ભરૂચ : દાઉદી વ્હોરા સમાજ દ્વારા રમઝાન ઇદના પર્વની ઉત્સાહભેર ઉજવણી,બાળકો માટે મેળાનું આયોજન

ભરૂચમાં વસતા દાઉદી વોહરા સમાજના લોકોએ ઉત્સાહિત રમજાન ઈદના પર્વની ઉજવણી કરવામાં આવી હતી જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા

New Update
  • ભરૂચમાં દાઉદી વ્હોરા સમાજ દ્વારા ઉજવણી

  • રમઝાન ઇદના પર્વની કરાય ઉજવણી

  • એકમેકને ઇદના પર્વની શુભમામના પાઠવાય

  • બાળકો માટે મેળાનુ આયોજન

  • મોટી સંખ્યામાં લોકો જોડાયા

Advertisment
પવિત્ર રમજાન માસમાં દાઉદી વ્હોરા સમાજના લોકો દ્વારા એક માસ સુધી રોજા રાખી ઈબાદત કરવામાં આવી હતી. ભરૂચ કોટ પારસીવાડ વિસ્તારમાં વસતા દાઉદી વ્હોરા સમાજના લોકોએ આજ રોજ મસ્જીદમાં રમજાન ઇદની વિશેષ નમાજ અદાકરી એકબીજાને રમજાન ઇદની શુભકામનાઓ પાઠવી હતી.
નાના ભૂલકાઓએ તેઓના વિસ્તારમાં લાગેલા નાનકડા મેળામાં ઇદના દિવસને હર્ષોલ્લાસ સાથે ઊજવ્યો હતો સાથે જ દૂધ સેવૈયા આરોગી એક બીજાને મુબારક બાદી આપી હતી.
આ પ્રસંગે સામાજિક કાર્યકર મૌઝમભાઇએ ખુશી વ્યક્ત કરતા જણાવ્યું કે દાઉદી વ્હોરા સમાજ  રસુલ અલ્લાહ તાલાઓ શરીફના ફરમાન મુજબ ઇદ ઊજવીએ છે. આગામી  દિવસમાં મુસ્લિમ સમાજની ઇદ આવશે તેમાટે તેમણે તમામ મુસ્લિમ બિરાદરોને શુભકામના પાઠવી હતી.
Advertisment
Read the Next Article

અંકલેશ્વર : જલારામ મંદિરથી નવી દીવી રોડ પર આવેલ નાળાનું કામ ખોરંભે ચઢ્યું, સ્થાનિકો-રાહદારીઓને હાલાકી...

ભરૂચ જિલ્લાના અંકલેશ્વરના નવી દીવી રોડ પર આવેલ નાળાનું કામ છેલ્લા 4 મહિનાથી ખોરંભે ચઢતા સ્થાનિકો સહિત રાહદારીઓને ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો છે.

New Update

છેલ્લા 4 મહિનાથી ચાલતી કામગીરી બંધ થઈ

Advertisment

લોકોમાં ધીમી કામગીરીને લઈને ફેલાયો છે રોષ

કમોસમી માવઠાને લઈ ડાઈવર્ઝન માર્ગ બિસ્માર

નાળાની કામગીરી ઝડપથી પૂર્ણ કરવા માંગ ઉઠી

ભરૂચ જિલ્લાના અંકલેશ્વરના નવી દીવી રોડ પર આવેલ નાળાનું કામ છેલ્લા 4 મહિનાથી ખોરંભે ચઢતા સ્થાનિકો સહિત રાહદારીઓને ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો છે.

ભરૂચ જિલ્લાના અંકલેશ્વરના નવી દીવી અને નવા દીવા ગામના માર્ગ પર જલારામ મંદિર સ્વર્ણિમ લેક-વ્યુ પાર્ક નજીક  વર્ષો જૂનું નાળું આવેલું છે. જે બિસ્માર નાળાના નવીનીકરણની કામગીરી 4 મહિના પહેલા ભરૂચ જિલ્લા પંચાયત માર્ગ અને મકાન વિભાગ દ્વારા ઈજારો આપી શરૂ કરાવવામાં આવી હતી. જોકે4-4 મહિના થઈ ગયા હોવા છતાં ગોકળ ગતિએ ચાલતી કામગીરીને લઇ સ્થાનિકો સહિત રાહદારીઓને ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો છે. તાજેતરમાં જ આવેલ કમોસમી વરસાદને લઇ માર્ગની બાજુમાં આપેલ ડાઈવર્ઝનનું પણ ધોવાણ થતાં ત્યાંથી વાહનો પસાર કરવું મુશ્કેલ બન્યું છે. છેલ્લા એક સપ્તાહ ઉપરાંતથી અટકેલ કામગીરી શરૂ કરાવવા માટે લોકો રસ્તે ઉતરી આવ્યા હતા. આ અંગે નવી દીવી ગામના રહેવાસીએ જણાવ્યું હતું કેછેલ્લા 4 મહિનાથી અટકી ગયેલી કામગીરી અને ડાઈવર્ઝન માર્ગ પણ અત્યંત બિસ્માર બન્યો છે. અહી 2 ગામ તેમજ વિવિધ સોસાયટીના રહીશોને આવાગમન કરવામાં ભારે અગવડતા ઉભી થઈ છે. અત્રે ઉલ્લેખનીય છે કેચોમાસું બેસવાને ગણતરીના જ દિવસો બાકી રહ્યા છેત્યારે હવે આ અધૂરી કામગીરીને તાકીદે શરૂ કરવામાં આવે તેવી સ્થાનિકો સહિત રાહદારીઓ માંગ કરી રહ્યા છે.

Advertisment