ભરૂચ: મતદાર સુધારણા કાર્યક્રમનો પ્રારંભ, યાદીમાં નામ ઉમેરવા સહિતની કામગીરી કરાઈ

ભરૂચ જિલ્લામાં મતદાર યાદી સુધારણા કાર્યક્રમનો પ્રારંભ થયો છે,વોટિંગ લિસ્ટમાં પોતાનું નામ ઉમેરવા,કમી કરવા સહિતની કામગીરી આ તબક્કે કરવામાં આવી હતી. 

New Update
  • ભરૂચ જિલ્લામાં મતદાર યાદી સુધારણા કાર્યક્રમનો પ્રારંભ 

  • આગામી સપ્તાહના શનિવાર અને રવિવારે પણ યોજાશે કાર્યક્રમ 

  • 18 વર્ષથી ઉપરના લોકો પોતાનું નામ વોટીંગ લિસ્ટમાં નોંધાવી શકે છે 

  • નામનો ઉમેરો,કમી કરવું કે સુધારો કરવા માટેનો મતદારો માટે અવસર 

  • વધુમાં વધુ લોકો કાર્યક્રમનો લાભ લે તેવી કરવામાં આવી અપીલ 

ભરૂચ જિલ્લામાં મતદાર યાદી સુધારણા કાર્યક્રમનો પ્રારંભ થયો છે,વોટિંગ લિસ્ટમાં પોતાનું નામ ઉમેરવા,કમી કરવા સહિતની કામગીરી આ તબક્કે કરવામાં આવી હતી. 
ભરૂચ જિલ્લામાં મતદાર યાદી સુધારણા કાર્યક્રમનો પ્રારંભ થયો છે,જ્યારે જિલ્લાના અનેક ગામોમાં આ કાર્યક્રમમાં લોકો પોતાના નામમાં રહેલી ભૂલો સુધારી અને પોતના નામનો ઉમેરો કરી શકે તે હેતુ સાથે મતદાર યાદી સુધારણા કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે.જે યુવક યુવતીના 18 વર્ષ પુરા થઇ ગયા હોય એવા લોકો આ કાર્યક્રમનો લાભ લઇ શકે છે. મતદાર યાદી સુધારણા કાર્યક્રમ આગામી તારીખ 23 નવેમ્બર 2024ના શનિવાર અને તારીખ 24 નવેમ્બર 2024 રોજ પણ આ કાર્યક્રમ દરેક મતદાન બુથ પર યોજવામાં આવશે. ભરૂચના વોર્ડ નંબર 1ના કાઉન્સિલર સલીમ અમદાવાદીએ ભરૂચ APMC બુથ અને ભરૂચ ડેન્ટલ બુથની મુલાકાત લીધી હતી,અને ભરૂચ શહેરના લોકોને આ કાર્યક્રમનો લાભ લેવા માટે અપીલ કરી હતી.
Read the Next Article

અંકલેશ્વરથી વાલિયા-નેત્રંગને જોડતા માર્ગની કામગીરીમાં ભ્રષ્ટાચારના આક્ષેપ, કોંગ્રેસે આંદોલનની ચીમકી ઉચ્ચારી

ભરૂચના નેત્રંગના કોંગ્રેસી આગેવાન શેરખાન પઠાણ દ્વારા અંકલેશ્વર-વાલિયા માર્ગની કામગીરીમાં ભ્રષ્ટાચાર થયો હોવાના આક્ષેપ સાથે જવાબદાર એજન્સી સહિતના અધિકારીઓ સામે પગલાં ભરવા માંગ કરવામાં આવી છે.

New Update
  • અંકલેશ્વરથી નેત્રંગને જોડતા માર્ગની કામગીરી

  • રૂ.55 કરોડના ખર્ચે માર્ગનું થઈ રહ્યું છે નિર્માણ

  • માર્ગની કામગીરીમાં ભ્રષ્ટાચારના આક્ષેપ

  • કોંગ્રેસ દ્વારા આંદોલનની ચીમકી ઉચ્ચરાય

  • કોર્ટ કેસની પણ ચીમકી

ભરૂચના નેત્રંગના કોંગ્રેસી આગેવાન શેરખાન પઠાણ દ્વારા અંકલેશ્વર-વાલિયા માર્ગની કામગીરીમાં ભ્રષ્ટાચાર થયો હોવાના આક્ષેપ સાથે જવાબદાર એજન્સી સહિતના અધિકારીઓ સામે પગલાં ભરવા માંગ કરવામાં આવી છે.
ભરૂચના વાલિયા તાલુકાના સહકારી આગેવાન અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મહામંત્રી સંદીપસિંહ માંગરોલા બાદ નેત્રંગના કોંગ્રેસી આગેવાન શેરખાન પઠાણ દ્વારા અંકલેશ્વર-વાલિયા માર્ગની કામગીરી અધિકારીઓ અને કોન્ટ્રાકટરની મિલી ભગતથી હલકી ગુણવત્તાની કરવામાં આવતી હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે.અંકલેશ્વર-વાલિયા અને નેત્રંગને જોડતો રાજ્ય ધોરીમાર્ગ નંબર-13 પ્રથમ વરસાદે જ બિસ્માર બન્યો છે.ઠેરઠેર ખાડાઓ અને માર્ગ તૂટી ગયો હોવાથી તેમાં યોગ્ય સામગ્રી વાપરવા નહીં આવી હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે.
ભરૂચ જિલ્લામાં મનરેગા કૌભાંડ સામે આવ્યું છે.તે રીતે 55 કરોડના ખર્ચે બની રહેલ નેત્રંગ-અંકલેશ્વર માર્ગમાં ભ્રષ્ટાચાર થયો હોવા સાથે અધિકારી,કોન્ટ્રાકટર સહિત લાગતા વળતા વિભાગના મંત્રીનો હાથ હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે.જો આ કામગીરી સારી ગુણવત્તાની નહીં કરવામાં આવે તો તાળાબંધીની ચીમકી ઉચ્ચારવામા આવી છે.અને  માર્ગનું નિર્માણ કરનાર શિવાલય ઈંફાસ્ટ્રક્ચર એજન્સી તેમજ અધિકારી સામે કોર્ટ કેસ કરવાની પણ ચીમકી ઉચ્ચારવામા આવી છે.