અંકલેશ્વર: GIDCના વિવિધ વિસ્તારોમાં દબાણ હટાવો ઝુંબેશ, મુખ્યમાર્ગને અડીને ઉભા કરાયેલ દબાણો હટાવાયા

અંકલેશ્વર ઉદ્યોગ મંડળ દ્વારા જીઆઇડીસીના વિવિધ વિસ્તારોમાં આજથી દબાણ હટાવો ઝુંબેશ શરૂ કરવામાં આવી છે જેમાં મુખ્ય માર્ગને અડીને ઉભા કરાયેલા ગેરકાયદેસર દબાણો દૂર કરવામાં આવી રહ્યા છે

New Update

અંકલેશ્વર જીઆઈડીસીમાં કામગીરી

ઉદ્યોગ મંડળ દ્વારા દબાણ હટાવો ઝુંબેશ શરૂ કરાય

મુખ્યમાર્ગને અડીને ઉભા કરાયેલ દબાણો હટાવાયા

પોલીસ કાફલો પણ સાથે રખાયો

આવનારા દિવસોમાં પણ ઝુંબેશ ચાલુ રહેશે

અંકલેશ્વર ઉદ્યોગ મંડળ દ્વારા જીઆઇડીસીના વિવિધ વિસ્તારોમાં આજથી દબાણ હટાવો ઝુંબેશ શરૂ કરવામાં આવી છે જેમાં મુખ્ય માર્ગને અડીને ઉભા કરાયેલા ગેરકાયદેસર દબાણો દૂર કરવામાં આવી રહ્યા છે

એશિયાની સૌથી મોટી ઔદ્યોગિક વસાહત અંકલેશ્વર જીઆઇડીસીના રહેણાંક વિસ્તારોમાં ટ્રાફિકજામની સમસ્યા દિન પ્રતિદિન વકરી રહી છે. મુખ્યમાર્ગને અડીને ઉભા કરાયેલા ગેરકાયદેસર દબાણોના કારણે વાહન વ્યવહારને અસર પહોંચે છે.આ અંગેની ફરિયાદો મળતા અંકલેશ્વર ઉદ્યોગ મંડળ દ્વારા દબાણ હટાવો ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. અંકલેશ્વર ઉદ્યોગ મંડળ દ્વારા નોટિફાઇડ એરીયા ઓથોરિટી અને જીઆઇડીસીને જાણ કર્યા બાદ આજથી દબાણ હટાવો ઝુંબેશનો પ્રારંભ કરવામાં આવ્યો છે. આજરોજ પ્રથમ દિવસે અંકલેશ્વરના સરદાર પાર્ક, ગોલ્ડન પોઇન્ટ સહિતના વિસ્તારોમાં મુખ્ય માર્ગને અડીને ઉભા કરાયેલા ગેરકાયદેસર દબાણો દૂર કરવામાં આવ્યા હતા અને માર્ગને ખુલ્લો કરવામાં આવ્યો હતો.દબાણ હટાવો ઝુંબેશ દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ કાફલો પણ તૈનાત રાખવામાં આવ્યો હતો. આ અંગે અંકલેશ્વર ઉદ્યોગ મંડળની સિક્યુરિટી કમિટીના ચેરમેન ધર્મેશ ડોબારિયાએ જણાવ્યું હતું કે ટ્રાફિકજામની જે સમસ્યા મળી હતી તેના અનુસંધાને આજથી દબાણ હટાવો ઝુંબેશ શરૂ કરવામાં આવી છે અને આવનારા દિવસોમાં પણ જીઆઇડીસીના રહેણાક તેમજ ઇન્ડસ્ટ્રીયલ સહિતના વિસ્તારોમાં દબાણો દૂર કરવામાં આવશે

Read the Next Article

અંકલેશ્વર: ગડખોલ સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે રક્તદાન શિબિર યોજાય, રક્તદાતાઓએ કર્યું ઉત્સાહભેર રક્તદાન

અંકલેશ્વરના ગડખોલ ગામ ખાતે આવેલ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વખતે દાતાઓએ ઉત્સાહભેર રક્તદાન કર્યું હતું.

New Update
bolld

અંકલેશ્વરના ગડખોલ ગામ ખાતે આવેલ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વખતે દાતાઓએ ઉત્સાહભેર રક્તદાન કર્યું હતું.

ભરૂચ જિલ્લા પંચાયતની આરોગ્ય શાખાઓને આયુષ બ્લડ બેન્કના સહયોગથી અંકલેશ્વર તાલુકાના ગડખોલ ગામ ખાતે આવેલ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં તરત તે દાતાઓએ ઉત્સાહભેર રક્તદાન કર્યું હતું આ પ્રસંગે ભરૂચ જિલ્લા પંચાયતના આરોગ્ય વિભાગના અધિકારીઓ તેમજ ગ્રામજનો અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા રક્તદાન એ જ મહાદનને સાર્થક કરવા આરોગ્ય વિભાગ દ્વારા વિવિધ કેન્દ્રો પર રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવે છે જેમાં લોકો ઉત્સાહભેર જોડાઈ છે