ભરૂચ: નેત્રંગના ફૂલવાડી ગામે વીજ કંપનીનું સબસ્ટેશન બનાવવાનો વિવાદ, મામલતદારને આવેદનપત્ર પાઠવાયું

ભરૂચના નેત્રંગના ફુલવાડી ગામે વીજકંપનીનું સબસ્ટેશન બનાવાનો વિવાદ ચરમસીમાએ પહોંચ્યો છે ત્યારે આ બાબતે ગ્રામજનો દ્વારા મામલતદારને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું

New Update

ભરૂચના નેત્રંગના ફુલવાડી ગામે વીજકંપનીનું સબસ્ટેશન બનાવાનો વિવાદ ચરમસીમાએ પહોંચ્યો છે ત્યારે આ બાબતે ગ્રામજનો દ્વારા મામલતદારને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું

ભરૂચના નેત્રંગ તાલુકામાં આવેલ થવા ગ્રુપ ગ્રામ પંચાયત દ્વારા ફૂલવાડી ગામના લોકોની પરવાનગી લીધા વગર પંચાયત દ્વારા જીઇબીને રેવન્યુ ખાતાની ખરાબાની જમીનની ફાળવણીનો ગ્રામ સભામાં ઠરાવ કરતાં તે ઠરાવ રદ કરવા મામલતદારને ગ્રામજનો અને ધારાસભ્ય ચૈતર વસાવાએ આવેદન પાઠવ્યું. તેમાં જણાવ્યા મુજબ ફૂલવાડી ગામના લોકોની જાણ બહાર તથા લોકોને અંધારામાં રાખીને થવા ગ્રુપ ગ્રામ પંચાયત સરપંચે લોકોની સહી અને અંગુઠો કરાવી ગ્રામ સભામાં ઠરાવ કર્યો હતો. જેમાં ગામની સીમમાં આવેલ રેવન્યુ ખરાબાની ગૌચરની જમીન ખોટી સહી કરાવીને આ જમીન જીઇબીને ફાળવી છે. ગૌચરની જમીનમાં વર્ષોથી ગામલોકો પશુઓ ચરાવતાં આવ્યાં છે. હવે આ જગ્યા સરપંચે ખોટી રીતે જીઇબીને ફાળવી દીધી છે. જમીન ફાળવણી કરતો ઠરાવ તાત્કાલિક અસરથી રદ કરવામાં નહિ આવે તો આંદોલન કરાશે.
તો આ અંગે થવા ગ્રામપંચાયતના સરપંચ સુશીલા વસાવાએ જણાવ્યું હતું કે થવા ગ્રા.પંચાયતના સરપંચની ચુંટણીમાં તેઓ સામે ઉભેલા અને હારી ગયેલા ઉમેદવાર અશોક  વસાવાએ ગ્રામજનોને ઉશ્કેરી અને ગેરમાર્ગે દોરીને આવેદનપત્ર અપાવ્યું છે તે તદ્દન ખોટું છે.થવા ગ્રા.પંચાયતની ગ્રામસભામાં ઠરાવ કરીને મંજુરી આપી છે.
Read the Next Article

અંકલેશ્વર: ખરોડ ગામે યુવાનની હત્યા કરનાર આરોપીની ક્રાઇમ બ્રાન્ચે કરી ધરપકડ, અગાઉ થયેલ માથાકૂટની રીસ રાખી હત્યા કરાય

અંકલેશ્વર તાલુકાના ખરોડ ગામેથી મળી આવેલ મૃતદેહના મામલામાં ચોકાવનારો ખુલાસો થયો છે પોલીસે યુવાનની હત્યા કરનાર આરોપીની ધરપકડ કરી તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

New Update

અંકલેશ્વરના ખરોડમાં મળી આવ્યો હતો મૃતદેહ

હત્યા થઈ હોવાનું આવ્યું બહાર

પોલીસે હત્યારાની કરી ધરપડક

અગાઉના ઝઘડાની રીસ રાખી કરાય હત્યા

પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી


અંકલેશ્વર તાલુકાના ખરોડ ગામેથી મળી આવેલ મૃતદેહના મામલામાં ચોકાવનારો ખુલાસો થયો છે પોલીસે યુવાનની હત્યા કરનાર આરોપીની ધરપકડ કરી તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

અંકલેશ્વરના ખરોડ ગામની સીમમાં આવેલ બાકરોલ વગામાં ખેતરના શેઢા ઉપર અજાણ્યા વ્યક્તિનો મૃતદેહ વિકૃત હાલતમાં મળી આવ્યો હતો.આ બાબતે પાનોલી પોલીસે ગુનો નોંધી મૃત્યુનું કારણ જાણવા તપાસ શરૂ કરી હતી.આ તરફ ક્રાઇમ બ્રાન્ચ પણ તપાસમાં જોડાય હતી દરમ્યામ પોલીસને બાતમી મળી હતી કે આ ગુનામાં  અક્કલકુવાનો શંકર મોવરીયા વસાવા નામનો ઈસમ સંડોવાયો છે જે અંકલેશ્વર તથા પાનોલી વિસ્તારમા છુટક મજુરી કરે છે.પોલીસે હ્યુમન ઇન્ટેલીજન્સના આધારે આરોપીની ખરોડ નજીકથી ધરપકડ કરી હતી. પોલીસની પૂછપરછમાં ચોંકાવનારો ખુલાસો થયો હતો. આ મામલામાં મરણ જનાર ઇસમે થોડા દિવસ અગાઉ મારમારી 1500 રૂપિયા લૂંટી લીધા હતા જેની રીસ રાખી આરોપી શંકર વસાવાએ મૃતકને શોધી તેને મજૂરી કામ અપાવવાના બહાને ખરોડ ગામની સીમમાં લઈ ગયો હતો અને ત્યાં પથ્થરના ઘા મારી હત્યા કર્યા બાદ તેના વતન ફરાર થઇ ગયો હતો.પોલીસે આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.