ભરૂચ : ચાવજમાં વડોદરાના શિક્ષકની જમીન રૂ. 92 લાખમાં વેચી દેવાના મામલે પિતા-પુત્રની ધરપકડ

શિક્ષકની જમીન રૂ. 92 લાખમાં વેચી દેવાના મામલે એ’ ડિવિઝન પોલીસે આરોપી પિતા-પુત્રની ધરપકડ છે, જ્યારે ગાંધીનગરના અન્ય એક શખ્સને વોન્ટેડ જાહેર કરી તેની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા

New Update
  • ચાવજમાં વડોદરાના શિક્ષકની જમીન વેચવાનો મામલો

  • જમીન પર સફાઈ કામ શરૂ થતાં ફૂટ્યો હતો સમગ્ર ભાંડો

  • ખોટા દસ્તાવેજ બનાવી રૂ. 92 લાખમાં વેચી હતી જમીન

  • એ ડિવિઝન પોલીસે છેતરપિંડી અંગે ગુન્હો દાખલ કર્યો

  • શિક્ષક સાથે છેતરપિંડી કરનાર પિતા અને પુત્રની ધરપકડ

ભરૂચ જિલ્લાના ચાવજ ગામમાં વડોદરાના શિક્ષકની જમીન રૂ. 92 લાખમાં વેચી દેવાના મામલે એ’ ડિવિઝન પોલીસે આરોપી પિતા-પુત્રની ધરપકડ છેજ્યારે ગાંધીનગરના અન્ય એક શખ્સને વોન્ટેડ જાહેર કરી તેની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે.

મળતી માહિતી અનુસાર,વડોદરાના ખોડીયાર નગર ખાતે રહેતા અખિલેશ રામ પ્રકાશ શર્મા અલકાપુરાના આઇઆઇટી આશ્રમ ખાતે શિક્ષક તરીકેની નોકરી કરતા હતા. તેઓ વર્ષ 2006થી 2016 સુધી ભરૂચ જિલ્લામાં પરિવાર સાથે રહેતા હતાઅને ટ્યુશન ક્લાસીસ ચલાવતા હતા. તેમને પ્રાઇમરિ સ્કૂલ ખોલવાની ઈચ્છા હોયજેથી 2010માં છાયાબેન ગુણવંતરાય બારડીયા અને અજય ગુણવંતરાય બારડીયા પાસેથી રૂ. 1.75 લાખમાં પ્લોટ ખરીદ્યો હતો.

જેનો દસ્તાવેજ પણ તેમણે કર્યો હતો. જે બાદ તેઓ વડોદરા રહેવા જતા રહ્યા હતા. આ દરમિયાન તેમના પ્લોટ પાસે રહેતા મિત્ર સંજયએ તેમને ફોન કરીને જણાવ્યું હતું કેતમારા પ્લોટ પર સાફ-સફાઈ કરવામાં માટે જેસીબી ચાલે છે. જેથી તેઓ તુરંત ભરૂચ આવી ચાવજ પ્લોટ ખાતે પહોંચ્યા હતાઅને જેસીબીના ડ્રાઇવર થકી તેમને માલુમ પડ્યું હતું કેયોગી ટાઉનશિપ ખાતે રહેતા કિરણ પટેલ તેમજ તેમના પાર્ટનરો તે કામ કરાવી રહ્યા છે.

તેમની મુલાકાત કરતા જાણવા મળ્યું હતું કેતેમણે પ્રજ્ઞાબેન વાસુદેવ લોટવાળા પાસેથી જે તે સમયે નબીપુર અને હાલમાં રહાડપોર ખાતે રહેતા અયુબ અલી પટેલ અને તેમના પુત્ર આમિરના નામના બ્રોકરની મદદથી જમીનની ખરીદી કરી હતી. બાજુમાં આવેલા અખિલેશ શર્માના પ્લોટ પર જોઈતા હોયજેથી અયુબ અને તેના પુત્ર આમિરએ તેમને તે આપવાના બહાને તેમની પાસેથી 20 લાખ રૂપિયા ટોકન લીધા હતા.

