અંકલેશ્વર: વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા ખેલૈયાઓને કુમકુમ તિલક કરી ગરબા ગ્રાઉન્ડમાં પ્રવેશ અપાયો !

અંકલેશ્વરમાં આયોજિત ગરબા મહોત્સવમાં વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા ખેલૈયાઓને તિલક કરી ગરબા ગ્રાઉન્ડમાં પ્રવેશ આપવામાં આવ્યો હતો

New Update

અંકલેશ્વરમાં નવ નવેલી રાતની ઉજવણી

વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા યોજાયો કાર્યક્રમ

ખેલૈયાઓને કુમકુમ તિલક કરાયુ

તિલક કરી ગરબા ગ્રાઉન્ડમાં પ્રવેશ અપાયો

વી.હી.પના આગેવાનો જોડાયા

અંકલેશ્વરમાં આયોજિત ગરબા મહોત્સવમાં વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા ખેલૈયાઓને તિલક કરી ગરબા ગ્રાઉન્ડમાં પ્રવેશ આપવામાં આવ્યો હતો

જગત જનની માં જગદંબાની આરાધનાના પર્વ નવરાત્રીની અંકલેશ્વરમાં ભક્તિભાવ અને ઉત્સાહ સાથે ઉજવણી કરવામાં આવી રહી છે.અંકલેશ્વર શહેર અને જીઆઇડીસી વિસ્તારોમાં ઠેર ઠેર ગરબા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે વિશ્વ હિન્દુ પરિષદના આગેવાનો અને કાર્યકરોએ રોટરી ગરબા ગ્રાઉન્ડમાં પ્રવેશ મેળવતા ખેલૈયાઓને તિલક કરી તેમનું સ્વાગત કર્યું હતું.આ અંગે વિશ્વ હિન્દુ પરિષદના આગેવાનોના જણાવ્યા અનુસાર નવરાત્રીએ હિન્દુઓનો તહેવાર છે ત્યારે ગરબા ગ્રાઉન્ડમાં કોઈ વિધર્મી પ્રવેશ ના કરી શકે તે માટે અહીં આવતા દરેક ખેલૈયાઓનું તિલક કરી સ્વાગત કરવામાં આવ્યું હતું.વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા છેલ્લા ઘણા વર્ષોથી ગરબા રમવા આવતા ખેલૈયાઓને તિલક કરી તેમને ગરબા ગ્રાઉન્ડમાં પ્રવેશ આપવામાં આવે છે.

Read the Next Article

ભરૂચ: નર્મદા પરિક્રમાવાસીઓ માટે CM ભુપેન્દ્ર પટેલનો મહત્વનો નિર્ણય, હાંસોટના વમલેશ્વરમાં 100091 ચો.મી.જમીન ફાળવાય

ભરૂચના હાંસોટના વમલેશ્વર ખાતે નર્મદા પરિક્રમા પથના યાત્રાધામોના વિકાસ માટે મુખ્યમંત્રીએ મહત્વપૂર્ણ નિર્ણય લઈ 10091 ચો. મીટર જમીનની ફાળવણી કરી છે.

New Update
bhupendra

ભરૂચના હાંસોટના વમલેશ્વર ખાતે નર્મદા પરિક્રમા પથના યાત્રાધામોના વિકાસ માટે મુખ્યમંત્રીએ મહત્વપૂર્ણ નિર્ણય લઈ 10091 ચો. મીટર જમીનની ફાળવણી કરી છે.

નર્મદા પરિક્રમા માર્ગ પર આવેલા યાત્રાધામો અને પરિક્રમાપથ ખાતે યાત્રાધામોના વિકાસની કામગીરી અર્થે પ્રવાસન ખાતા (ઉદ્યોગ અને ખાણ) વિભાગને વહીવટી હુકમ- 3 હેઠળ જમીન તબદીલ કરી આપવામાં આવી છે.ગુજરાત રાજ્યમાં નર્મદા પરિક્રમા આગવી ઓળખ સાથે ધાર્મિક મહત્વ ધરાવે છે. વમલેશ્વર યાત્રાધામ સહિત નર્મદા પરિક્રમા માર્ગ પર આવેલા અને પરિક્રમાપથના યાત્રાધામોના વિકાસથી ગુજરાત અને મઘ્યપ્રદેશ રાજ્યના હજારો પરિક્રમાવાસીઓ અને શ્રદ્ધાળુને પડતી વિવિધ મુશ્કેલીઓ હવે ભૂતકાળ બનશે.રાજ્ય સરકારના આ સંવેદનશીલ નિર્ણયથી ખરા અર્થમાં ભરૂચ જિલ્લામાં પ્રવાસન વિભાગને પ્રોત્સાહન મળશે તેમજ સ્થાનિકોને પણ તેનો લાભ થનાર છે. નર્મદા પરિક્રમા માર્ગ પર આવેલા યાત્રાધામો અને પરિક્રમાપથ ખાતે યાત્રાધામોના વિકાસની કામગીરી અર્થે મહત્વનો નિર્ણય લઇ જમીન ફાળવવાની મુખ્યમંત્રીએ મંજૂરી આપી છે. પ્રવાસન ખાતા દ્વારા વમલેશ્વર ખાતે સર્વે નંબર 553 ની 10091 ચોરસ મીટર જમીન ફાળવવા અંગે સરકારમાં માંગણી કરવામાં આવી હતી. જેને અનુલક્ષી મુખ્યમંત્રીએ આ નિર્ણય કર્યો છે.
ભરૂચ જિલ્લાના હાંસોટ તાલુકામાં આવેલું વમલેશ્વર ધાર્મિક સ્થળોમાં ખૂબ વિખ્યાત યાત્રાધામ છે. આ યાત્રાધામ સાથે નર્મદા પરિક્રમા ખૂબ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. વહીવટી મંજૂર હુકમ 3 હેઠળ તબદીલ કરતા મુખ્યમંત્રીનો આ નિર્ણય મહત્વપૂર્ણ બની રહેશે.