અંકલેશ્વર પાલિકા દ્વારા મુખ્ય માર્ગો પર સાફ સફાઈની કામગીરી શરૂ કરાય

અંકલેશ્વર નગર સેવા સદન દ્વારા સ્વચ્છતા હી સેવા અભિયાન અંતર્ગત શહેરના મુખ્ય માર્ગો પર  સાફ સફાઈની કામગીરીનો પ્રારંભ કરવામાં આવ્યો છે

New Update

અંકલેશ્વર નગર સેવા સદન દ્વારા ઉજવણી

સ્વરછતા હી સેવા અભિયાનની ઉજવણી

મુખ્ય માર્ગો પર સાફ સફાઈ શરૂ કરાય

તબક્કાવાર કરવામાં આવશે સાફ સફાઈ

લોકોને સહકાર આપવા કરાય અપીલ

અંકલેશ્વર નગર સેવા સદન દ્વારા સ્વચ્છતા હી સેવા અભિયાન અંતર્ગત શહેરના મુખ્ય માર્ગો પર  સાફ સફાઈની કામગીરીનો પ્રારંભ કરવામાં આવ્યો છે

અંકલેશ્વર નગર સેવાસદન દ્વારા સ્વચ્છતા હી સેવા અભિયાનની ઉજવણી કરવામાં આવી રહી છે જે અંતર્ગત વિવિધ જનજાગૃતિ કાર્યક્રમ તો યોજાઇ રહ્યા છે પરંતુ નગર સેવા સદન દ્વારા પ્રથમ તબક્કામાં શહેરના મુખ્ય માર્ગો પર સાફ સફાઈની કામગીરી શરૂ કરી છે. અંકલેશ્વરના પીરામણ નાકાથી સુરતી ભાગોળ અને ગોયા બજાર સુધીના મુખ્ય માર્ગ પર આજરોજ નગર સેવાસદન દ્વારા સાફ-સફાઈ કરવામાં આવી હતી ત્યારબાદ તબક્કાવાર અન્ય માર્ગો પર પણ સાફ સફાઈ કરવામાં  આવશે. નગર સેવાસદન દ્વારા સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવી રહ્યું છે પરંતુ કેટલાક બેજવાબદાર નાગરિકો કચરાપેટી બહાર જ કચરો નાખતા હોવાનું તંત્રના ધ્યાને આવ્યું ત્યારે નગર સેવા સદનના  મુખ્ય અધિકારી કેશવ કોલડીયા દ્વારા લોકોને નગરપાલિકાને સ્વચ્છતા અભિયાનમાં સાથ સહકાર આપવા અપીલ કરવામાં આવી છે.

Read the Next Article

અંકલેશ્વરથી વાલિયા-નેત્રંગને જોડતા માર્ગની કામગીરીમાં ભ્રષ્ટાચારના આક્ષેપ, કોંગ્રેસે આંદોલનની ચીમકી ઉચ્ચારી

ભરૂચના નેત્રંગના કોંગ્રેસી આગેવાન શેરખાન પઠાણ દ્વારા અંકલેશ્વર-વાલિયા માર્ગની કામગીરીમાં ભ્રષ્ટાચાર થયો હોવાના આક્ષેપ સાથે જવાબદાર એજન્સી સહિતના અધિકારીઓ સામે પગલાં ભરવા માંગ કરવામાં આવી છે.

New Update
  • અંકલેશ્વરથી નેત્રંગને જોડતા માર્ગની કામગીરી

  • રૂ.55 કરોડના ખર્ચે માર્ગનું થઈ રહ્યું છે નિર્માણ

  • માર્ગની કામગીરીમાં ભ્રષ્ટાચારના આક્ષેપ

  • કોંગ્રેસ દ્વારા આંદોલનની ચીમકી ઉચ્ચરાય

  • કોર્ટ કેસની પણ ચીમકી

ભરૂચના નેત્રંગના કોંગ્રેસી આગેવાન શેરખાન પઠાણ દ્વારા અંકલેશ્વર-વાલિયા માર્ગની કામગીરીમાં ભ્રષ્ટાચાર થયો હોવાના આક્ષેપ સાથે જવાબદાર એજન્સી સહિતના અધિકારીઓ સામે પગલાં ભરવા માંગ કરવામાં આવી છે.
ભરૂચના વાલિયા તાલુકાના સહકારી આગેવાન અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મહામંત્રી સંદીપસિંહ માંગરોલા બાદ નેત્રંગના કોંગ્રેસી આગેવાન શેરખાન પઠાણ દ્વારા અંકલેશ્વર-વાલિયા માર્ગની કામગીરી અધિકારીઓ અને કોન્ટ્રાકટરની મિલી ભગતથી હલકી ગુણવત્તાની કરવામાં આવતી હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે.અંકલેશ્વર-વાલિયા અને નેત્રંગને જોડતો રાજ્ય ધોરીમાર્ગ નંબર-13 પ્રથમ વરસાદે જ બિસ્માર બન્યો છે.ઠેરઠેર ખાડાઓ અને માર્ગ તૂટી ગયો હોવાથી તેમાં યોગ્ય સામગ્રી વાપરવા નહીં આવી હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે.
ભરૂચ જિલ્લામાં મનરેગા કૌભાંડ સામે આવ્યું છે.તે રીતે 55 કરોડના ખર્ચે બની રહેલ નેત્રંગ-અંકલેશ્વર માર્ગમાં ભ્રષ્ટાચાર થયો હોવા સાથે અધિકારી,કોન્ટ્રાકટર સહિત લાગતા વળતા વિભાગના મંત્રીનો હાથ હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે.જો આ કામગીરી સારી ગુણવત્તાની નહીં કરવામાં આવે તો તાળાબંધીની ચીમકી ઉચ્ચારવામા આવી છે.અને  માર્ગનું નિર્માણ કરનાર શિવાલય ઈંફાસ્ટ્રક્ચર એજન્સી તેમજ અધિકારી સામે કોર્ટ કેસ કરવાની પણ ચીમકી ઉચ્ચારવામા આવી છે.