ભરૂચ મુલદ ગામ પાસે શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ રાજકોટ સંસ્થાની શાખાનું ભુમીપુજન અને શિલાન્યાસ સમારોહ યોજાયો

શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ રાજકોટ સંસ્થાની ૬૦ નૂતન શાખાનું સ્વામિનારાયણ ગુરુકુલ તેમજ ભવ્ય હરિકૃષ્ણ ધામ ભૂમિ પૂજનનો શિલાન્યાસ સમારોહ કાર્યક્રમ યોજાયો

New Update
WhatsApp Image 2024-10-17 at 5.47.38 PM (3)

ભરૂચ શરદપુર્ણિમાની સંધ્યાએ શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ રાજકોટ સંસ્થાની ૬૦ નૂતન શાખાનું સ્વામિનારાયણ ગુરુકુલ તેમજ ભવ્ય હરિકૃષ્ણ ધામ ભૂમિ પૂજનનો શિલાન્યાસ સમારોહ કાર્યક્રમ યોજાયો હતો. શ્રી ગુરુવર્ય શ્રી દેવકૃષ્ણદાસજી સ્વામીમહંત સ્વામીશ્રી દેવપ્રસાદદાસ સ્વામીધારાસભ્ય અને અન્ય મહાનુભાવોની પ્રેરક ઉપસ્થિતિમાં વૈદિક મંત્રોચ્ચાર અને શાસ્ત્રોક્ત વિધિ પ્રમાણે ભૂમિ પૂજન કરવામાં આવ્યું હતું.

સ્વામિનારાયણ ગુરુકુલ રાજકોટ સંસ્થાનના ઉપક્રમે ભારતઅમેરિકાબ્રિટનઓસ્ટ્રેલિયાઆફ્રિકાલેટિન અમેરિકાકેનેડા આફિકાના દેશોમાં ૫૫ જેટલા ગુરુકુલો કાર્યરત છે,ત્યારે ભરૂચ ખાતે ૬૦મી નૂતન શાખાનો શિલાન્યાસ કરાયો હતો. આ સ્વામિનારાયણ સંપ્રદાય ધાર્મિક સામાજિક અને શૈક્ષણિક પ્રવૃત્તિઓથી સમાજમાં માનવ ઘડતર માટે ખૂબ મોટું પ્રદાન આપી વિશ્વને ગુરુકુલ સંસ્કૃતિની ભેટ આપી રહી છે.

આ શુભ પ્રસંગેભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રીઅંક્લેશ્વરના ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલજિલ્લાના વિવિઘ ક્ષેત્રના પ્રતિનિધીઓસમાજના અગ્રણીઓઅંકલેશ્વર મામલતદાર કરણસિંહ રાજપુત,પરમ પૂજ્ય મહંત સ્વામી દેવપ્રસાદદાસજી સ્વામીનીલકંઠધામના નિર્માતા પરમ પૂજ્ય સદગુરુ પુરાણી ધર્મવલ્લભદાસજી સ્વામીબ્રહ્મનિષ્ઠ સંતો,  મહંત સ્વામીઓ,  સંતો,  હરિભક્તોવગેરે ઉપસ્થિત રહ્યા હતા.

 

Latest Stories