ભરૂચ: બાર એસો.ના પ્રમુખ સહિત કમિટીની ચૂંટણી માટે મતદાન પ્રક્રિયા યોજાય

ભરૂચ બાર એસોસિએશનના પ્રમુખ સહિત કમિટી મેમ્બરની ચૂંટણી યોજાઈ હતી જેમાં 853 નોંધાયેલા સભ્યોએ મતાધિકારનો ઉપયોગ કર્યો હતો

New Update
  • ભરૂચ બાર એસો.ની ચૂંટણી

  • પ્રમુખ સહિત કમિટીની ચૂંટણી યોજાય

  • 2 પેનલ વચ્ચે જામ્યો જંગ

  • 853 નોંધાયેલા સભ્યો

  • આજે સાંજે જાહેર થશે પરિણામ

ભરૂચ બાર એસોસિએશનના પ્રમુખ સહિત કમિટી મેમ્બરની ચૂંટણી યોજાઈ હતી જેમાં 853 નોંધાયેલા સભ્યોએ મતાધિકારનો ઉપયોગ કર્યો હતો
ભરૂચ બાર એસોસીએશનની ચૂંટણી માટેનું ઉત્તેજના અને ઉત્સાહ ભર્યા માહોલમાં મતદાન  યોજાયું  હતું જેમાં બે પેનલ વચ્ચે ચૂંટણી જંગ જામ્યો હતો.853 સભ્યો ધરાવતા ભરૃચ બાર  એસોસિયેશનના પ્રમુખ, ઉપ પ્રમુખ સહિત કમિટી મેમ્બર ની 16 જગ્યા માટે ન્યાયાલય સંકુલ ખાતે મતદાન પ્રક્રિયા હાથ ધરાઈ હતી.શાંતિભર્યા  માહોલમાં યોજાયેલ ચૂંટણીમાં સહકાર, અને પરિવાર પેનલ વચ્ચે ચૂંટણી જંગ જામ્યો હતો.જેમાં પ્રમુખ પદ માટે સહકાર પેનલ તરફથીપૂર્વ પ્રમુખ પધ્યુમનસિંહ સિંધા તેમજ પરીવાર પેનલના સિપાઈ અજબખાન વચ્ચે જંગ ખેલાયો છે.જોકે પરિણામ  પૂર્વે જ સહકાર પેનલના પ્રમુખ પદના ઉમેદવાર પધ્યુમનસિંહ સિંધાએ  બાર કાઉન્સિલની ચૂંટણીમાં પણ ઉમેદવારી  કરશે તેમ કહ્યું હતું.મતદાન ત્રણ વાગ્યા સુધી યોજાયા બાદ મત ગણતરી હાથ ધરાશે.
Read the Next Article

અંકલેશ્વર: ખરોડ ગામે યુવાનની હત્યા કરનાર આરોપીની ક્રાઇમ બ્રાન્ચે કરી ધરપકડ, અગાઉ થયેલ માથાકૂટની રીસ રાખી હત્યા કરાય

અંકલેશ્વર તાલુકાના ખરોડ ગામેથી મળી આવેલ મૃતદેહના મામલામાં ચોકાવનારો ખુલાસો થયો છે પોલીસે યુવાનની હત્યા કરનાર આરોપીની ધરપકડ કરી તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

New Update

અંકલેશ્વરના ખરોડમાં મળી આવ્યો હતો મૃતદેહ

હત્યા થઈ હોવાનું આવ્યું બહાર

પોલીસે હત્યારાની કરી ધરપડક

અગાઉના ઝઘડાની રીસ રાખી કરાય હત્યા

પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી


અંકલેશ્વર તાલુકાના ખરોડ ગામેથી મળી આવેલ મૃતદેહના મામલામાં ચોકાવનારો ખુલાસો થયો છે પોલીસે યુવાનની હત્યા કરનાર આરોપીની ધરપકડ કરી તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

અંકલેશ્વરના ખરોડ ગામની સીમમાં આવેલ બાકરોલ વગામાં ખેતરના શેઢા ઉપર અજાણ્યા વ્યક્તિનો મૃતદેહ વિકૃત હાલતમાં મળી આવ્યો હતો.આ બાબતે પાનોલી પોલીસે ગુનો નોંધી મૃત્યુનું કારણ જાણવા તપાસ શરૂ કરી હતી.આ તરફ ક્રાઇમ બ્રાન્ચ પણ તપાસમાં જોડાય હતી દરમ્યામ પોલીસને બાતમી મળી હતી કે આ ગુનામાં  અક્કલકુવાનો શંકર મોવરીયા વસાવા નામનો ઈસમ સંડોવાયો છે જે અંકલેશ્વર તથા પાનોલી વિસ્તારમા છુટક મજુરી કરે છે.પોલીસે હ્યુમન ઇન્ટેલીજન્સના આધારે આરોપીની ખરોડ નજીકથી ધરપકડ કરી હતી. પોલીસની પૂછપરછમાં ચોંકાવનારો ખુલાસો થયો હતો. આ મામલામાં મરણ જનાર ઇસમે થોડા દિવસ અગાઉ મારમારી 1500 રૂપિયા લૂંટી લીધા હતા જેની રીસ રાખી આરોપી શંકર વસાવાએ મૃતકને શોધી તેને મજૂરી કામ અપાવવાના બહાને ખરોડ ગામની સીમમાં લઈ ગયો હતો અને ત્યાં પથ્થરના ઘા મારી હત્યા કર્યા બાદ તેના વતન ફરાર થઇ ગયો હતો.પોલીસે આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.