ભરૂચ:સાંસદ મનસુખ વસાવાની પોસ્ટથી રાજકીય ક્ષેત્રે ગરમાવો, આદિવસી પટ્ટીના રાજકારણમાં નવાજુનીના એંધાણ !
Featured | સમાચાર, ભરૂચના સાંસદ મનસુખ વસાવાની ફરી એકવાર નારાજગી સામે આવી છે. તેઓએ ધારીખેડા સુગર ફેક્ટરી અને દૂધધારા ડેરીમાં પદાધિકારીઓની નિમણૂક
Featured | સમાચાર, ભરૂચના સાંસદ મનસુખ વસાવાની ફરી એકવાર નારાજગી સામે આવી છે. તેઓએ ધારીખેડા સુગર ફેક્ટરી અને દૂધધારા ડેરીમાં પદાધિકારીઓની નિમણૂક
મુખ્યમંત્રી 586.02 કરોડના વિવિધ વિકાસકામોનું ખાતમુર્હુત તથા 51.88 કરોડના ખર્ચે નવનિર્મિત વિકાસ પ્રકલ્પોનું લોકાર્પણ કરી જિલ્લાવાસીઓને વિકાસના વિવિધ પ્રકલ્પોની ભેટ આપશે.
-- પ્રજાને સ્પર્શતા પ્રશ્નોના હલ અંગે કોઈ જવાબ આપશે
-- ખરાબ રસ્તા,સ્ટ્રીટ લાઇટનો અભાવ,શહેર અને હાઇવે પર ટ્રાફિકની સમસ્યાના નિરાકરણના પ્રશ્નો લોકમુખે ચર્ચાઈ રહ્યા છે.
રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના વરદહસ્તે અંકલેશ્વર ખાતે રૂપિયા637.90કરોડના વિવિધ વિકાસકાર્યોનું ખાતમુહૂર્ત તથા લોકાર્પણ થશે.જેમાં586.02કરોડના વિવિધ વિકાસકામોનું ખાતમુર્હુત તથા51.88કરોડના ખર્ચે નવનિર્મિત વિકાસ પ્રકલ્પોનું લોકાર્પણ કરી જિલ્લાવાસીઓને વિકાસના વિવિધ પ્રકલ્પોની ભેટ આપશે.જે આવકાર દાયક છે પરંતુ પ્રજાના જે પ્રાણપ્રશ્નો છે તે અંગે પણ સીએમ ધ્યાન આપે તેવી લાગણી લોક મુખે ઉઠવા પામી છે.
અંકલેશ્વર શહેર તાલુકામાં વરસાદ વરસ્યા બાદ ઠેર ઠેર રસ્તા પર ખાડાનું સામ્રાજ્ય સર્જાય ગયું છે,બીજી તરફ જુના નેશનલ હાઇવે નંબર8વાલિયા ચોકડી,પ્રતિન ચોકડી મહાવીર ટર્નિંગ,હસ્તી તળાવથી ચૌટા બજાર રોડ ઉપરાંત નેશનલ હાઇવે નંબર48વાલિયા ચોકડી નજીક આમલાખાડી બ્રિજ તેમજ ખરોડ બ્રિજ પર ટ્રાફિકની સમસ્યા દિન પ્રતિદિન ખૂબ જ જટિલ બની રહી છે.
અસુવિધાઓ વચ્ચે પીસાતી જનતાના હૃદયમાં એક આશાનું કિરણ ઉગ્યું છે,કારણ કે ખુદ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ ભરૂચ જિલ્લા માટે કરોડો રૂપિયાના વિકાસલક્ષી કાર્યોની ભેટ લઈને આવી રહ્યા છે.તેમના આગમન પૂર્વે સરકારી તંત્ર પણ ખરાબ રસ્તાની મારામતમાં અને સાફસફાઇમાં જોતરાય ગયું છે,તે જોતા દર ત્રણ મહિનામાં એકવાર મુખ્યમંત્રી ભરૂચ જિલ્લામાં પધારે તેવી લાગણી સૌ કોઈ વ્યક્ત કરી રહ્યું છે.
અંકલેશ્વર શહેરના માં શારદા ભવન ટાઉનહોલ ખાતે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના વરદ હસ્તે રૂપિયા637.90કરોડના વિવિધ વિકાસકાર્યોનું ખાતમુહૂર્ત તથા લોકાર્પણ થશે.જેમાં586.02કરોડના વિવિધ વિકાસકામોનું ખાતમુર્હુત તથા51.88કરોડના ખર્ચે નવનિર્મિત વિકાસ પ્રકલ્પોનું લોકાર્પણ કરી જિલ્લાવાસીઓને વિકાસના વિવિધ પ્રકલ્પોની ભેટ આપશે.પરંતુ પ્રજામાંથી ઉઠી રહેલા નારાજગીના સુર મુજબ નવું કઈ નહીં મળે તો ચાલશે પરંતુ જે છે એની સુવિધા યોગ્ય રીતે અને વિઘ્નરહિત મળે તેવી વ્યવસ્થા ગોઠવવા માટેની માંગ પણ લોકો કરી રહ્યા છે.અને મુખ્યમંત્રી અંકલેશ્વર શહેર,તાલુકાની સમસ્યાઓ પ્રત્યે પણ ધ્યાન આપીને સરકારી તંત્રને ટકોર કરે તેવી લાગણી પણ નાગરિકો વ્યક્ત કરી રહ્યા છે.