અંકલેશ્વર: બાઈ કુંવરબાઈ દારાશા અંકલેશ્વરીઆ મહિલા બાળ લાયબ્રેરી દ્વારા ફેશન શોનું આયોજન

અંકલેશ્વરની સૌથી જુની એવી બાઈ કુંવરબાઈ દારાશા અંકલેશ્વરીઆ મહિલા બાળ લાયબ્રેરી દ્વારા આવી રહેલ વ્રતના દિવસોને અનુલક્ષીને ફેશન શો નું આયોજન હાથ ધરવામાં આવ્યુ હતુ.

New Update
07

અંકલેશ્વરની સૌથી જુની એવી બાઈ કુંવરબાઈ દારાશા અંકલેશ્વરીઆ મહિલા બાળ લાયબ્રેરી દ્વારા આવી રહેલ વ્રતના દિવસોને અનુલક્ષીને ફેશન શો નું આયોજન હાથ ધરવામાં આવ્યુ હતુ.

આ ફેશન શોમાં ૧૬ થી ૩૦ વર્ષની બહેનો એ ઉત્સાહ ભેર ભાગ લીધો હતો.આ કાર્યક્રમમાં વસ્ત્ર પરિધાન, કેશ ગૂંફન, વિવિધ શ્રૃંગાર પરિધાન ઉપરાંત સ્પર્ધકને સાંપ્રત પ્રવાહો વિશેની જાણકારી જેવા માપદંડને ધ્યાનમાં લેવામાં આવ્યા હતા જેમાં ત્રણ રાઉન્ડમાં જ્હાન્વી દેવાનંદ જાદવ પ્રથમ,હીર ઘીવાલા દ્વિતીય તથા ક્રિષ્ના બંસીવાલા તૃતીય વિજેતા જાહેર થયા હતા.
આ ફેશન શોમાં નિર્ણાયક તરીકે રીયા મોદી તથા જેનીફર વિમાદલાલે સેવાઓ આપી હતી.સમગ્ર ફેશન શોનું સંચાલન શેરી કાથાવાલાએ કર્યું હતુ.આ સમગ્ર ઇવેન્ટનું  આયોજન લાયબ્રેરી પરિવારના દક્ષા શાહ કર્યું હતુ.જયારે ડો. લતા શાહ, ડો. રેખા પંચાલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.
Read the Next Article

ભરૂચ: શેરબજારમાં ઉંચું વળતર અપાવવાની લાલચે 15 લોકો સાથે રૂ.1.59 કરોડની ઠગાઈ, એ ડિવિઝન પોલીસે તપાસ શરૂ કરી

ભરૂચના કર્મકાંડી ભુદેવ સહિત 15 લોકો સાથે શેર બજારમાં ઉંચું વળતર અપાવવાની લાલચ આપી ભેજાબાજે રૂ. રૂ.1.59 કરોડની છેતરપીંડી કરતા પોલીસ ફરિયાદ નોંધાઈ

New Update
  • ભરૂચમાં ચકચારી મામલો પ્રકાશમાં આવ્યો

  • 15 લોકો સાથે આચરવામાં આવી ઠગાઈ

  • શેરબજારમાં ઉંચું વળતર અપાવવાની લાલચે ઠગાઈ

  • રૂ.1.59 કરોડની ઠગાઈ આચરવામાં આવી

  • ઠગ વિરુદ્ધ એ ડિવિઝન પોલીસ મથકે નોંધાઇ ફરિયાદ

ભરૂચના નંદેલાવ રોડ આશીર્વાદ બંગલોઝમાં રહેતા કર્મકાંડી ભુદેવ સહિત 15 લોકો સાથે શેર બજારમાં ઉંચું વળતર અપાવવાની લાલચ આપી ભેજાબાજે રૂ. રૂ.1.59 કરોડની છેતરપીંડી કરતા પોલીસ ફરિયાદ નોંધાઈ છે.
ભરૂચના નંદેલાવ રોડ આશીર્વાદ બંગલોઝમાં રહેતા અને કર્મકાંડ તેમજ ખેતી કરતા ચેતનકુમાર ગણપતરામ પુરોહિતનો ચાર વર્ષ પહેલાં ભરૂચના નિપન નગરમાં રહેતા રાહુલ અરવિંદ પંચાલ સાથે પરિચય થયો હતો. ચેતને પોતે મુંબઈની આઈ.આઈ એફ.એલ.નામની કંપનીમાં શેર બ્રોકર કામ તરીકે કામ કરતો હોવાનું જણાવ્યું તેમજ વધુ વળતર આપવાની ચેતનકુમારને લાલચ આપી હતી.વધુ વળતરની લાલચે ચેતન પુરોહિત અને અન્ય 15 જેટલા લોકોએ રાહુલ પંચાલને રૂ.1.59 કરોડ આપ્યા હતા.
શરૂઆતમાં રાહુલ વિશ્વાસ કેળવવા કેટલાક રૂપિયા વળતર પેટે પરત પણ આપ્યા હતા જોનકે બાદમાં તેણે રૂપિયા ચુકાવવાનું બંધ કરી દીધું હતું જેને પગલે ભેજાબાજ વિરુદ્ધ ભરૂચ શહેર એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવી છે.પોલીસે આ મામલે ફરિયાદ નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
Latest Stories