જે બાદ અયુબએ વર્ષ 2023માં સાતેક મહિના સુધી અખિલેશને ફોન કરી તેમના ચાવજના પ્લોટના વેચાણની વાત કરી હતી. જોકેતેમણે પ્લોટ આપવાનો ઇનકાર કરી દીધો હતો. આખરે અયુબ અને તેના પુત્ર આમીરે ગાંધીનગર ખાતે રહેતા અક્ષય જોશી નામના વ્યક્તિનો સંપર્ક કરી અખિલેશ શર્માનું નામ ધારણ કરાવી બોગસ ડોક્યુમેન્ટના આધારે રજીસ્ટરમાં દસ્તાવેજ કરી કિરણ અને તેમના પાર્ટનરો પાસેથી રૂ. 92 લાખ પડાવી લીધા હોવાનું જાણવા મળ્યું હતું.

જેના પગલે તેમણે ભરૂચ એ’ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી બન્ને આરોપીઓની ધરપકડ કરી 3 દિવસના રિમાન્ડ મેળવી બોગસ ડોક્યુમેન્ટ ક્યાં બનાવ્યા તે સહિતની માહિતી મેળવી અન્ય આરોપી અક્ષય જોશીને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે.

Read the Next Article

ભરૂચ: છોટુ વસાવાને 80માં જન્મદિવસે BTPના રાષ્ટ્રીય અધ્યક્ષ બનાવાયા, કહ્યું કેટલાક પરિબળોએ અમારું સંગઠન તોડવા કર્યો પ્રયાસ !

આદિવાસી મસીહા એવા ઝઘડિયા વિધાનસભાના પૂર્વ ધારાસભ્ય છોટુભાઈ વસાવાનો આજે જન્મદિવસ હતો. આદિવાસી નેતા 80 વર્ષ પૂર્ણ કરી 81 માં વર્ષમાં પ્રવેશ્યા છે.

New Update
  • ભરૂચના ઝઘડિયાના પૂર્વ ધારાસભ્ય

  • છોટુ વસાવા બન્યા બિટીપીના રાષ્ટ્રીય અધ્યક્ષ

  • 80માં જન્મદિવસે કરાય જાહેરાત

  • મહેશ વસાવાએ ટેકો જાહેર કર્યો

  • મોટી સંખ્યામાં સમર્થકો રહ્યા ઉપસ્થિત

ભરૂચના ઝઘડિયાના પૂર્વ ધારાસભ્ય છોટુ વસાવાને 80 માં જન્મદિવસે  BTPના રાષ્ટ્રીય અધ્યક્ષ બનાવવામાં આવતા ટેકેદારોએ આ જાહેરાતને વધાવી લીધી હતી
આદિવાસી મસીહા એવા ઝઘડિયા વિધાનસભાના પૂર્વ ધારાસભ્ય છોટુભાઈ વસાવાનો આજે જન્મદિવસ હતો. આદિવાસી નેતા 80 વર્ષ પૂર્ણ કરી 81 માં વર્ષમાં પ્રવેશ્યા છે. તેઓના જન્મદિવસે તેમને શુભેચ્છા પાઠવવા દેડિયાપાડાના પૂર્વ ધારાસભ્ય પુત્ર મહેશ વસાવા, દિલીપ વસાવા, કિશોર વસાવા સાથે અન્ય આગેવાનો પણ ઉમટી પડ્યા હતા.વાલિયા તાલુકા પંચાયત પૂર્વ પ્રમુખ રાજુભાઇ વસાવા, રજની વસાવા, વિજય વસાવા સહિતના આગેવાનો તેમજ સમર્થકોની હાજરીમાં છોટુ વસાવાના જન્મદિવસની ઉજવણી કરી તેઓને શુભકામનાઓ પાઠવાઈ હતી.
પૂર્વ ધારાસભ્યના જન્મદિવસે જ તેઓને BTP ના રાષ્ટ્રીય અધ્યક્ષ બનાવવામાં આવ્યા હતા.તાજેતરમાં જ ભાજપ સાથે મોહભંગ થતા રાજીનામુ આપનાર તેમના પુત્ર મહેશ વસાવાએ આ જાહેરાતને ટેકો જાહેર કર્યો હતો. આ અંગે છોટુ વસાવાએ જણાવ્યું હતું કે કેટલાક પરિબળોએ અમારું સંગઠન તોડવા પ્રયાસ કર્યા હતા પરંતુ હવે અમે એક થઈ લડીશું