સનાતન ધર્મના ગાદીપતિ પૂ.સોમદાસ બાપુ ના સાનિધ્યમાં ગુરુપૂર્ણિમાની ઉજવણી

ભરૂચ શહેર જિલ્લામાં વિવિધ સ્થળે ગુરુ વંદના ના પર્વ ગુરુ પૂર્ણિમાની શ્રદ્ધા અને ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી.

New Update

ભરૂચ શહેર જિલ્લામાં વિવિધ સ્થળે ગુરુ વંદના ના પર્વ ગુરુ પૂર્ણિમાની શ્રદ્ધા અને ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. ગુરુ જ શિષ્યને માર્ગદર્શન આપે છે અને તે જ જીવનને ઊર્જામય બનાવે છે.

ગુરુપૂર્ણિમા ના આ વિશેષ પર્વ નિમિત્તે ભરુચની રજનીગંધા સોસાયટી ખાતે આવેલ સનાતન ધર્મ પરિવારના ગાદીપતિ પૂજ્ય સોમદાસ બાપુ ના આશ્રમ ખાતે ગુરુપૂર્ણિમા મહોત્સવની ઉજવણી હર્ષોલ્લાસ સાથે કરવામાં કરવામાં આવી હતી.સનાતન ધર્મ પરિવારના અગ્રણી ધનજીભાઈ પરમાર,ભરૂચના પૂર્વ ધારાસભ્ય અને ભાજપ સંઘ પ્રદેશ પ્રભારી દુષ્યંત પટેલ,ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રીજિલ્લા ભાજપ મહામંત્રી નિરલ પટેલ સહિત વિવિધ ક્ષેત્રના અગ્રણીઓ તેમજ સનાતન ધર્મ પરિવારના ભરૂચ સહિત રાજ્યભરમાંથી અનુયાયીઓ ખુબ મોટી સંખ્યામાં પૂજ્ય સોમદાસ બાપુની ભાવ વંદના,ગુરુ દર્શન અને આશીર્વાદ માટે ઉમટ્યા હતા.

#Bharuch #Gujarat #CGNews #Bharuch City #Somdas Bapu #Guru #Guru Purnima
Here are a few more articles:
Read the Next Article