ભરૂચ : શ્રી નીલકંઠેશ્વર મહાદેવ મંદિર-ઝાડેશ્વર ખાતે રામનવમી નિમિત્તે વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાયા…

ભરૂચ શહેરના ઝાડેશ્વર વિસ્તાર સ્થિત શ્રી નીલકંઠેશ્વર મહાદેવ મંદિર ખાતે રામ નવમીના પવિત્ર પર્વ નિમિત્તે ભગવાન શ્રી રામને પારણે ઝુલવવા સહિતના વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા.

New Update
  • શ્રી નીલકંઠેશ્વર મહાદેવ મંદિર-ઝાડેશ્વર ખાતે કરાયું આયોજન

  • ચૈત્ર સુદ નોમને રામનવમી નિમિત્તે ધાર્મિક કાર્યક્રમો યોજાયા

  • ભગવાન શ્રી રામને પારણે ઝુલવવા સહિત કાર્યક્રમો યોજાયા

  • મહાપૂજામહા આરતી તથા પ્રસાદીનો ભક્તોએ લ્હાવો લીધો

  • વિવિધ ધાર્મિક કાર્યક્રમોનો લ્હાવો લઈ શ્રધ્ધાળુઓ ધન્ય થયા

ભરૂચ શહેરના ઝાડેશ્વર વિસ્તાર સ્થિત શ્રી નીલકંઠેશ્વર મહાદેવ મંદિર ખાતે રામ નવમીના પવિત્ર પર્વ નિમિત્તે ભગવાન શ્રી રામને પારણે ઝુલવવા સહિતના વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા.

ભરૂચ શહેરના ઝાડેશ્વર વિસ્તારમાં આવેલ નર્મદા નદીના કિનારે શ્રી નીલકંઠેશ્વર મહાદેવ મંદિર ખાતે આજરોજ ચૈત્ર સુદ નોમ રામ નવમી નિમિત્તે નીલકંઠેશ્વર મહાદેવ મંદિરમાં ભગવાન શ્રી રામને પારણે ઝુલાવવામાં આવ્યા હતા. આ સાથે જ મહાપૂજા અને મહા આરતી તથા પ્રસાદી સહિત વિવિધ ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેનો મોટી સંખ્યામાંઉપસ્થિત શ્રધ્ધાળુઓએલ્હાવોધન્યતા અનુભવી હતી.

Read the Next Article

ભરૂચ: આમોદના રોંધ ગામ નજીક કાર અને ટ્રક વચ્ચે અકસ્માત, કારમાં સવાર 6 લોકોને ઇજા

ભરૂચના આમોદ તાલુકામાં ગમખ્વાર માર્ગ અકસ્માતમાં છ વ્યક્તિઓ ઇજાગ્રસ્ત થયા હતા. રોધ ગામના પાટિયા પાસે એક ઇકો ગાડી અને ટ્રક વચ્ચે જોરદાર ટક્કર થતા આ દુર્ઘટના સર્જાઈ હતી,

New Update
MixCollage-27-Jul-2025-09-14-PM-1191

ભરૂચના આમોદ તાલુકામાં ગમખ્વાર માર્ગ અકસ્માતમાં છ વ્યક્તિઓ ઇજાગ્રસ્ત થયા હતા. રોધ ગામના પાટિયા પાસે એક ઇકો ગાડી અને ટ્રક વચ્ચે જોરદાર ટક્કર થતા આ દુર્ઘટના સર્જાઈ હતી, જેના કારણે થોડા સમય માટે ટ્રાફિક પણ ખોરવાઈ ગયો હતો.

સાંજના સમયે બનેલી આ ઘટનામાં જંબુસર તાલુકાના ઉચ્છદ ગામના રહેવાસીઓ ઇકો ગાડીમાં સવાર હતા તેઓ દેથાણ ગામેથી પરત ફરી રહ્યા હતા ત્યારે રોધ ગામના પાટિયા પાસે તેમની ગાડી ટ્રક સાથે ધડાકાભેર અથડાઈ હતી.આ અકસ્માતમાં ઇકો ગાડીને ભારે નુકસાન થયું હતું અને તેમાં સવાર તમામ છ લોકોને ગંભીર ઇજાઓ પહોંચી હતી. અકસ્માત થતા જ આસપાસના લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને મદદ માટે ૧૦૮ એમ્બ્યુલન્સને જાણ કરી હતી. ૧૦૮ની ટીમ તાત્કાલિક પહોંચી ઇજાગ્રસ્તોને આમોદ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડવામાં આવ્યા હતા.જોકે ઇજાની ગંભીરતા જોતા, વધુ સારવાર અર્થે તેમને જંબુસરની હોસ્પિટલમાં રીફર કરવામાં આવ્યા હતા.