ભરૂચ : જંબુસર નગરમાં ડમ્પર ચાલકે ટક્કર મારતા બાઈક ચાલકનું ઘટના સ્થળે મોત, પોલીસે વધુ તપાસ હાથ ધરી...

ડમ્પર ચાલકે ગફલતભરી રીતે વાહન હંકારી લાવી બાઇક સવાર ચાલકને અડફેટમાં લીધો હતો. આ અકસ્માત એટલો ભયંકર હતો કે, ડમ્પરની ટક્કરે બાઇક સવાર વ્યક્તિનું ઘટના સ્થળે જ કરૂણ મોત નીપજ્યું

New Update
  • જંબુસર નગરમાંથી વધુ એક અકસ્માતની ઘટના સામે આવી

  • જંબુસરની સેન્ટર પ્લાઝા ચોકડી નજીક સર્જાયો હતો અકસ્માત

  • ડમ્પર ચાલકે અડફેટમાં લેતા બાઇક સવારનું ઘટનાસ્થળે મોત

  • અકસ્માતના પગલે લોકોએ જંબુસર પોલીસ મથકમાં જાણ કરી

  • પોલીસે અકસ્માતે મોત નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી

Advertisment W3.CSS

ભરૂચ જિલ્લાના જંબુસર નગરમાં ડમ્પર ચાલકે ટક્કર મારતા બાઈક ચાલકનું ઘટના સ્થળે કરૂણ મોત નીપજ્યું હતું. ભરૂચ જિલ્લામાં દિન પ્રતિદિન અકસ્માતોની વણઝાર વચ્ચે કેટલાક લોકોને જીવ ગુમાવવાનો વારો આવતો હોય છેત્યારે ભરૂચ જિલ્લાના જંબુસર નગરમાંથી વધુ એક અકસ્માતની ઘટના સામે આવી છે.

મળતી માહિતી અનુસારજંબુસર નગરની સેન્ટર પ્લાઝા ચોકડી નજીક ડમ્પર નં. GJ-16-AV-7333ના ચાલકે ગફલતભરી રીતે વાહન હંકારી લાવી બાઇક નં. GJ 16 CL 0802 પર સવાર ચાલકને અડફેટમાં લીધો હતો. આ અકસ્માત એટલો ભયંકર હતો કેડમ્પરની ટક્કરે બાઇક સવાર વ્યક્તિનું ઘટના સ્થળે જ કરૂણ મોત નીપજ્યું હતું.

બનાવના પગલે આસપાસના લોકો ટોળે વળ્યા હતાજ્યારે ઘટનાની જાણ થતા જંબુસર પોલીસ કાફલો પણ દોડી આવ્યો હતો. ત્યારબાદ પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડ્યો હતો. પોલીસ તપાસમાં મૃતક વ્યક્તિ રાજેન્દ્રસિંહ સિંધા હોવાનું જાણવા મળ્યું છેત્યારે પોલીસે અકસ્માતે એક વ્યક્તિનું મોત નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Read the Next Article

અંકલેશ્વર : સુરવાડી ગામે દસ દિવસથી વીજ પુરવઠો ખોરવાતા ખેડૂતોમાં રોષ,નિયમિત પાણી ન મળતા ઉભો પાક સુકાઈ જવાની ભીતી

સુરવાડી ગામમાં અનિયમિત વીજ પુરવઠાથી લોકો પરેશાન થઇ ગયા છે.જ્યારે એગ્રીકલ્ચર લાઈનમાં 8 કલાક મળતો વીજ પુરવઠો પણ ખોરવાય જતા ખેડૂતોમાં રોષ જોવા મળ્યો

author-image
By Connect Gujarat Desk
New Update
  • અનિયમિત વીજ પુરવઠાએ ખેડૂતોમાં ચિંતા વધારી

  • વીજળી ખોરવાતા સિંચાઇની સમસ્યા પણ ઘેરી બની

  • ખેતરમાં ઉભા પાકમાં પાણી આપવું બન્યું મુશ્કેલ

  • છેલ્લા દસ દિવસથી નથી મળી રહી વીજળી

  • ખેડૂતોની રજૂઆત બાદ પણ સમસ્યા યથાવત 

Advertisment W3.CSS

અંકલેશ્વર તાલુકાના સુરવાડી ગામ ખાતે છેલ્લા દસ દિવસથી વીજ પુરવઠો ખોરવાયો છે,જેના કારણે એગ્રીકલ્ચર લાઈનમાં 8 કલાક મળતી વીજળી પણ ખેડૂતોને મળી રહી નથી,અને ખેતર માં ઉભો પાક સુકાઈ જવાની ભીતી ખેડૂતો વ્યક્ત કરી રહ્યા છે.

અંકલેશ્વર તાલુકાના સુરવાડી ગામમાં અનિયમિત વીજ પુરવઠાથી લોકો પરેશાન થઇ ગયા છે.જ્યારે એગ્રીકલ્ચર લાઈનમાં 8 કલાક મળતો વીજ પુરવઠો પણ ખોરવા જતા ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે.ખેડૂતો દ્વારા આ અંગે દક્ષિણ ગુજરાત વીજ કંપની લી.ખાતે રજૂઆત  બાદ પણ તેઓની સમસ્યાનું કોઈજ નિરાકરણ આવ્યું નથી.ખેતરમાં ઉભા પાકમાં સિંચાઈ માટે પાણી પણ તેઓ વીજ પુરવઠાના અભાવે આપી શકતા નથી.ત્યારે ઉભો પાક સુકાઈ ન જાય તે માટે ખેડૂતો દ્વારા પ્લાસ્ટિકના ડબ્બાથી પાકમાં પાણી નાખવાની નોબત આવી છે.