New Update
અંકલેશ્વરના ગડખોલ વિસ્તારનો બનાવ
સરસ્વતી વિદ્યામંદિર શાળામાં આગ
શોર્ટ સર્કિટના કારણે આગ ફાટી નીકળી
શાળા છૂટયા બાદ આગ લાગતા મોટી દુર્ઘટના ટળી
સાંકડા રસ્તાના કારણે ફાયર વિભાગ ન પહોંચી શક્યું
અંકલેશ્વરના ગડખોલ વિસ્તારમાં આવેલી સરસ્વતી વિદ્યામંદિર ઈંગ્લીશ મીડીયમ સ્કૂલમાં બપોરના સમયે આગ ફાટી નીકળતા દોડધામ મચી જવા પામી હતી. શાળા છૂટ્યા બાદ આગ લાગતા મોટી દુર્ઘટના ટળી હતી.
અંકલેશ્વરમાં ફરી એકવાર આગનો બનાવ સામે આવ્યો છે.અંકલેશ્વરના ગડખોલ વિસ્તારમાં આવેલ સરસ્વતી વિદ્યામંદિર ઈંગ્લીશ મીડીયમ શાળામાં આજરોજ બપોરના સમયે અચાનક આગ ફાટી નીકળતા દોડધામ મચી જવા પામી હતી. ધુમાડાના ગોટેગોટા નજરે પડતાં આસપાસના રહીશોમાં ગભરાટ ફેલાયો હતો. જો કે શાળા છૂટ્યા બાદ આગ લાગતા કોઈ જાનહાનિ થઈ ન હતી.
આ અંગેની જાણ ફાયર વિભાગને કરવામાં આવી હતી જોકે સાંકડી ગલીઓના કારણે ફાયર વિભાગ ઘટના સ્થળ સુધી પહોંચી શક્યું ન હતું. તો આ તરફ શાળામાં રહેલ ફાયર ઇન્સ્ટિગયૂટર સહિતના સાધનોની મદદથી આગ પર કાબુ મેળવવામાં આવ્યો હતો.આગમાં શાળામાં રહેલ ફર્નિચર બળીને ખાક થઈ ગયું હતું.સદનસીબે આ બનાવવામાં કોઈ જાનહાનિ થઈ ન હતી. શાળામાં 400 જેટલા બાળકો અભ્યાસ કરે છે ત્યારે આગ લાગવાના બનાવમાં મોટી દુર્ઘટના ટળી કહી શકાય.
Latest Stories