અંકલેશ્વર: GIDCના વિવિધ વિસ્તારોમાં દબાણ હટાવો ઝુંબેશ, મુખ્યમાર્ગને અડીને ઉભા કરાયેલ દબાણો હટાવાયા

અંકલેશ્વર ઉદ્યોગ મંડળ દ્વારા જીઆઇડીસીના વિવિધ વિસ્તારોમાં આજથી દબાણ હટાવો ઝુંબેશ શરૂ કરવામાં આવી છે જેમાં મુખ્ય માર્ગને અડીને ઉભા કરાયેલા ગેરકાયદેસર દબાણો દૂર કરવામાં આવી રહ્યા છે

New Update

અંકલેશ્વર જીઆઈડીસીમાં કામગીરી

ઉદ્યોગ મંડળ દ્વારા દબાણ હટાવો ઝુંબેશ શરૂ કરાય

મુખ્યમાર્ગને અડીને ઉભા કરાયેલ દબાણો હટાવાયા

પોલીસ કાફલો પણ સાથે રખાયો

આવનારા દિવસોમાં પણ ઝુંબેશ ચાલુ રહેશે

અંકલેશ્વર ઉદ્યોગ મંડળ દ્વારા જીઆઇડીસીના વિવિધ વિસ્તારોમાં આજથી દબાણ હટાવો ઝુંબેશ શરૂ કરવામાં આવી છે જેમાં મુખ્ય માર્ગને અડીને ઉભા કરાયેલા ગેરકાયદેસર દબાણો દૂર કરવામાં આવી રહ્યા છે

એશિયાની સૌથી મોટી ઔદ્યોગિક વસાહત અંકલેશ્વર જીઆઇડીસીના રહેણાંક વિસ્તારોમાં ટ્રાફિકજામની સમસ્યા દિન પ્રતિદિન વકરી રહી છે. મુખ્યમાર્ગને અડીને ઉભા કરાયેલા ગેરકાયદેસર દબાણોના કારણે વાહન વ્યવહારને અસર પહોંચે છે.આ અંગેની ફરિયાદો મળતા અંકલેશ્વર ઉદ્યોગ મંડળ દ્વારા દબાણ હટાવો ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. અંકલેશ્વર ઉદ્યોગ મંડળ દ્વારા નોટિફાઇડ એરીયા ઓથોરિટી અને જીઆઇડીસીને જાણ કર્યા બાદ આજથી દબાણ હટાવો ઝુંબેશનો પ્રારંભ કરવામાં આવ્યો છે. આજરોજ પ્રથમ દિવસે અંકલેશ્વરના સરદાર પાર્ક, ગોલ્ડન પોઇન્ટ સહિતના વિસ્તારોમાં મુખ્ય માર્ગને અડીને ઉભા કરાયેલા ગેરકાયદેસર દબાણો દૂર કરવામાં આવ્યા હતા અને માર્ગને ખુલ્લો કરવામાં આવ્યો હતો.દબાણ હટાવો ઝુંબેશ દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ કાફલો પણ તૈનાત રાખવામાં આવ્યો હતો. આ અંગે અંકલેશ્વર ઉદ્યોગ મંડળની સિક્યુરિટી કમિટીના ચેરમેન ધર્મેશ ડોબારિયાએ જણાવ્યું હતું કે ટ્રાફિકજામની જે સમસ્યા મળી હતી તેના અનુસંધાને આજથી દબાણ હટાવો ઝુંબેશ શરૂ કરવામાં આવી છે અને આવનારા દિવસોમાં પણ જીઆઇડીસીના રહેણાક તેમજ ઇન્ડસ્ટ્રીયલ સહિતના વિસ્તારોમાં દબાણો દૂર કરવામાં આવશે

Read the Next Article

અંકલેશ્વર: ONGCમાં નોકરીના બહાને રૂ.1.84 કરોડની છેતરપીંડીમાં ફરિયાદી જ આરોપી નિકળ્યો, પોલીસે કરી ધરપકડ

આરોપીએ વ્યક્તી દીઠ બે થી અઢી લાખ રૂપિયા લઇ ONGC કંપનીમાં હજીરા, મહેસાણા તથા ખંભાત ખાતે નોકરીએ લગાડવાની લાલચ આપી અનેક લોકોને ફસાવ્યા હતા...

New Update
ONGC Fraud
અંકલેશ્વર ONGC માં અલગ અલગ સ્થળે 90 લોકોને નોકરીની લાલચ આપી 1.84 કરોડની ઠગાઈમાં વોન્ટેડ આરોપી ઝડપાતા ફરિયાદી પણ આરોપી હોવાનો થયો ધડાકો અંકલેશ્વરની ONGC કંપનીમાં સિક્યોરિટીમાં રાજ્યમાં અલગ અલગ સ્થળે નોકરીની લાલચે 90થી વધુ લોકો સાથે આચરાયેલા રૂપિયા 1.84 કરોડના કૌભાંડમાં ફરિયાદી પણ આરોપી નીકળ્યો છે. 
અંકલેશ્વરની અમૃતકુંજ સોસાયટીમાં રહેતા ફરિયાદી એવા આરોપી ઘનશ્યામસીધ રાજપુતની અંકલેશ્વર એ ડિવિઝન પોલીસે ધરપકડ કરી લીધી છે. વર્ષ 2022 થી 2024 માં વિરાટ નગર રહેતા ઓગસ્ત હરદેવ પાંડે એ પોતે નેશનલ ઇન્વેસ્ટીગેશન સિક્યુરીટી સર્વીિસ NISS કંપનીના મેનેજર તરીકેની ખોટી ઓળખ આપી હતી. વ્યક્તી દીઠ બે થી અઢી લાખ રૂપિયા લઇ ONGC કંપનીમાં હજીરા, મહેસાણા તથા ખંભાત ખાતે નોકરીએ લગાડવાની લાલચમાં લોકોને ફસાવ્યા હતા.
NISS કંપનીના બોગસ જોઇનીંગ લેટર અને આઇ કાર્ડ બનાવી તેનો સાચા તરીકે ઉપયોગ કરી વિશ્વાસમાં લઇ હાલના આરોપી એવા ફરિયાદીના પરિવારના 10 લોકો સહિત કુલ 50 જેટલા લોકો પાસેથી રૂપિયા 1.04 કરોડ પડાવ્યા હતા.સાથે જ ઠાકોરભાઇ આહીર અને તેની સાથેના 40 અન્ય લોકો પાસેથી દરેકના બે લાખ લેખે આશરે ₹80 લઇ નોકરીએ નહિ લગાવી નાસી છૂટ્યો હતો. જે આરોપી અગસ્ત પાંડે પકડાતા તેને પોલીસ સમક્ષ આ કૌભાંડમાં ફરિયાદી એવો ઘનશ્યામ સિંઘ પણ સામેલ હોવાનો ઘટસ્ફોટ કર્યો હતો. એ ડિવિઝન પોલીસે ફરિયાદીની આરોપી તરીકે ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.