ભરૂચ: ભારતીય સેનાના જડબાતોડ જવાબનો અમને ગર્વ, MLA ચૈતર વસાવાનું નિવેદન

ભારતીય સેનાએ પાકિસ્તાનમાં આતંકી ઠેકાણા ઉપર કરેલી એર સ્ટ્રાઈકને આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાએ બિરદાવી છે

New Update
  • ભારતની પાકિસ્તાનમાં આતંકી ઠેકાણા પર એર સ્ટ્રાઇક

  • આતંકીઓના અનેક ઠેકાણા ધ્વસ્ત

  • દેશભરમાં ઉત્સાહનો માહોલ

  • ધારાસભ્ય ચૈતર વસાવાનું નિવેદન

  • ભારતીય સેનાના શૌર્ય પર ગર્વ: ચૈતર વસાવા

Advertisment
ભારતીય સેનાએ પાકિસ્તાનમાં આતંકી ઠેકાણા ઉપર કરેલી એર સ્ટ્રાઈકને આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાએ બિરદાવી છે
પહેલગામ હુમલાના વળતો જવાબ ભારતના વીર જવાનોએ પાકિસ્તાનને જબરદસ્ત રીતે આપ્યો છે અને પાકિસ્તાનના આતંકી ઠેકાણાઓ પર હુમલો કર્યો છે.આ અંગે ધારાસભ્ય ચૈતર વસાવાએ જણાવ્યું હતું કે ભારત સરકાર અને ભારતીય સેના દ્વારા ગતરાત્રિએ ઓપરેશન સિંદુર અંતર્ગત એર સ્ટ્રાઈક કરવામાં આવી છે જેને તેઓ સમર્થન આપે છે.જ્યારે જ્યારે પણ દેશની એકતા અને અખંડિતતા પર આતંકવાદીઓના હુમલા થશે તેનો જવાબ ભારતની સેના આ રીતે જ આપશે. 
Advertisment
Read the Next Article

ભરૂચ: મનરેગા કૌભાંડમાં હાંસોટના 4 ગામોમાં પોલીસની તપાસ, પંચકેસ સહિતની પ્રક્રિયા પૂર્ણ કરાય

ભરૂચમાં પણ મનરેગા કૌભાંડ બહાર આવ્યું છે.જેમાં બે એજન્સીએ મળી 11 ગામોમાં મનરેગા હેઠળ થયેલા કામોમાં ગેરરીતિ આચરી રૂપિયા 19.64 લાખ સરકાર પાસે વસૂલ્યા હોવાની પોલીસ ફરિયાદ નોંધાય 

New Update
  • ભરૂચમાં બહાર આવ્યું મનરેગા કૌભાંડ

  • 3 તાલુકાના ગામોમાં કૌભાંડ આચરાયું

  • પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો

  • ગામોમાં પંચકેસ સહિતની પ્રક્રિયા શરૂ કરાય

  • 9 પોલીસકર્મીઓનો તપાસ ટીમમાં સમાવે સમાવેશ થાય છે 

Advertisment

 

ભરૂચ જિલ્લામાં બહાર આવેલ મનરેગા કૌભાંડમાં પોલીસની ટીમ દ્વારા આજરોજ હાંસોટ તાલુકાના 4 ગામોમાં તપાસ કરી પંચકેસ સહિતની કાર્યવાહી કરી હતી ભરૂચમાં પણ મનરેગા કૌભાંડ બહાર આવ્યું છે.જેમાં બે એજન્સીએ મળી 11 ગામોમાં મનરેગા હેઠળ થયેલા કામોમાં ગેરરીતિ આચરી રૂપિયા 19.64 લાખ સરકાર પાસે વસૂલ્યા હોવાની પોલીસ ફરિયાદ નોંધાય  હતી.આ બે એજન્સીઓમાં વેરાવળની જલારામ એન્ટરપ્રાઇઝ અને મુરલીધર એજન્સીનો સમાવેશ થાય છે. આ મામલે ભરૂચ શહેર એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાયા બાદ પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

ભરૂચ જિલ્લા પોલીસવડા મયુર ચાવડા દ્વારા સ્પેશિયલ ટીમ બનાવવામાં આવી છે. જેમાં 3 અધિકારીઓ અને 6 પોલીસકર્મીઓનો સમાવેશ થાય છે. આ અંગે તપાસ અધિકારી આર.એમ.વસાવાએ જણાવ્યુ હતું કે ટીમ દ્વારા આજરોજ હાંસોટ તાલુકાના સમલી, કંટીયાજાળ, બોલાવ અને સુણેવખુદ ગામમાં તપાસ કરવામાં આવી હતી.પોલીસકર્મીઓ દ્વારા પંચકેસ સહિતની કાર્યવાહી કરવામાં આવી છે.ભરૂચ જિલ્લાના કુલ 56 ગામોમાં 7.30 કરોડનું કૌભાંડ આચરાયુ હોવાની આશંકા પોલીસ ફરિયાદમાં વ્યક્ત કરવામાં આવી છે જેમાં હાંસોટ તાલુકાના સૌથી વધુ ગામોનો સમાવેશ થાય છે.

Advertisment