ભરૂચ : શ્રી નીલકંઠેશ્વર મહાદેવ મંદિર-ઝાડેશ્વર ખાતે રામનવમી નિમિત્તે વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાયા…

ભરૂચ શહેરના ઝાડેશ્વર વિસ્તાર સ્થિત શ્રી નીલકંઠેશ્વર મહાદેવ મંદિર ખાતે રામ નવમીના પવિત્ર પર્વ નિમિત્તે ભગવાન શ્રી રામને પારણે ઝુલવવા સહિતના વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા.

New Update
  • શ્રી નીલકંઠેશ્વર મહાદેવ મંદિર-ઝાડેશ્વર ખાતે કરાયું આયોજન

  • ચૈત્ર સુદ નોમને રામનવમી નિમિત્તે ધાર્મિક કાર્યક્રમો યોજાયા

  • ભગવાન શ્રી રામને પારણે ઝુલવવા સહિત કાર્યક્રમો યોજાયા

  • મહાપૂજામહા આરતી તથા પ્રસાદીનો ભક્તોએ લ્હાવો લીધો

  • વિવિધ ધાર્મિક કાર્યક્રમોનો લ્હાવો લઈ શ્રધ્ધાળુઓ ધન્ય થયા

ભરૂચ શહેરના ઝાડેશ્વર વિસ્તાર સ્થિત શ્રી નીલકંઠેશ્વર મહાદેવ મંદિર ખાતે રામ નવમીના પવિત્ર પર્વ નિમિત્તે ભગવાન શ્રી રામને પારણે ઝુલવવા સહિતના વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા.

ભરૂચ શહેરના ઝાડેશ્વર વિસ્તારમાં આવેલ નર્મદા નદીના કિનારે શ્રી નીલકંઠેશ્વર મહાદેવ મંદિર ખાતે આજરોજ ચૈત્ર સુદ નોમ રામ નવમી નિમિત્તે નીલકંઠેશ્વર મહાદેવ મંદિરમાં ભગવાન શ્રી રામને પારણે ઝુલાવવામાં આવ્યા હતા. આ સાથે જ મહાપૂજા અને મહા આરતી તથા પ્રસાદી સહિત વિવિધ ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત શ્રધ્ધાળુઓએ લ્હાવો ધન્યતા અનુભવી હતી.

Read the Next Article

ભરૂચ: નર્મદા પરિક્રમાવાસીઓ માટે CM ભુપેન્દ્ર પટેલનો મહત્વનો નિર્ણય, હાંસોટના વમલેશ્વરમાં 100091 ચો.મી.જમીન ફાળવાય

ભરૂચના હાંસોટના વમલેશ્વર ખાતે નર્મદા પરિક્રમા પથના યાત્રાધામોના વિકાસ માટે મુખ્યમંત્રીએ મહત્વપૂર્ણ નિર્ણય લઈ 10091 ચો. મીટર જમીનની ફાળવણી કરી છે.

New Update
bhupendra

ભરૂચના હાંસોટના વમલેશ્વર ખાતે નર્મદા પરિક્રમા પથના યાત્રાધામોના વિકાસ માટે મુખ્યમંત્રીએ મહત્વપૂર્ણ નિર્ણય લઈ 10091 ચો. મીટર જમીનની ફાળવણી કરી છે.

નર્મદા પરિક્રમા માર્ગ પર આવેલા યાત્રાધામો અને પરિક્રમાપથ ખાતે યાત્રાધામોના વિકાસની કામગીરી અર્થે પ્રવાસન ખાતા (ઉદ્યોગ અને ખાણ) વિભાગને વહીવટી હુકમ- 3 હેઠળ જમીન તબદીલ કરી આપવામાં આવી છે.ગુજરાત રાજ્યમાં નર્મદા પરિક્રમા આગવી ઓળખ સાથે ધાર્મિક મહત્વ ધરાવે છે. વમલેશ્વર યાત્રાધામ સહિત નર્મદા પરિક્રમા માર્ગ પર આવેલા અને પરિક્રમાપથના યાત્રાધામોના વિકાસથી ગુજરાત અને મઘ્યપ્રદેશ રાજ્યના હજારો પરિક્રમાવાસીઓ અને શ્રદ્ધાળુને પડતી વિવિધ મુશ્કેલીઓ હવે ભૂતકાળ બનશે.રાજ્ય સરકારના આ સંવેદનશીલ નિર્ણયથી ખરા અર્થમાં ભરૂચ જિલ્લામાં પ્રવાસન વિભાગને પ્રોત્સાહન મળશે તેમજ સ્થાનિકોને પણ તેનો લાભ થનાર છે. નર્મદા પરિક્રમા માર્ગ પર આવેલા યાત્રાધામો અને પરિક્રમાપથ ખાતે યાત્રાધામોના વિકાસની કામગીરી અર્થે મહત્વનો નિર્ણય લઇ જમીન ફાળવવાની મુખ્યમંત્રીએ મંજૂરી આપી છે. પ્રવાસન ખાતા દ્વારા વમલેશ્વર ખાતે સર્વે નંબર 553 ની 10091 ચોરસ મીટર જમીન ફાળવવા અંગે સરકારમાં માંગણી કરવામાં આવી હતી. જેને અનુલક્ષી મુખ્યમંત્રીએ આ નિર્ણય કર્યો છે.
ભરૂચ જિલ્લાના હાંસોટ તાલુકામાં આવેલું વમલેશ્વર ધાર્મિક સ્થળોમાં ખૂબ વિખ્યાત યાત્રાધામ છે. આ યાત્રાધામ સાથે નર્મદા પરિક્રમા ખૂબ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. વહીવટી મંજૂર હુકમ 3 હેઠળ તબદીલ કરતા મુખ્યમંત્રીનો આ નિર્ણય મહત્વપૂર્ણ બની રહેશે.