ભરૂચ: નંદેલાવ ઓવરબ્રિજ પર ખાનગી બસની ટકકરે બાઈક સવાર પત્નીનું મોત, પતિને ઇજા

નંદેલાવ ઓવરબ્રિજ પર અકસ્માતનો વધુ એક બનાવ સામે આવ્યો છે જેમાં જંબુસર તાલુકાના સંભા ગામના રહેવાસીને લક્ઝરી બસના ચાલકે બાઈકને ટક્કર મારતા ગંભીર ઇજાના પગલે પત્નીનું મોત નીપજ્યું

New Update
  • ભરૂચના નંદેલાવ ઓવરબ્રિજ પર સર્જાયો અકસ્માત

  • ખાનગી બસે બાઇકને મારી ટક્કર

  • બાઈક સવાર પત્નીનું મોત, પતિને ઇજા

  • લગ્નમાં હાજરી આપી ઘરે જઈ રહ્યું હતું દંપત્તી

  • પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી

ભરૂચના નંદેલાવ ઓવરબ્રિજ પર ખાનગી બસના ચાલકે બાઈકને ટક્કર મારતા બાઈક સવાર પતિ પત્ની પૈકી પત્નીનું મોત નિપજ્યું. હતું જ્યારે પતિને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે
ભરૂચમાં આવેલ નંદેલાવ ઓવરબ્રિજ પર અકસ્માતનો વધુ એક બનાવો સામે આવ્યો છે જેમાં જંબુસર તાલુકાના સંભા ગામના રહેવાસી ગેમલસંગ ગોહિલ તેમના પત્ની ગજેરાબહેન ગોહિલ સાથે અંકલેશ્વરના અંદાડા ગામે લગ્ન પ્રસંગમાં હાજરી આપી પરત તેમના ઘરે જઈ રહ્યા હતા તે દરમિયાન બ્રિજ પરથી પૂરઝડપે ઝડપે જઈ રહેલ લક્ઝરી બસ નંબર GJ 16 AW 2316ના ચાલકે બાઈકને ટક્કર મારી હતી.
આ અકસ્માતમાં પતિ પત્ની બન્ને માર્ગ પર પટકાયા હતા જેમાં ગંભીર ઈજાના પગલે પત્નીનું મોત નિપજ્યું હતું જ્યારે પતિને ઈજા પહોંચતા સારવા અર્થે ખસેડવામાં આવ્યા છે. બનાવની જાણ થતાની સાથે જ પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો અને બનાવ સંદર્ભે ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે દહેજમાં આવેલ એસ. આર. એફ. કંપનીના કર્મચારીઓને લઈને જઈ રહેલ બસના ચાલકે બાઈકને ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો.
Read the Next Article

અંકલેશ્વર નગરપાલિકા દ્વારા રખડતા ઢોર પકડવાની ડ્રાઇવનો પ્રારંભ, ઢોર ડબ્બામાં 14 રખડતા ઢોર પુરાયા....

ભરૂચ જિલ્લાના અંકલેશ્વરમાં રખડતાં ઢોરની વિકટ સમસ્યા મામલે નગરપાલિકા તંત્ર એક્શનમાં આવ્યું છે. જેમાં ટ્રાફિકને અડચણરૂપ રખડતા ઢોર પકડી અંકલેશ્વર નગરપાલિકાના ઢોર ડબ્બામાં પુરવામાં આવ્યા હતા.

New Update
stray cattlessss

ભરૂચ જિલ્લાના અંકલેશ્વરમાં રખડતાં ઢોરની વિકટ સમસ્યા મામલે નગરપાલિકા તંત્ર એક્શનમાં આવ્યું છે. જેમાં ટ્રાફિકને અડચણરૂપ રખડતા ઢોર પકડી અંકલેશ્વર નગરપાલિકાના ઢોર ડબ્બામાં પુરવામાં આવ્યા હતા.

ભરૂચ સહિત અંકલેશ્વરમાં રખડતાં ઢોરની વિકટ સમસ્યા માથાના દુઃખાવા સમાન બની ગઈ છે, ત્યારે રખડતા ઢોર મામલે અંકલેશ્વર નગરપાલિકા તંત્ર એક્શનમાં આવ્યું છે. અંકલેશ્વર નગરપાલિકાના ચીફ ઓફિસર કેશવલાલ કોલડિયાના માર્ગદર્શન હેઠળ શહેરમાં રખડતા ઢોર પકડવાની ડ્રાઇવ શરૂ કરવામાં આવી છે. જેમાં ટ્રાફિકને અડચણરૂપ રખડતા ઢોર પકડી અંકલેશ્વર નગરપાલિકાના ઢોર ડબ્બામાં પુરવામાં આવ્યા હતા. જેમાં ગાય અને વાછરડા સહિત 14 રખડતા ઢોરને ઢોર ડબ્બામાં પુરવામાં આવ્યા હતા. અંકલેશ્વર નગરપાલિકા સેનેટરી ઇન્સ્પેક્ટર રઘુવીરસિંહ મહીડાની રાહબરી હેઠળ સેનીટેશન ખાતાના 4 સુપરવાઈઝર અને 1 મુકાદમ સહિત 5 શ્રમિકો દ્વારા ઢોર પકડવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. તો બીજી તરફ, અંકલેશ્વર નગરપાલિકાના ચીફ ઓફિસર દ્વારા પશુ પાલકોને તાકીદ કરવામાં આવે છે કે, તમારા પશુઓને ઘરે બાંધીને રાખો અને એને જાહેર રસ્તા ઉપર રખડતા છોડવા નહીં. જો તઓને આપેલ સૂચનાનું પાલન કરવામાં આવશે નહીં, તો જે તે પશુપાલકો વિરુદ્ધ અંકલેશ્વર નગરપાલિકા દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.