અંકલેશ્વર: GIDCના વિવિધ વિસ્તારોમાં દબાણ હટાવો ઝુંબેશ, મુખ્યમાર્ગને અડીને ઉભા કરાયેલ દબાણો હટાવાયા

અંકલેશ્વર ઉદ્યોગ મંડળ દ્વારા જીઆઇડીસીના વિવિધ વિસ્તારોમાં આજથી દબાણ હટાવો ઝુંબેશ શરૂ કરવામાં આવી છે જેમાં મુખ્ય માર્ગને અડીને ઉભા કરાયેલા ગેરકાયદેસર દબાણો દૂર કરવામાં આવી રહ્યા છે

New Update

અંકલેશ્વર જીઆઈડીસીમાં કામગીરી

ઉદ્યોગ મંડળ દ્વારા દબાણ હટાવો ઝુંબેશ શરૂ કરાય

મુખ્યમાર્ગને અડીને ઉભા કરાયેલ દબાણો હટાવાયા

પોલીસ કાફલો પણ સાથે રખાયો

આવનારા દિવસોમાં પણ ઝુંબેશ ચાલુ રહેશે

અંકલેશ્વર ઉદ્યોગ મંડળ દ્વારા જીઆઇડીસીના વિવિધ વિસ્તારોમાં આજથી દબાણ હટાવો ઝુંબેશ શરૂ કરવામાં આવી છે જેમાં મુખ્ય માર્ગને અડીને ઉભા કરાયેલા ગેરકાયદેસર દબાણો દૂર કરવામાં આવી રહ્યા છે

એશિયાની સૌથી મોટી ઔદ્યોગિક વસાહત અંકલેશ્વર જીઆઇડીસીના રહેણાંક વિસ્તારોમાં ટ્રાફિકજામની સમસ્યા દિન પ્રતિદિન વકરી રહી છે. મુખ્યમાર્ગને અડીને ઉભા કરાયેલા ગેરકાયદેસર દબાણોના કારણે વાહન વ્યવહારને અસર પહોંચે છે.આ અંગેની ફરિયાદો મળતા અંકલેશ્વર ઉદ્યોગ મંડળ દ્વારા દબાણ હટાવો ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. અંકલેશ્વર ઉદ્યોગ મંડળ દ્વારા નોટિફાઇડ એરીયા ઓથોરિટી અને જીઆઇડીસીને જાણ કર્યા બાદ આજથી દબાણ હટાવો ઝુંબેશનો પ્રારંભ કરવામાં આવ્યો છે. આજરોજ પ્રથમ દિવસે અંકલેશ્વરના સરદાર પાર્ક, ગોલ્ડન પોઇન્ટ સહિતના વિસ્તારોમાં મુખ્ય માર્ગને અડીને ઉભા કરાયેલા ગેરકાયદેસર દબાણો દૂર કરવામાં આવ્યા હતા અને માર્ગને ખુલ્લો કરવામાં આવ્યો હતો.દબાણ હટાવો ઝુંબેશ દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ કાફલો પણ તૈનાત રાખવામાં આવ્યો હતો. આ અંગે અંકલેશ્વર ઉદ્યોગ મંડળની સિક્યુરિટી કમિટીના ચેરમેન ધર્મેશ ડોબારિયાએ જણાવ્યું હતું કે ટ્રાફિકજામની જે સમસ્યા મળી હતી તેના અનુસંધાને આજથી દબાણ હટાવો ઝુંબેશ શરૂ કરવામાં આવી છે અને આવનારા દિવસોમાં પણ જીઆઇડીસીના રહેણાક તેમજ ઇન્ડસ્ટ્રીયલ સહિતના વિસ્તારોમાં દબાણો દૂર કરવામાં આવશે

Read the Next Article

ભરૂચ : અંકલેશ્વર-ઝઘડિયા માર્ગ પર કાર ચાલકે અડફેટે લેતા બાઈક સવારનું ઘટના સ્થળે મોત, પોલીસે તપાસ આરંભી...

કાર ચાલકે બાઈક સવારને ટક્કર મારી હતી. જેના કારણે બાઈક સવાર રાજુભાઈ ચખલીયા બાઈક સાથે રોડ પર ફંગોળાયા હતા, જેથી તેઓને શરીરે ગંભીર ઇજા પહોંચતા ઘટના સ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું

New Update
  • અંકલેશ્વર-ઝઘડિયા માર્ગ પર સર્જાયો ગમખ્વાર અકસ્માત

  • કાર અને બાઇક વચ્ચેના અકસ્માતમાં એક વ્યક્તિનું મોત

  • કાર ચાલકે બાઈક સવાર યુયાવ્કને અડફેટે લેતા કરૂણ મોત

  • સ્થળ પર પરિવારના આક્રંદથી વાતાવરણ ગમગીન બન્યું

  • પોલીસે કાર ચાલક વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ કરી 

ભરૂચ જિલ્લાના અંકલેશ્વર-ઝઘડિયા માર્ગ પર કાર અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં કાર ચાલકે અડફેટે લેતા બાઈક સવારનું ઘટના સ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું.

મળતી માહિતી અનુસારભરૂચ જિલ્લાના અંકલેશ્વરથી ઝઘડિયાને જોડતા મુખ્ય માર્ગની કામગીરી ચાલી રહી છે. આ વચ્ચે ઉછાલી નજીક નાના પુલીયા તેમજ એપ્રોચ રોડની ચાલતી કામગીરીના પગલે માર્ગ અત્યંત બિસ્માર બન્યો છે. એટલું જ નહીંદઢાલ બ્રિજ પર પડેલા મસમોટા ખાડા અકસ્માતનું નિમિત્ત બની રહ્યા છે.

તેવામાં આજરોજ અંકલેશ્વરના ઉછાલી ગામ નજીક ભારત પેટ્રોલિયમ પાસે ઉછાલી ગામના રણુજા ફાર્મમાં રહેતા 36 વર્ષીય શ્રમિક રાજુભાઈ ચખલીયા બાઈક પર ઉછાલી નજીકથી પસાર થઈ રહ્યા હતા. તે દરમ્યાન કાર ચાલકે બેફિકરાઈ ભરી રીતે ખાડે ગયેલા રોડ પર પણ પૂરપાટ આવતા બાઈક સવારને ટક્કર મારી હતી. જેના કારણે બાઈક સવાર રાજુભાઈ ચખલીયા બાઈક સાથે રોડ પર ફંગોળાયા હતાજેથી તેઓને શરીરે ગંભીર ઇજા પહોંચતા ઘટના સ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું.

બનાવની જાણ થતાં જ પરિવારજનો ઘટના સ્થળે દોડી આવ્યા હતાજ્યાં પરિવારજનો હૈયાફાટ રુદનથી વાતાવરણમાં ગમગીની છવાય હતી. ઘટના અંગે તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાતા પોલીસે ફરાર કાર ચાલક વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. અત્રે ઉલેખનીય છે કેમાર્ગના નવીનીકરણ વચ્ચે વરસાદના પગલે માર્ગ વધુ બિસ્માર બન્યો છેજેથી વાહન ચાલકો ખાડામાં પટકાઈને અકસ્માતને ભેટી રહ્યા છેત્યારે મંથર ગતિએ ચાલતા રોડના નવીનીકરણ અને પુલની કામગીરીને લઇ લોકોમાં રોષ ફેલાયો છે.