે.તેવામાં રોજેરોજ ટ્રાફિકજામની પરિસ્થિતિનું નિર્માણ થતા વાહન ચાલકો હેરાન પરેશાન બન્યા છે.વાહનોનું ભારણ અને બ્રિજ જર્જરિત,રસ્તા પર ખાડાઓ પડતા વાહન ચાલકો પોતાનો કિંમતી સમય સાથે ઇંધણ બગાડી રહ્યા છે.દિવસે દિવસે માથાના દુખાવા સમાન બનેલ આ ટ્રાફિકની સમસ્યા હલ કરવામાં આવે તે જરૂરી છે.તંત્ર યોગ્ય નિરાકરણ લાવે એવી વાહનચાલકો માંગ કરી રહ્યા છે