ભરૂચ: ભારતીય સેનાના જડબાતોડ જવાબનો અમને ગર્વ, MLA ચૈતર વસાવાનું નિવેદન

ભારતીય સેનાએ પાકિસ્તાનમાં આતંકી ઠેકાણા ઉપર કરેલી એર સ્ટ્રાઈકને આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાએ બિરદાવી છે

New Update
  • ભારતની પાકિસ્તાનમાં આતંકી ઠેકાણા પર એર સ્ટ્રાઇક

  • આતંકીઓના અનેક ઠેકાણા ધ્વસ્ત

  • દેશભરમાં ઉત્સાહનો માહોલ

  • ધારાસભ્ય ચૈતર વસાવાનું નિવેદન

  • ભારતીય સેનાના શૌર્ય પર ગર્વ: ચૈતર વસાવા

ભારતીય સેનાએ પાકિસ્તાનમાં આતંકી ઠેકાણા ઉપર કરેલી એર સ્ટ્રાઈકને આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાએ બિરદાવી છે
પહેલગામ હુમલાના વળતો જવાબ ભારતના વીર જવાનોએ પાકિસ્તાનને જબરદસ્ત રીતે આપ્યો છે અને પાકિસ્તાનના આતંકી ઠેકાણાઓ પર હુમલો કર્યો છે.આ અંગે ધારાસભ્ય ચૈતર વસાવાએ જણાવ્યું હતું કે ભારત સરકાર અને ભારતીય સેના દ્વારા ગતરાત્રિએ ઓપરેશન સિંદુર અંતર્ગત એર સ્ટ્રાઈક કરવામાં આવી છે જેને તેઓ સમર્થન આપે છે.જ્યારે જ્યારે પણ દેશની એકતા અને અખંડિતતા પર આતંકવાદીઓના હુમલા થશે તેનો જવાબ ભારતની સેના આ રીતે જ આપશે. 
Read the Next Article

ભરૂચ: છોટુ વસાવાને 80માં જન્મદિવસે BTPના રાષ્ટ્રીય અધ્યક્ષ બનાવાયા, કહ્યું કેટલાક પરિબળોએ અમારું સંગઠન તોડવા કર્યો પ્રયાસ !

આદિવાસી મસીહા એવા ઝઘડિયા વિધાનસભાના પૂર્વ ધારાસભ્ય છોટુભાઈ વસાવાનો આજે જન્મદિવસ હતો. આદિવાસી નેતા 80 વર્ષ પૂર્ણ કરી 81 માં વર્ષમાં પ્રવેશ્યા છે.

New Update
  • ભરૂચના ઝઘડિયાના પૂર્વ ધારાસભ્ય

  • છોટુ વસાવા બન્યા બિટીપીના રાષ્ટ્રીય અધ્યક્ષ

  • 80માં જન્મદિવસે કરાય જાહેરાત

  • મહેશ વસાવાએ ટેકો જાહેર કર્યો

  • મોટી સંખ્યામાં સમર્થકો રહ્યા ઉપસ્થિત

ભરૂચના ઝઘડિયાના પૂર્વ ધારાસભ્ય છોટુ વસાવાને 80 માં જન્મદિવસે  BTPના રાષ્ટ્રીય અધ્યક્ષ બનાવવામાં આવતા ટેકેદારોએ આ જાહેરાતને વધાવી લીધી હતી
આદિવાસી મસીહા એવા ઝઘડિયા વિધાનસભાના પૂર્વ ધારાસભ્ય છોટુભાઈ વસાવાનો આજે જન્મદિવસ હતો. આદિવાસી નેતા 80 વર્ષ પૂર્ણ કરી 81 માં વર્ષમાં પ્રવેશ્યા છે. તેઓના જન્મદિવસે તેમને શુભેચ્છા પાઠવવા દેડિયાપાડાના પૂર્વ ધારાસભ્ય પુત્ર મહેશ વસાવા, દિલીપ વસાવા, કિશોર વસાવા સાથે અન્ય આગેવાનો પણ ઉમટી પડ્યા હતા.વાલિયા તાલુકા પંચાયત પૂર્વ પ્રમુખ રાજુભાઇ વસાવા, રજની વસાવા, વિજય વસાવા સહિતના આગેવાનો તેમજ સમર્થકોની હાજરીમાં છોટુ વસાવાના જન્મદિવસની ઉજવણી કરી તેઓને શુભકામનાઓ પાઠવાઈ હતી.
પૂર્વ ધારાસભ્યના જન્મદિવસે જ તેઓને BTP ના રાષ્ટ્રીય અધ્યક્ષ બનાવવામાં આવ્યા હતા.તાજેતરમાં જ ભાજપ સાથે મોહભંગ થતા રાજીનામુ આપનાર તેમના પુત્ર મહેશ વસાવાએ આ જાહેરાતને ટેકો જાહેર કર્યો હતો. આ અંગે છોટુ વસાવાએ જણાવ્યું હતું કે કેટલાક પરિબળોએ અમારું સંગઠન તોડવા પ્રયાસ કર્યા હતા પરંતુ હવે અમે એક થઈ લડીશું