ભરૂચ કલેકટર તરીકે ગૌરાંગ મકવાણાએ વિધિવત પદભાર સંભાળ્યો, ઔદ્યોગિક નગરીમાં હશે અનેક પડકાર !

ભરૂચના કલેકટર તરીકે ગૌરાંગ મકવાણાએ આજરોજ વિધિવત રીતે પદભાર સંભાળ્યો હતો ત્યારે તેમને અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા શુભકામના પાઠવવમાં આવી હતી.

New Update
  • ભરૂચ કલેકટરની થઈ હતી બદલી

  • તુષાર સુમેરાની રાજકોટ બદલી થઈ હતી

  • ભરૂચ કલેકટર તરીકે ગૌરાંગ મકવાણાએ ચાર્જ સંભાળ્યો

  • અધિકારી-કર્મચારીઓએ પાઠવી શુભકામના

  • નવા કલેકટર સામે હશે અનેક પડકારો

ભરૂચના કલેકટર તરીકે ગૌરાંગ મકવાણાએ આજરોજ વિધિવત રીતે પદભાર સંભાળ્યો હતો ત્યારે તેમને અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા શુભકામના પાઠવવમાં આવી હતી.
તાજેતરમાં જ રાજ્યમાં સનદી અધિકારીઓની બદલીનો ગંજીપો ચીપાયો હતો જેમાં ભરૂચ કલેકટર તુષાર સુમેરાની રાજકોટ મ્યુનિસિપલ કમિશનર તરીકે બદલી કરવામાં આવી હતી તેમના સ્થાને ગૌરાંગ મકવાણાને નિયુક્તિ આપવામાં આવી છે ત્યારે આજરોજ ગૌરાંગ મકવાણાએ ભરૂચ કલેકટર તરીકે વિધિવત રીતે ચાર્જ સંભાળ્યો હતો.આ પ્રસંગે અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા તેમને શુભકામના પાઠવવામાં આવી હતી. ગૌરાંગ મકવાણા ગાંધીનગર ખાતે ઇન્ડસ્ટ્રીયલ એક્સટેન્શન બ્યુરોના મેનેજિંગ ડિરેક્ટર તરીકે સેવા આપી ચૂક્યા છે ત્યારે હવે તેઓ ભરૂચ કલેકટર તરીકે ફરજ બજાવશે. ઔદ્યોગિક નગરી એવા ભરૂચમાં તેમની સામે અનેક પડકારો રહેલા છે.
Read the Next Article

અંકલેશ્વર: ખરોડ ગામે યુવાનની હત્યા કરનાર આરોપીની ક્રાઇમ બ્રાન્ચે કરી ધરપકડ, અગાઉ થયેલ માથાકૂટની રીસ રાખી હત્યા કરાય

અંકલેશ્વર તાલુકાના ખરોડ ગામેથી મળી આવેલ મૃતદેહના મામલામાં ચોકાવનારો ખુલાસો થયો છે પોલીસે યુવાનની હત્યા કરનાર આરોપીની ધરપકડ કરી તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

New Update

અંકલેશ્વરના ખરોડમાં મળી આવ્યો હતો મૃતદેહ

હત્યા થઈ હોવાનું આવ્યું બહાર

પોલીસે હત્યારાની કરી ધરપડક

અગાઉના ઝઘડાની રીસ રાખી કરાય હત્યા

પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી


અંકલેશ્વર તાલુકાના ખરોડ ગામેથી મળી આવેલ મૃતદેહના મામલામાં ચોકાવનારો ખુલાસો થયો છે પોલીસે યુવાનની હત્યા કરનાર આરોપીની ધરપકડ કરી તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

અંકલેશ્વરના ખરોડ ગામની સીમમાં આવેલ બાકરોલ વગામાં ખેતરના શેઢા ઉપર અજાણ્યા વ્યક્તિનો મૃતદેહ વિકૃત હાલતમાં મળી આવ્યો હતો.આ બાબતે પાનોલી પોલીસે ગુનો નોંધી મૃત્યુનું કારણ જાણવા તપાસ શરૂ કરી હતી.આ તરફ ક્રાઇમ બ્રાન્ચ પણ તપાસમાં જોડાય હતી દરમ્યામ પોલીસને બાતમી મળી હતી કે આ ગુનામાં  અક્કલકુવાનો શંકર મોવરીયા વસાવા નામનો ઈસમ સંડોવાયો છે જે અંકલેશ્વર તથા પાનોલી વિસ્તારમા છુટક મજુરી કરે છે.પોલીસે હ્યુમન ઇન્ટેલીજન્સના આધારે આરોપીની ખરોડ નજીકથી ધરપકડ કરી હતી. પોલીસની પૂછપરછમાં ચોંકાવનારો ખુલાસો થયો હતો. આ મામલામાં મરણ જનાર ઇસમે થોડા દિવસ અગાઉ મારમારી 1500 રૂપિયા લૂંટી લીધા હતા જેની રીસ રાખી આરોપી શંકર વસાવાએ મૃતકને શોધી તેને મજૂરી કામ અપાવવાના બહાને ખરોડ ગામની સીમમાં લઈ ગયો હતો અને ત્યાં પથ્થરના ઘા મારી હત્યા કર્યા બાદ તેના વતન ફરાર થઇ ગયો હતો.પોલીસે આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.