ભરૂચ:ઝાડેશ્વર નિલકંઠેશ્વર મહાદેવ મંદિર નર્મદા નદીમાં ત્રીજા દિવસે વિઘ્નહર્તા દેવનું વિસર્જન કરાયુ

ભરૂચના ઝાડેશ્વર નીલકંઠેશ્વર મહાદેવ મંદિરે નર્મદા કિનારે ગણપતિ બાપાને ભક્તોએ ત્રણ દિવસ બાદ આજે વિઘ્નહર્તા દેવને ભાવભરી વિદાય આપવામાં આવી હતી.

New Update

ભરૂચના ઝાડેશ્વર નીલકંઠેશ્વર મહાદેવ મંદિરે નર્મદા કિનારે ગણપતિ બાપાને ભક્તોએ ત્રણ દિવસ બાદ આજે વિઘ્નહર્તા દેવને ભાવભરી વિદાય આપવામાં આવી હતી.

ભરૂચના ઝાડેશ્વર નીલકંઠેશ્વર મહાદેવ મંદિરે નર્મદા ઘાટ ખાતે આજે ત્રીજા દિવસે ખૂબ જ મોટી સંખ્યામાં ગણપતિ બાપાની મૂર્તિ વિસર્જન કરાયું હતું.ત્રણ દિવસનું આતિથ્ય માનીને આજે વિઘ્નહર્તા ગણપતિ બાપાને માઁ નર્મદાના નીર માં યોગ્ય વિસર્જન કરવામાં આવ્યું હતું.ઉલ્લેખનીય બાબત એ  છે કે અહીં ખૂબ જ મોટી સંખ્યામાં બીજા દિવસે જ ગણપતિ વિસર્જન થતા હોય છે અને આજે  ત્રીજા દિવસે પણ વિસર્જન કરવામાં આવ્યું હતું.નર્મદા નદીમાં વિસર્જન માટે તંત્ર દ્વારા યોગ્ય વ્યવસ્થા કરવામાં આવી છે,જ્યારે પોલીસ દ્વારા પણ કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ચુસ્ત પોલીસ વ્યવસ્થા ખડકી દેવામાં આવી છે.

Read the Next Article

અંકલેશ્વર: ONGCમાં નોકરીના બહાને રૂ.1.84 કરોડની છેતરપીંડીમાં ફરિયાદી જ આરોપી નિકળ્યો, પોલીસે કરી ધરપકડ

આરોપીએ વ્યક્તી દીઠ બે થી અઢી લાખ રૂપિયા લઇ ONGC કંપનીમાં હજીરા, મહેસાણા તથા ખંભાત ખાતે નોકરીએ લગાડવાની લાલચ આપી અનેક લોકોને ફસાવ્યા હતા...

New Update
ONGC Fraud
અંકલેશ્વર ONGC માં અલગ અલગ સ્થળે 90 લોકોને નોકરીની લાલચ આપી 1.84 કરોડની ઠગાઈમાં વોન્ટેડ આરોપી ઝડપાતા ફરિયાદી પણ આરોપી હોવાનો થયો ધડાકો અંકલેશ્વરની ONGC કંપનીમાં સિક્યોરિટીમાં રાજ્યમાં અલગ અલગ સ્થળે નોકરીની લાલચે 90થી વધુ લોકો સાથે આચરાયેલા રૂપિયા 1.84 કરોડના કૌભાંડમાં ફરિયાદી પણ આરોપી નીકળ્યો છે. 
અંકલેશ્વરની અમૃતકુંજ સોસાયટીમાં રહેતા ફરિયાદી એવા આરોપી ઘનશ્યામસીધ રાજપુતની અંકલેશ્વર એ ડિવિઝન પોલીસે ધરપકડ કરી લીધી છે. વર્ષ 2022 થી 2024 માં વિરાટ નગર રહેતા ઓગસ્ત હરદેવ પાંડે એ પોતે નેશનલ ઇન્વેસ્ટીગેશન સિક્યુરીટી સર્વીિસ NISS કંપનીના મેનેજર તરીકેની ખોટી ઓળખ આપી હતી. વ્યક્તી દીઠ બે થી અઢી લાખ રૂપિયા લઇ ONGC કંપનીમાં હજીરા, મહેસાણા તથા ખંભાત ખાતે નોકરીએ લગાડવાની લાલચમાં લોકોને ફસાવ્યા હતા.
NISS કંપનીના બોગસ જોઇનીંગ લેટર અને આઇ કાર્ડ બનાવી તેનો સાચા તરીકે ઉપયોગ કરી વિશ્વાસમાં લઇ હાલના આરોપી એવા ફરિયાદીના પરિવારના 10 લોકો સહિત કુલ 50 જેટલા લોકો પાસેથી રૂપિયા 1.04 કરોડ પડાવ્યા હતા.સાથે જ ઠાકોરભાઇ આહીર અને તેની સાથેના 40 અન્ય લોકો પાસેથી દરેકના બે લાખ લેખે આશરે ₹80 લઇ નોકરીએ નહિ લગાવી નાસી છૂટ્યો હતો. જે આરોપી અગસ્ત પાંડે પકડાતા તેને પોલીસ સમક્ષ આ કૌભાંડમાં ફરિયાદી એવો ઘનશ્યામ સિંઘ પણ સામેલ હોવાનો ઘટસ્ફોટ કર્યો હતો. એ ડિવિઝન પોલીસે ફરિયાદીની આરોપી તરીકે ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.