અંકલેશ્વર: વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા ખેલૈયાઓને કુમકુમ તિલક કરી ગરબા ગ્રાઉન્ડમાં પ્રવેશ અપાયો !

અંકલેશ્વરમાં આયોજિત ગરબા મહોત્સવમાં વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા ખેલૈયાઓને તિલક કરી ગરબા ગ્રાઉન્ડમાં પ્રવેશ આપવામાં આવ્યો હતો

New Update

અંકલેશ્વરમાં નવ નવેલી રાતની ઉજવણી

વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા યોજાયો કાર્યક્રમ

ખેલૈયાઓને કુમકુમ તિલક કરાયુ

તિલક કરી ગરબા ગ્રાઉન્ડમાં પ્રવેશ અપાયો

વી.હી.પના આગેવાનો જોડાયા

અંકલેશ્વરમાં આયોજિત ગરબા મહોત્સવમાં વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા ખેલૈયાઓને તિલક કરી ગરબા ગ્રાઉન્ડમાં પ્રવેશ આપવામાં આવ્યો હતો

જગત જનની માં જગદંબાની આરાધનાના પર્વ નવરાત્રીની અંકલેશ્વરમાં ભક્તિભાવ અને ઉત્સાહ સાથે ઉજવણી કરવામાં આવી રહી છે.અંકલેશ્વર શહેર અને જીઆઇડીસી વિસ્તારોમાં ઠેર ઠેર ગરબા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે વિશ્વ હિન્દુ પરિષદના આગેવાનો અને કાર્યકરોએ રોટરી ગરબા ગ્રાઉન્ડમાં પ્રવેશ મેળવતા ખેલૈયાઓને તિલક કરી તેમનું સ્વાગત કર્યું હતું.આ અંગે વિશ્વ હિન્દુ પરિષદના આગેવાનોના જણાવ્યા અનુસાર નવરાત્રીએ હિન્દુઓનો તહેવાર છે ત્યારે ગરબા ગ્રાઉન્ડમાં કોઈ વિધર્મી પ્રવેશ ના કરી શકે તે માટે અહીં આવતા દરેક ખેલૈયાઓનું તિલક કરી સ્વાગત કરવામાં આવ્યું હતું.વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા છેલ્લા ઘણા વર્ષોથી ગરબા રમવા આવતા ખેલૈયાઓને તિલક કરી તેમને ગરબા ગ્રાઉન્ડમાં પ્રવેશ આપવામાં આવે છે.

Read the Next Article

ભરૂચ: જંબુસર BRC ભવન ખાતે દિવ્યાંગ બાળકો માટે એસએસમેન્ટ કેમ્પ યોજાયો, 250 વિધ્યાર્થીઓએ લીધો લાભ

વિશિષ્ટ જરૂરિયાત ધરાવતા વિદ્યાર્થીઓને એડીપ્સ યોજના હેઠળ સાધન સહાયનો લાભ મળે તે માટે જિલ્લાવાર, બ્લોક કક્ષાએ એસેસમેન્ટ કેમ્પનું આયોજન કરવામાં આવી રહ્યું છે

New Update
  • ભરૂચના જંબુસરમાં કરવામાં આવ્યું આયોજન

  • બી.આર.સી.ભવન ખાતે આયોજન

  • દિવ્યાંગ બાળકો માટે કેમ્પ યોજાયો

  • 250 બાળકોએ લીધો લાભ

  • સાધન સહાયનું કરાયુ વિતરણ

ભરૂચના જંબુસર બી આર સી ભવન ખાતે દિવ્યાંગ બાળકો માટે એસએસમેન્ટ કેમ્પ યોજાયો હતો જેનો 250 જેટલા વિદ્યાર્થીઓએ લાભ લીધો હતો. સમગ્ર શિક્ષા ગાંધીનગર પ્રેરિત જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી તથા પ્રોજેક્ટ કો ઓર્ડીનેટરની કચેરી ભરૂચ દ્વારા એલિમ્કોના સહયોગથી દિવ્યાંગ બાળકો માટે એસએસમેન્ટ કેમ્પ બી.આર.સી ભવન જંબુસર ખાતે જિલ્લા આઈ.ઇ. ડી કોઓર્ડીનેટર ચૈતાલી પટેલની અધ્યક્ષતામાં યોજાયો હતો.
જેમાં ૨૫૦ બાળકોએ ભાગ લીધો હતો. વર્ષ 2025_26 ના બાલવાટિકાથી ધોરણ 12માં અભ્યાસ કરતા વિશિષ્ટ જરૂરિયાત ધરાવતા વિદ્યાર્થીઓને એડીપ્સ યોજના હેઠળ સાધન સહાયનો લાભ મળે તે માટે જિલ્લાવાર, બ્લોક કક્ષાએ એસેસમેન્ટ કેમ્પનું આયોજન કરવામાં આવી રહ્યું છે.કેમ્પમાં બીઆરસી કો-ઓર્ડીનેટર અશ્વિન પઢીયાર, આસિફભાઇ,આઇડી સ્ટાફ,સ્પેશિયલ એજ્યુકેટર તેમજ વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા.