અંકલેશ્વર ઉદ્યોગ મંડળના હોદ્દેદારોની વરણી, હિંમત શેલડિયા બન્યા પ્રમુખ

અંકલેશ્વર ઉદ્યોગ મંડળમાં પ્રમુખ સહિતના હોદ્દેદારોની વરણી કરવામાં આવી હતી,જેમાં સર્વાનુમતે હિંમત શેલડિયાની પ્રમુખ તરીકે વરણી કરવામાં આવી હતી. 

AIA
New Update

અંકલેશ્વર ઉદ્યોગ મંડળમાં પ્રમુખ સહિતના હોદ્દેદારોની વરણી કરવામાં આવી હતી,જેમાં સર્વાનુમતે હિંમત શેલડિયાની પ્રમુખ તરીકે વરણી કરવામાં આવી હતી. 

અંકલેશ્વર ઉદ્યોગ મંડળની ચૂંટણી તારીખ 29મી ની જૂનના રોજ યોજાઈ  હતી,સહયોગ અને વિકાસ પેનલ વચ્ચે યોજાયેલા ચૂંટણી જંગમાં વિકાસ પેનલના 5 અને સહયોગ પેનલના 3 ઉમેદવારો વિજેતા બન્યા હતા,ઉદ્યોગ મંડળની ચૂંટણી પૂર્ણ થયા બાદ ઉદ્યોગ મંડળ ખાતે એક બોર્ડ મિટિંગમાં વર્ષ 2024 - 25 માટેના પ્રમુખ સહિતના હોદ્દેદારોની વરણી કરવામાં આવી હતી.
જેમાં પ્રમુખ તરીકે હિંમત.બી.શેલડિયા, ઉપપ્રમુખ તરીકે હસમુખ.ડી.દુધાત અને નટુ.બી.પટેલ,જ્યારે જનરલ સેક્રેટરી તરીકે હરેશ.જી.પટેલની વરણી કરવામાં આવી હતી. આ ઉપરાંત ખજાનચી પદે ડો.દેવ શરનસીંગ,જોઈન્ટ સેક્રેટરી પદ પર પ્રશાંત.પી.પટેલ અને ડો.ઉમેશ ગોંડલિયાની વરણી કરવામાં આવી હતી.ઉદ્યોગ મંડળ તમામ હોદ્દેદારો પર ઉદ્યોગકાર મિત્રોએ અભિનંદનનો વરસાદ વરસાવ્યો હતો.       
#CGNews #Ankleshwar #Udyog Mandal #AIA #new president #Ankleshwar Udyog Mandal
Here are a few more articles:
Read the Next Article