ભરૂચ: આગામી 7 દિવસ વરસાદનું યલો એલર્ટ, વહીવટી તંત્ર સજ્જ !

જિલ્લામાં તમામ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપી દેવામાં આવી છે તો સાથે જ અધિકારીઓને એલર્ટ રહેવા આદેશ આપવામાં આવ્યા છે

New Update
  • આરબ સાગરમાં ડિપ્રેશન સર્જાયું

  • આગામી સાત દિવસ ભારે વરસાદની શક્યતા

  • ભરૂચ જિલ્લામાં અપાયું યલો એલર્ટ

  • વહીવટી તંત્ર બન્યું સજ્જ

  • અધિકારીઓને એલર્ટ રહેવા આદેશ

આગામી સાત દિવસ ભરૂચ જિલ્લામાં ભારેથી અતિ ભારે વરસાદની શક્યતા છે ત્યારે વહીવટી તંત્ર સજજ બન્યું છે. જિલ્લામાં તમામ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપી દેવામાં આવી છે તો સાથે જ અધિકારીઓને એલર્ટ રહેવા આદેશ આપવામાં આવ્યા છે

અરબ સાગરમાં સર્જાયેલું લો પ્રેશર આજે ડિપ્રેશનમાં ફેરવાય એવી શક્યતા છે, જેના પગલે આગામી સાત દિવસ ગુજરાતમાં છૂટાછવાયાં સ્થળે ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગ તરફથી માછીમારોને પણ દરિયો ન ખેડવા ચેતવણી આપવામાં આવી છે. હવામાન વિભાગ દ્વારા ભરૂચમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે ત્યારે ભરૂચ વહીવટી તંત્ર પણ સજજ બન્યું છે. ભરૂચ વહીવટી તંત્ર દ્વારા ભરૂચના દરિયા કિનારાના વિસ્તારોમાં માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે સાથે જ મીઠાના અગરમાં કામ કરતા અગરિયાઓને શેલ્ટર હોમ સહિતના સલામત સ્થળે ખસી જવા આદેશ કરવામાં આવ્યો છે.

આ ઉપરાંત ભરૂચ કલેકટર ગૌરાંગ મકવાણાની અધ્યક્ષતામાં યોજાયેલી બેઠકમાં તમામ વિભાગ  અધિકારીઓને ખડેપગે તૈનાત રહેવા આદેશ આપી દેવામાં આવ્યા છે. જિલ્લાવાસીઓને બિનજરૂરી મુસાફરી ન કરવા અપીલ કરવામાં આવી છે.સાથે જ દક્ષિણ ગુજરાત વીજ કંપનીની વિવિધ ટીમોને પણ સ્ટેન્ડબાય કરવામાં આવી છે.વૃક્ષ ધરાશાયી  થવાના બનાવમાં તાત્કાલિક તેને હટાવી માર્ગ પુનઃ કાર્યરત કરવા સૂચના આપી દેવામાં આવી છે.

Read the Next Article

અંકલેશ્વર: હાંસોટ પંથકમાં નવા વર્ષે કમોસમી વરસાદ, ખેડૂતોએ રસ્તા પર સુકવેલ ડાંગર પલળી ગયુ !

ભરૂચના હાંસોટ તાલુકાના જુના ઓભા સહિતના અનેક ગામોમાં બુધવારે બપોર બાદ કમોસમી વરસાદ વરસતા ખેડૂતોને ભારે નુકસાન વેઠવું પડ્યું છે.

New Update
Screenshot_2025-10-22-15-57-15-21_92460851df6f172a4592fca41cc2d2e6
ભરૂચના હાંસોટ તાલુકાના જુના ઓભા સહિતના અનેક ગામોમાં બુધવારે બપોર બાદ કમોસમી વરસાદ વરસતા ખેડૂતોને ભારે નુકસાન વેઠવું પડ્યું છે.અચાનક પડેલા આ વરસાદથી રસ્તાઓ પર સૂકવવા મુકાયેલ ડાંગર પલળી જવાથી ખેડૂતોમાં દોડધામ મચી જવા પામી હતી.
Advertisment
1/38

ખેડૂતોએ રસ્તા પર સુકવેલ ડાંગર પલળી ગયુ 

પાછલા દિવસોના વરસાદના કારણે ખેતરો પૂરતા સુકાયા ન હોવાથી ખેડૂતોએ ડાંગર રસ્તા પર સૂકવવા માટે મૂકી દીધું હતું પરંતુ અચાનક પડેલા વરસાદથી તે ડાંગર ભીનું થઈ ગયું, જેના કારણે ખેડૂતોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું હતું. વરસાદ શરૂ થતાં જ ખેડૂતો પોતાના પાકને બચાવવા દોડધામમાં લાગી ગયા હતા. ખેડૂતોએ જણાવ્યું હતું કે પાછોતરા વરસાદ બાદ હવામાન ખુલ્લું રહે તેમ લાગતું હતું, પરંતુ અચાનક પડેલા આ કમોસમી વરસાદે આખી મહેનત પર પાણી ફેરવી દીધું છે.
Latest Stories