ભરૂચ : ઝઘડિયાના હરીપુરા મુખ્ય માર્ગ પર બસ સ્ટેન્ડ બનાવવા સહિત વધુ એક ST બસ ફાળવવા ગ્રામજનોની રજૂઆત...

ઝઘડીયા તાલુકાના હરીપુરા મુખ્ય માર્ગ પર બસ સ્ટેન્ડ બનાવાની ગામના જાગૃત નાગરિકો દ્વારા ભરૂચના સાંસદ મનસુખ વસાવાને મૌખિક રજૂઆત કરવામાં આવી...

New Update
  • ઝઘડિયાના હરીપુરા અને આસપાસના ગ્રામજનોને હાલાકી

  • હરીપુરા મુખ્ય માર્ગ પર બસ સ્ટેન્ડ બનાવવાની માંગ કરી

  • બહાર અભ્યાસ માટે જતાં વિદ્યાર્થીઓને પણ બસની અગવડ

  • વધુ એક બસની ફાળવણી કરવાના આવે તેવી માંગ કરાય

  • જાગૃત ગ્રામજનોની સાંસદ મનસુખ વસાવાને મૌખિક રજૂઆત

ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના હરીપુરા મુખ્ય માર્ગ પર બસ સ્ટેન્ડ બનાવવા અને બસ માટે વિદ્યાર્થીઓને પડતી અગવડ માટે જાગૃત ગ્રામજનોએ સાંસદને મૌખિક રજૂઆત કરી હતી.

ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના હરીપુરા મુખ્ય માર્ગ પર બસ સ્ટેન્ડ બનાવાની ગામના જાગૃત નાગરિકો દ્વારા ભરૂચના સાંસદ મનસુખ વસાવાને મૌખિક રજૂઆત કરવામાં આવી હતી. આ સાથે જ સવારે રાજપીપલાથી આવતી બસ મુસાફરોથી ભરેલી હોવાના કારણે વિદ્યાર્થીઓને ભરૂચઝઘડિયા અને રાજપારડી અભ્યાસ કરવા જવા માટે મુશ્કેલી પડે છે. જેથી બીજી બસની વ્યવસ્થા કરવા પણ રજૂઆત કરવામાં આવી હતી.

ગ્રામજનોએ જણાવ્યું હતું કેરાજપીપલાથી ભરૂચ માટે બસ તો આવે છે. પણ બસમાં વધુ મુસાફરો હોવાથી સીટ ખાલી હોતી નથી. જેથી બસ સ્ટેન્ડ પર બસને ઉભી રાખવામાં આવતી નથી. જેના કારણે રોજ અપ-ડાઉન કરતા હરીપુરારાજપરાઉચ્છબ અને રૂપાણીયા ગામ મળી 4 ગામના વિદ્યાર્થીઓને મજબૂર થઈ ખાનગી વાહનમાં મુસાફરી કરવી પડે છે. જેથી વધુ એક બસ શરૂ કરવા માટે તેમજ હરીપુરા મુખ્ય માર્ગ પર બસ સ્ટેન્ડ બનાવાની મૌખિક રજૂઆત કરવામાં આવી છે.

Read the Next Article

ભરૂચ : નંદેલાવ બ્રિજ નીચે કેમિકલ ભરેલું કન્ટેનર પિલર સાથે ધડાકાભેર અથડાતા મંગલદીપ સોસાયટીની દિવાલ તૂટી

ભરૂચની મઢુલી ચોકડી નજીક કેમિકલ ભરેલ કન્ટેનરના ચાલકે નવા બ્રિજના પિલરને ટક્કર મારી હતી. ત્યારબાદ કન્ટેનર મંગલદીપ સોસાયટીની કમ્પાઉન્ડ વોલ સાથે અથડાતા અફરાતફરી મચી હતી

New Update
  • નંદેલાવ બ્રિજ પાસે સર્જાયો અકસ્માત

  • બેલગામ કન્ટેનર બ્રિજના પિલરમાં ભટકાયું

  • પિલર બાદ મંગલદીપ સોસાયટીમાં પણ અથડાયું

  • સોસાયટીના મંદિરની દીવાલ તૂટતા નુકસાન

  • જાનહાની ટળતા લોકોએ લીધો રાહતનો શ્વાસ

ભરૂચની મઢુલી ચોકડી નજીક કેમિકલ ભરેલ કન્ટેનરના ચાલકે નવા બ્રિજના પિલરને ટક્કર મારી હતી. ત્યારબાદ કન્ટેનર મંગલદીપ સોસાયટીની કમ્પાઉન્ડ વોલ સાથે અથડાતા અફરાતફરી મચી હતી.
 
ભરૂચ દહેજ બાયપાસ માર્ગ પર નંદેલાવ પાસે નવા બ્રિજ નીચે ગુરુવારે એક ગંભીર અકસ્માત થયો હતો. હજીરા અદાણીથી કેમિકલ ભરેલું કન્ટેનર દહેજ સ્થિત મેઘમણી કંપનીમાં જઈ રહ્યું હતું. એ દરમિયાન કન્ટેનર ચાલકનો સ્ટિયરિંગ પર નિયંત્રણ ખોરવાતા કન્ટેનર સીધું નવા પિલરને અથડાઈને સીધુ મંગલદીપ સોસાયટીની મંદિરે જોડાયેલી કમ્પાઉન્ડ વોલમાં ટકરાયું હતું.

આ અકસ્માતમાં બ્રિજના પિલર સાથે સાથે મંદિરની દિવાલને પણ ગંભીર નુકસાન થયું હતું. જોકે, ઘટના દરમિયાન કોઈપણ જાતની જાનહાની ન પહોંચતા લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો. કન્ટેનરનો ચાલક દ્વારા કન્ટેનરને બેલગામ દોડાવવામાં આવી રહ્યું હતું.ઘટનાના પગલે સ્થળ પર તાત્કાલિક ફાયર વિભાગ તથા પોલીસ દોડી આવી હતી. ભારે વજનના કેમિકલ ભરેલા કન્ટેનરને સ્થળ પરથી દૂર કરવા ત્રણ હાઇડ્રાની મદદ લેવાઈ હતી. લાંબા સમય બાદ માર્ગ પર સર્જાયેલો ટ્રાફિક પુનઃ રાબેતા મુજબ થયો હતો.મંગલદીપ સોસાયટીના પ્રમુખ જીતુ  પ્રજાપતિએ જણાવ્યું હતું કે,કન્ટેનર અમારા મંદિરની દીવાલ તોડી ઘૂસી ગયું હતું. સદનસીબે કોઈ વ્યક્તિ ત્યાં નહોતી. પરંતુ આવી ઘટનાઓથી ભવિષ્યમાં વધુ ગંભીર પરિસ્થિતિ ઉભી ન થાય એ માટે પગલાં લેવા જરૂરી છે.