ભરૂચ શહેરમાં ભારે વરસાદને પગલે શાળા કોલેજોમાં રજા જાહેર કરતા શિક્ષણાધિકારી

Featured | સમાચાર, ગુજરાત રાજ્ય હવામાન વિભાગ દ્વારા બે દિવસ દરમિયાન મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે,ત્યારે ભરૂચમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું

New Update
હવામાન વિભાગની ભારે વરસાદની આગાહી 
Advertisment
ભરૂચમાં રેડ એલર્ટ કરાયું જાહેર 
બે કલાકમાં ખાબક્યો પાંચ ઇંચ વરસાદ
જિલ્લા શિક્ષણાધિકારીએ શાળા કોલેજમાં રજા કરી જાહેર 
Advertisment
ભરૂચ શહેરની શાળા કોલેજોમાં રજાની સૂચના અપાઈ   
ગુજરાત રાજ્ય હવામાન વિભાગ દ્વારા બે દિવસ દરમિયાન મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે,ત્યારે ભરૂચમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે,જોકે ભરૂચમાં આજરોજ માત્ર બે ક્લાકમાં જ પાંચ ઇંચ વરસાદ ખાબકતા શહેરમાં ઠેર ઠેર પાણી ભરાયા હતા,ભારે વરસાદની આગાહીને પગલે ભરૂચ જિલ્લા શિક્ષણાધિકારીએ ભરૂચ શહેરની શાળા કોલેજોમાં રજા જાહેર કરી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર હવામાન વિભાગે તારીખ 3જી સપ્ટેમ્બરના રોજ ભરૂચમાં રેડ એલર્ટ જાહેર કરીને ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે,જોકે ત્યાર પહેલાં જ આજરોજ માત્ર બે કલાકમાં જ પાંચ ઇંચ વરસાદ ખાબકતા ભરૂચ શહેરના વિવિધ વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા હતા,અને કેટલાક વાહનો પણ વરસાદી પાણીના પ્રવાહમાં તણાયા હતા.ભરૂચમાં રેડ એલર્ટ સૂચના અને ભારે વરસાદની આગાહીના પગલે સલામતી અને સાવચેતીના ભાગરૂપે ભરૂચ જિલ્લા શિક્ષણાધિકારી દ્વારા તારીખ 3જી સપ્ટેમ્બર મંગળવારના રોજ ભરૂચ શહેરની શાળા કોલેજોમાં રજા જાહેર કરવામાં આવી છે.અને વધુમાં જણાવવામાં આવ્યું છે કે જે શિક્ષક મિત્રો પાણી ભરાયેલા હોય તેવા વિસ્તારમાંથી આવતા હોય તેઓને આવવા માટે ફરજ પાડી શકાશે નહીં, અને અન્ય તાલુકાઓમાં વરસાદની પરિસ્થિતિ કેવી છે અને કેટલો વરસાદ છે તેના આધારે શાળાઓએ સ્થાનિક પરિસ્થિતિને ધ્યાને લઈ વિવેકાધીન નિર્ણય લેવાનો રહેશે અને તેની જાણ જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરીમાં કરવાની રહેશે તેમ જાણવા મળ્યું છે. 
Advertisment
Read the Next Article

ભરૂચ : ફરી એકવાર પાવન સલિલા માઁ નર્મદા નદીમાં કોઈ બે’જવાબદાર ઉદ્યોગ દ્વારા મુક્ત કરાયું પ્રદુષિત પાણી..!

ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા નદી પણ પ્રદૂષણના કહેરથી બચી શકી નથી. ભરૂચમાં ફરી એકવાર પાવન સલિલા માઁ નર્મદા નદીના પાણીને પ્રદૂષિત કરવાની ઘટના સામે આવી

New Update
  • ફરી એકવાર પાવન સલિલા માઁ નર્મદા નદીમાં ફેલાયું પ્રદૂષણ

  • નર્મદા નદીના પાણીને પ્રદૂષિત કરવાની ઘટના સામે આવી

  • અગાઉ પ્રદુષિત પાણીથી થયા હતા ગાય અને જળચરોના મોત

  • આ મામલે GPCB દ્વારા યોગ્ય તપાસની સ્થાનિકો દ્વારા માંગ

  • પ્રદુષિત પાણી છે કે કેમ તે અંગે કનેક્ટ ગુજરાત પુષ્ટિ કરતું નથી

Advertisment

ભરૂચમાં ફરી એકવાર પાવન સલિલા માઁ નર્મદા નદીના પાણીને પ્રદૂષિત કરવાની ઘટના સામે આવી છેત્યારે ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા આ મામલે યોગ્ય તપાસ કરવામાં આવે તેવી લોકોની માંગ ઉઠી છે.

પ્રાકૃતિક ધરોહર કહેવાતી નદીઓ જે રીતે પ્રદૂષિત થઈ રહી છેતે ચિંતાનો વિષય બન્યો છે. એક તરફ પીવાના પાણીની સમસ્યાનો સામનો અનેક વિસ્તારો કરી રહ્યા છેત્યારે ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા નદી પણ પ્રદૂષણના કહેરથી બચી શકી નથી. ભરૂચમાં ફરી એકવાર પાવન સલિલા માઁ નર્મદા નદીના પાણીને પ્રદૂષિત કરવાની ઘટના સામે આવી છે. અગાઉ પણ નર્મદા નદીમાં ભળી ગયેલ કેમિકલયુક્ત પાણી પીવાથી ગાયનું મોત થયું હોવાનો પશુપાલક દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો હતો.

આ તરફકેમિકલયુક્ત પાણીથી અગાઉ પણ આમલાખાડીમાં હજારો જળચરના મૃત્યુ થયા હતાત્યારે નર્મદા નદીમાં પ્રદુષણ ફેલાવવા સાથોસાથ નદીના જળચર જીવોને પણ તેની અસર થતી હોવાના આક્ષેપ સાથે સ્થાનિકોમાં રોષ ફેલાયો છે. ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા આ મામલે યોગ્ય તપાસ કરી કાર્યવાહી કરવામાં આવે તેવી લોકોની માંગ ઉઠી છે. જોકેકોઈ બેજવાબદાર ઉદ્યોગ દ્વારા નર્મદા નદીમાં છોડવામાં આવેલ કેમિકલયુક્ત પાણી પ્રદુષિત છે કેકેમ... તેની પુષ્ટી કનેક્ટ ગુજરાત ન્યૂઝ ચેનલ કરતું નથી. પરંતુ નર્મદા નદીને પ્રદૂષિત કરનાર તત્વો સામે પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવે તેવી કાસિયા ગામના સ્થાનિકોએ માંગ કરી છે.

Advertisment