અંકલેશ્વર: GIDCની કેમક્રક્ષ કંપનીમાં ગેસ ગળતર, ઘાટા પીળા રંગના આવરણ છવાતા ગભરાટ

કંપનીમાં આજરોજ રસાયણક પ્રક્રિયા ચાલી રહી હતી તે દરમિયાન પ્લાન્ટમાંથી અચાનક જ ઘાટા પીળા રંગનો ધુમાડો પ્લાન્ટની બહાર તરફ વછૂટતો નજરે પડ્યો હતો. જેના પગલે દોડધામ મચી જવા પામી

author-image
By Connect Gujarat Desk
New Update
Chencrux Enterprise

અંકલેશ્વર જીઆઇડીસીનો બનાવ

કેમક્રક્ષ કંપનીમાં ગેસ ગળતર

ઘાટા પીળા રંગનો ધુમાડો વછુટ્યો

વીક નાઈટ્રીક એસિડ લીક થયું હોવાનું બહાર આવ્યું

સદનસીબે કોઈ જાનહાની નહીં

અંકલેશ્વર જીઆઇડીસીમાં આવેલ કેમક્રક્ષ એન્ટરપ્રાઇઝ કંપનીના પ્લાન્ટમાં ગેસ ગળતરનો બનાવ સામે આવ્યો હતો. જેમાં ઘાટા પીળા રંગનો ધુમાડો પ્લાન્ટની બહાર વછૂટતા ગભરાટ ફેલાયો હતો
અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતમાં આવેલ કેમક્રક્ષ એન્ટરપ્રાઇઝ કંપનીમાં આજરોજ રસાયણક પ્રક્રિયા ચાલી રહી હતી તે દરમિયાન પ્લાન્ટમાંથી અચાનક જ ઘાટા પીળા રંગનો ધુમાડો પ્લાન્ટની બહાર તરફ વછૂટતો નજરે પડ્યો હતો. જેના પગલે દોડધામ મચી જવા પામી હતી.બનાવની જાણ થતાની સાથે જ અંકલેશ્વર ડીપીએમસીના ફાયર ફાટટર પણ ઘટના સ્થળે પહોંચ્યા હતા.
તો આ તરફ સેફટી એન્ડ હેલ્થ વિભાગે પણ તપાસ શરૂ કરી હતી.સેફ્ટી એન્ડ હેલ્થ વિભાગની પ્રાથમિક તપાસમાં કંપનીમાં રસાયણિક પ્રક્રિયા દરમ્યાન પ્રેશર વધી જતાં ગાસકેટ ફાટી ગયું હતું જેના પગલે વિક નાઈટ્રિક એસિડ ગેસ લીક થયું હોવાનું સામે આવ્યું છે.બનાવના ગણતરીના સમયમાં જ પરિસ્થિતિ પર કાબુ મેળવાયો હતો. જો કે સદનસીબે આ બનાવમાં કોઈ જાનહાની થઈ ન હતી
Read the Next Article

અંકલેશ્વરથી વાલિયા-નેત્રંગને જોડતા માર્ગની કામગીરીમાં ભ્રષ્ટાચારના આક્ષેપ, કોંગ્રેસે આંદોલનની ચીમકી ઉચ્ચારી

ભરૂચના નેત્રંગના કોંગ્રેસી આગેવાન શેરખાન પઠાણ દ્વારા અંકલેશ્વર-વાલિયા માર્ગની કામગીરીમાં ભ્રષ્ટાચાર થયો હોવાના આક્ષેપ સાથે જવાબદાર એજન્સી સહિતના અધિકારીઓ સામે પગલાં ભરવા માંગ કરવામાં આવી છે.

New Update
  • અંકલેશ્વરથી નેત્રંગને જોડતા માર્ગની કામગીરી

  • રૂ.55 કરોડના ખર્ચે માર્ગનું થઈ રહ્યું છે નિર્માણ

  • માર્ગની કામગીરીમાં ભ્રષ્ટાચારના આક્ષેપ

  • કોંગ્રેસ દ્વારા આંદોલનની ચીમકી ઉચ્ચરાય

  • કોર્ટ કેસની પણ ચીમકી

ભરૂચના નેત્રંગના કોંગ્રેસી આગેવાન શેરખાન પઠાણ દ્વારા અંકલેશ્વર-વાલિયા માર્ગની કામગીરીમાં ભ્રષ્ટાચાર થયો હોવાના આક્ષેપ સાથે જવાબદાર એજન્સી સહિતના અધિકારીઓ સામે પગલાં ભરવા માંગ કરવામાં આવી છે.
ભરૂચના વાલિયા તાલુકાના સહકારી આગેવાન અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મહામંત્રી સંદીપસિંહ માંગરોલા બાદ નેત્રંગના કોંગ્રેસી આગેવાન શેરખાન પઠાણ દ્વારા અંકલેશ્વર-વાલિયા માર્ગની કામગીરી અધિકારીઓ અને કોન્ટ્રાકટરની મિલી ભગતથી હલકી ગુણવત્તાની કરવામાં આવતી હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે.અંકલેશ્વર-વાલિયા અને નેત્રંગને જોડતો રાજ્ય ધોરીમાર્ગ નંબર-13 પ્રથમ વરસાદે જ બિસ્માર બન્યો છે.ઠેરઠેર ખાડાઓ અને માર્ગ તૂટી ગયો હોવાથી તેમાં યોગ્ય સામગ્રી વાપરવા નહીં આવી હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે.
ભરૂચ જિલ્લામાં મનરેગા કૌભાંડ સામે આવ્યું છે.તે રીતે 55 કરોડના ખર્ચે બની રહેલ નેત્રંગ-અંકલેશ્વર માર્ગમાં ભ્રષ્ટાચાર થયો હોવા સાથે અધિકારી,કોન્ટ્રાકટર સહિત લાગતા વળતા વિભાગના મંત્રીનો હાથ હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે.જો આ કામગીરી સારી ગુણવત્તાની નહીં કરવામાં આવે તો તાળાબંધીની ચીમકી ઉચ્ચારવામા આવી છે.અને  માર્ગનું નિર્માણ કરનાર શિવાલય ઈંફાસ્ટ્રક્ચર એજન્સી તેમજ અધિકારી સામે કોર્ટ કેસ કરવાની પણ ચીમકી ઉચ્ચારવામા આવી છે.