સનાતન ધર્મના ગાદીપતિ પૂ.સોમદાસ બાપુ ના સાનિધ્યમાં ગુરુપૂર્ણિમાની ઉજવણી

ભરૂચ શહેર જિલ્લામાં વિવિધ સ્થળે ગુરુ વંદના ના પર્વ ગુરુ પૂર્ણિમાની શ્રદ્ધા અને ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી.

New Update

ભરૂચ શહેર જિલ્લામાં વિવિધ સ્થળે ગુરુ વંદના ના પર્વ ગુરુ પૂર્ણિમાની શ્રદ્ધા અને ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. ગુરુ જ શિષ્યને માર્ગદર્શન આપે છે અને તે જ જીવનને ઊર્જામય બનાવે છે.

ગુરુપૂર્ણિમા ના આ વિશેષ પર્વ નિમિત્તે ભરુચની રજનીગંધા સોસાયટી ખાતે આવેલ સનાતન ધર્મ પરિવારના ગાદીપતિ પૂજ્ય સોમદાસ બાપુ ના આશ્રમ ખાતે ગુરુપૂર્ણિમા મહોત્સવની ઉજવણી હર્ષોલ્લાસ સાથે કરવામાં કરવામાં આવી હતી.સનાતન ધર્મ પરિવારના અગ્રણી ધનજીભાઈ પરમાર,ભરૂચના પૂર્વ ધારાસભ્ય અને ભાજપ સંઘ પ્રદેશ પ્રભારી દુષ્યંત પટેલ,ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રીજિલ્લા ભાજપ મહામંત્રી નિરલ પટેલ સહિત વિવિધ ક્ષેત્રના અગ્રણીઓ તેમજ સનાતન ધર્મ પરિવારના ભરૂચ સહિત રાજ્યભરમાંથી અનુયાયીઓ ખુબ મોટી સંખ્યામાં પૂજ્ય સોમદાસ બાપુની ભાવ વંદના,ગુરુ દર્શન અને આશીર્વાદ માટે ઉમટ્યા હતા.

Read the Next Article

ભરૂચ : પ્રથમ વરસાદમાં જ રાજપારડીથી SOUને જોડતો મુખ્ય બન્યો અત્યંત માર્ગ બિસ્માર..!

ઝઘડીયા તાલુકાના રાજપારડીથી એક્તાનગર સરદાર પ્રતિમાને જોડતો મુખ્ય માર્ગ પ્રથમ વરસાદમાં જ અત્યંત બિસ્માર બનતા અનેક વાહન ચાલકો પરેશાન થઈ ઉઠ્યા..

New Update
  • ઝઘડીયા તાલુકામાં વિવિધ માર્ગ બન્યા અત્યંત બિસ્માર

  • રાજપારડીથી SOUને જોડતો મુખ્ય માર્ગ બિસ્માર બન્યો

  • પ્રથમ વરસાદમાં જ માર્ગ બિસ્માર બનતા લોકોને હાલાકી

  • માર્ગ પરથી પસાર થતાં અનેક વાહન ચાલકોને પરેશાની

  • વહેલીતકે બિસ્માર માર્ગનું સમારકામ હાથ ધરવાની માંગ 

ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના રાજપારડીથી એક્તાનગર સરદાર પ્રતિમાને જોડતો મુખ્ય માર્ગ પ્રથમ વરસાદમાં જ અત્યંત બિસ્માર બનતા અનેક વાહન ચાલકો પરેશાન થઈ ઉઠ્યા છે.

હાલ ભરૂચ જિલ્લામાં ચોમાસાની વિધિવત રીતે શરૂઆત થઈ છેત્યારે પ્રથમ વરસાદથી જિલ્લાના કેટલાક માર્ગ બિસ્માર બન્યા છે. જેમાં ઝઘડીયા તાલુકાના રાજપારડીથી એક્તાનગર સરદાર પ્રતિમાને જોડતો મુખ્ય માર્ગ પ્રથમ વરસાદમાં જ અત્યંત બિસ્માર બનતા અનેક વાહન ચાલકો પરેશાન થઈ ઉઠ્યા છે. રાજપારડી ચાર રસ્તા નજીક પ્રથમ વરસાદથી જ માર્ગ પર ખાડા પડવાની શરૂઆત થઈ ગઈ હતી.

વરસાદનું આગમન થતાં જ માર્ગો પર ખાડાઓ પડતાં વાહન ચાલકો પરેશાન થઈ ઉઠ્યા છે. માર્ગ અત્યંત બિસ્માર બનતા વાહન ચાલકોની હાલત કફોડી બની છે. આ માર્ગ પર મોટા તેમજ જીવલેણ ખાડા પડતા વાહન ચાલકોને અકસ્માતનો ભય સતાવી રહ્યો છેત્યારે વહેલી તકે બિસ્માર માર્ગનું સમારકામ હાથ ધરવામાં આવે તેવી સ્થાનિકો સહિત રાહદારીઓ માંગ કરી રહ્યા છે.