ભરૂચ: ઢાઢર નદીની જળ સપાટીમાં વધારો, નદી કિનારાના ગામમાં પાણી પ્રવેશતા જનજીવન પ્રભાવિત

ઢાઢર નદીના જળસ્તરમાં નવા નિરની આવક થઈ છે અને નદીનું જળસ્તર વધી રહ્યું છે. હાલ નદીની જળ સપાટી 97 ફૂટ છે જ્યારે નદીની ભયજનક સપાટી 101 ફૂટ છે..

New Update
  • ભરૂચમાં આમોદ જંબુસર પંથકમાંથી પસાર થાય છે નદી

  • ઢાઢર નદીની જળ સપાટીમાં વધારો

  • નદી કિનારાના ગામોમાં એલર્ટ

  • નદી કિનારે વસેલા માનસિંગપુરા ગામમાં પાણી પ્રવેશ્યા

  • ઉપરવાસમાં વરસાદના પગલે જળસપાટીમાં વધારો

ભરૂચના આમોદ અને જંબુસર પંથકમાંથી પસાર થતી ઢાઢર નદીમાં નવા નીરની આવક થતા નદી કિનારે વસેલ ગામમાં પાણી પ્રવેશતા જનજીવન પ્રભાવિત થયું હતું.

ઉપરવાસમાં વરસી રહેલા અવિરત વરસાદના પગલે ભરૂચના આમોદ અને જંબુસર પંથકમાંથી પસાર થતી ઢાઢર નદીના જળસ્તરમાં નવા નિરની આવક થઈ છે અને નદીનું જળસ્તર વધી રહ્યું છે. હાલ નદીની જળ સપાટી 97 ફૂટ છે જ્યારે નદીની ભયજનક સપાટી 101 ફૂટ છે ત્યારે ઢાઢર નદીના કિનારે આવેલ માન સિંગપુરા ગામમાં નદીના પાણી પ્રવેશ્યા હતા જેનાથી જનજીવન પ્રભાવિત થયું હતું.

આ તરફ પાણીની આવકમાં હજુ પણ વધારો થશે તો નદી કિનારે વસેલા ઘણા ગામોમાં સ્થળાંતરની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે.ઢાઢર નદીમાં આજવા સરોવર અને વિશ્વામિત્રી નદીના પાણીની આવક થાય છે ત્યારે ઉપરવાસમાં ભારે વરસાદ વરસતા આ પરિસ્થિતિનું નિર્માણ થયું છે.

Read the Next Article

અંકલેશ્વર: ભાજપ દ્વારા શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં તિરંગા યાત્રાનું આયોજન, મોટી સંખ્યામાં લોકો જોડાયા

અંકલેશ્વર ભાજપ દ્વારા  સ્વતંત્રતા પર્વની આગોતરી ઉજવણીના ભાગરૂપે શહેર અને ભડકોદ્રા ગામે  ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલની અધ્યક્ષતા હેઠળ ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું.

New Update
  • અંકલેશ્વરમાં કરવામાં આવ્યું આયોજન

  • ભાજપ દ્વારા આયોજન કરાયુ

  • તિરંગા યાત્રાનું આયોજન

  • શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં તિરંગા યાત્રા નિકળી

  • મોટી સંખ્યામાં નગરજનો જોડાયા

અંકલેશ્વર ભાજપ દ્વારા  સ્વતંત્રતા પર્વની આગોતરી ઉજવણીના ભાગરૂપે શહેર અને ભડકોદ્રા ગામે ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલની અધ્યક્ષતા હેઠળ ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું.
સ્વતંત્રતા પર્વની ઉજવણીના ભાગરૂપે  ભડકોદરા ભાજપ દ્વારા શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું.આ તિરંગા યાત્રામાં ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ ઉપસ્થિત રહ્યા હતા.શહેરના ચૌટાનાકા પાસે મેઘના આર્કેડ થી નીકળેલી ભવ્ય તિરંગા યાત્રામાં ભાજપના હોદ્દેદરો ,નગરપાલિકા ના સભ્યો સહીત ભાજપના કાર્યકરો અને મોટી સંખ્યામાં શહેરીજનો હાથમા તિરંગો લઇ જોડાયા હતા.આ તિરંગા યાત્રા ચૌટા બજાર થઇ જવાહર બાગ ખાતે પહોંચીને સમાપન કરવામાં આવ્યું હતુ.આ પ્રસંગે શહેર ભાજપના પ્રમુખ ધર્મેન્દ્ર પુષ્કર્ણા ,નગરપાલિકાના પ્રમુખ લલીતા રાજપુરોહિત સહીતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા ત્યાર બાદ અંકલેશ્વરના ભડકોદરા ગ્રામ્ય વિસ્તારમાં નીકળેલ તિરંગા યાત્રામાં તાલુકા ભાજપ પ્રમુખ અને અંકલેશ્વર મામલતદાર કરણસિંહ રાજપુત સહિતના મહાનુભાવો સહિત ગ્રામજનો જોડાયા હતા