ભરૂચ: નેત્રંગથી નિકળનાર યુથ કોંગ્રેસની કિસાનયાત્રા તંત્રની મંજૂરી નહીં મળતા મોકૂફ, કોંગ્રેસ દ્વારા કરાયા પ્રહાર

ભરૂચ જિલ્લા યુવા કોંગ્રેસ અને ઝગડીયા વિધાનસભા યુવા કોંગ્રેસ દ્વારા અતિવૃષ્ટિને પગલે ખેડૂતોને થયેલ નુકશાનીના વળતરની માંગ સાથે કિસાન યાત્રાને પરવાનગી આપવામાં ન આવતા કોંગ્રેસ દ્વારા રોષ વ્યકત કરવામાં આવ્યો છે

New Update

ભરૂચ યુથ કોંગ્રેસ દ્વારા કરાયુ હતું આયોજન

કિસાન યાત્રાનું આયોજન કરાયું હતું

તંત્રએ પરવાનગી ન આપતા યાત્રા મોકૂફ

કોંગ્રેસ દ્વારા ભાજપ પર કરાયા પ્રહાર

આવનારા દિવસોમાં પદયાત્રા કાઢવાની ચીમકી

ભરૂચ જિલ્લા યુવા કોંગ્રેસ અને ઝગડીયા વિધાનસભા યુવા કોંગ્રેસ દ્વારા અતિવૃષ્ટિને પગલે ખેડૂતોને થયેલ નુકશાનીના વળતરની માંગ સાથે કિસાન યાત્રાને પરવાનગી આપવામાં ન આવતા કોંગ્રેસ દ્વારા રોષ વ્યકત કરવામાં આવ્યો છે
ભરૂચ જિલ્લા યુવા કોંગ્રેસ અને ઝગડીયા વિધાનસભા યુવા કોંગ્રેસ દ્વારા સરકાર અતિવૃષ્ટિના કારણે ખેડૂતોના પાકને થયેલ નુકશાનીનું વળતર જાહેર કરે એવી માંગ અને ખેડૂતોનાં હક અને અધિકાર માટે ટ્રેક્ટર સાથે રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું જે રેલી નેત્રંગથી વાલિયા,અંકલેશ્વર થઈ ભરુચ કલેકટર ખાતે પહોંચી ત્યાં આવેદન પત્ર પાઠવવામા આવનાર હતું પરંતુ વહીવટી તંત્ર દ્વારા પરમીશન નહીં આપવામાં આવતા કોંગ્રેસના આગેવાન શેરખાન પઠાણએ ભાજપના પ્રેસરથી વહીવટી તંત્રને દબાવવામાં આવ્યું હોવાથી પરમીશન નહીં મળી હોવાના આક્ષેપ કર્યા હતા અને આવનારા દિવસોમાં પદયાત્રા કાઢવાની ચીમકી ઉચ્ચારી હતી.
Read the Next Article

ભરૂચ: નર્મદા પરિક્રમાવાસીઓ માટે CM ભુપેન્દ્ર પટેલનો મહત્વનો નિર્ણય, હાંસોટના વમલેશ્વરમાં 100091 ચો.મી.જમીન ફાળવાય

ભરૂચના હાંસોટના વમલેશ્વર ખાતે નર્મદા પરિક્રમા પથના યાત્રાધામોના વિકાસ માટે મુખ્યમંત્રીએ મહત્વપૂર્ણ નિર્ણય લઈ 10091 ચો. મીટર જમીનની ફાળવણી કરી છે.

New Update
bhupendra

ભરૂચના હાંસોટના વમલેશ્વર ખાતે નર્મદા પરિક્રમા પથના યાત્રાધામોના વિકાસ માટે મુખ્યમંત્રીએ મહત્વપૂર્ણ નિર્ણય લઈ 10091 ચો. મીટર જમીનની ફાળવણી કરી છે.

નર્મદા પરિક્રમા માર્ગ પર આવેલા યાત્રાધામો અને પરિક્રમાપથ ખાતે યાત્રાધામોના વિકાસની કામગીરી અર્થે પ્રવાસન ખાતા (ઉદ્યોગ અને ખાણ) વિભાગને વહીવટી હુકમ- 3 હેઠળ જમીન તબદીલ કરી આપવામાં આવી છે.ગુજરાત રાજ્યમાં નર્મદા પરિક્રમા આગવી ઓળખ સાથે ધાર્મિક મહત્વ ધરાવે છે. વમલેશ્વર યાત્રાધામ સહિત નર્મદા પરિક્રમા માર્ગ પર આવેલા અને પરિક્રમાપથના યાત્રાધામોના વિકાસથી ગુજરાત અને મઘ્યપ્રદેશ રાજ્યના હજારો પરિક્રમાવાસીઓ અને શ્રદ્ધાળુને પડતી વિવિધ મુશ્કેલીઓ હવે ભૂતકાળ બનશે.રાજ્ય સરકારના આ સંવેદનશીલ નિર્ણયથી ખરા અર્થમાં ભરૂચ જિલ્લામાં પ્રવાસન વિભાગને પ્રોત્સાહન મળશે તેમજ સ્થાનિકોને પણ તેનો લાભ થનાર છે. નર્મદા પરિક્રમા માર્ગ પર આવેલા યાત્રાધામો અને પરિક્રમાપથ ખાતે યાત્રાધામોના વિકાસની કામગીરી અર્થે મહત્વનો નિર્ણય લઇ જમીન ફાળવવાની મુખ્યમંત્રીએ મંજૂરી આપી છે. પ્રવાસન ખાતા દ્વારા વમલેશ્વર ખાતે સર્વે નંબર 553 ની 10091 ચોરસ મીટર જમીન ફાળવવા અંગે સરકારમાં માંગણી કરવામાં આવી હતી. જેને અનુલક્ષી મુખ્યમંત્રીએ આ નિર્ણય કર્યો છે.
ભરૂચ જિલ્લાના હાંસોટ તાલુકામાં આવેલું વમલેશ્વર ધાર્મિક સ્થળોમાં ખૂબ વિખ્યાત યાત્રાધામ છે. આ યાત્રાધામ સાથે નર્મદા પરિક્રમા ખૂબ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. વહીવટી મંજૂર હુકમ 3 હેઠળ તબદીલ કરતા મુખ્યમંત્રીનો આ નિર્ણય મહત્વપૂર્ણ બની રહેશે.