અંકલેશ્વર:પાનોલીના કામધેનુ એસ્ટેટમાં વિદેશી દારૂ ભરેલ ગોડાઉન ઝડપાયું, રૂ.19 લાખની કિંમતનો દારૂનો જથ્થો જપ્ત

કામધેનું એસ્ટેટ-૨માં ગોડાઉન માલિકની લાપરવાહીનો ફાયદો ઉઠાવી અજાણ્ય ઈસમે વિદેશી દારૂનો જથ્થો ઉતાર્યો જયારે પોલીસે ૧૯ લાખનો જથ્થો કબજે કરી વધુ તપાસ હાથ ધરી

New Update
  • પાનોલી પોલીસને મળી સફળતા

  • કામધેનુ એસ્ટેટમાંથી વિદેશી દારૂનું ગોડાઉન ઝડપી પાડ્યું

  • રૂ.19 લાખનો દારૂનો જથ્થો ઝડપી પાડ્યો

  • અજાણ્યા ઈસમોએ દારૂ સ્ટોર કર્યો હોવાનું બહાર આવ્યું

  • માલિકની જાણ બહાર ગોડાઉનનો ઉપયોગ કરાયો

ભરૂચની પાનોલી જી.આઈ.ડી.સી.માં આવેલ કામધેનું એસ્ટેટ-૨માં ગોડાઉન માલિકની લાપરવાહીનો ફાયદો ઉઠાવી અજાણ્ય ઈસમે વિદેશી દારૂનો જથ્થો ઉતાર્યો જયારે પોલીસે ૧૯ લાખનો જથ્થો કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે.
ભરૂચની પાનોલી પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલીંગમાં હતો તે દરમિયાન બાતમી મળી હતી કે કામધેનું એસ્ટેટ-૨માં પ્લોટ નંબર-ઈ-૧૯માં આવેલ ગોડાઉનમાં શંકાસ્પદ બોક્ષ પડેલ છે.જેવી બાતમીના આધારે પોલીસે દરોડા પાડ્યા હતા પોલીસે ગોડાઉનના માલિક વિનય સુભાષ શર્માને સાથે રાખી અંદર તપાસ કરતા તેમાંથી વિદેશી દારૂની ૧૦૮૩૬ મળી આવી હતી પોલીસે ૧૯ લાખનો દારૂ કબજે કરી તપાસ હાથ ધરી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે ગોડાઉન માલિક ગોડાઉનનું તાળું નહિ લગાવતા હોવાથી અજાણ્યો ઇસમ વિદેશી દારૂનો જથ્થો ઉતાર્યા બાદ ગોડાઉનને તાળું લગાવી જતો રહ્યો હોવાથી વિનય શર્માને શક જતા તેઓએ ગેટની બાજુની ઓફીસ ઉપરથી ઉપરથી અંદર જોતા ઘણા બોક્ષ પડ્યા હોવાથી પોલીસને જાણ કરતા બુટલેગરોએ દારૂનો જથ્થો ઉતારવા માટે માલિકની જાણ બહાર ગોડાઉનનો ઉપયોગ કર્યો હોવાનું બહાર આવ્યું હતું.
જોકે ગોડાઉન માલિકની જાણ બહાર જ વિદેશી દારૂનો આટલો મોટો જથ્થો અજાણ્યા ઇસમો  કેવી રીતે સંતાડી ગયા તે બાબતે પણ પોલીસ તપાસ ચલાવી રહી છે.
Read the Next Article

ભરૂચ : વરસાદથી ક્ષતિગ્રસ્ત અંકલેશ્વર-ઝઘડીયા-રાજપીપલા સ્ટેચ્યુ ઓફ યુનિટીને જોડતા માર્ગનું યુદ્ધના ધોરણે સમારકામ

ભરૂચ જિલ્લામાં વરસાદના કારણે ક્ષતિગ્રસ્ત થયેલા માર્ગોનું સમારકામ યુદ્ધના ધોરણે હાથ ધરવામાં આવ્યું છે. જે અંતર્ગત અત્યાર સુધીમાં માર્ગ અને મકાન વિભાગ (સ્ટેટ) દ્વારા

New Update
MixCollage-13-Jul-2025-08-

ભરૂચ જિલ્લામાં વરસાદના કારણે ક્ષતિગ્રસ્ત થયેલા માર્ગોનું સમારકામ યુદ્ધના ધોરણે હાથ ધરવામાં આવ્યું છે.

જે અંતર્ગત અત્યાર સુધીમાં માર્ગ અને મકાન વિભાગ (સ્ટેટ) દ્વારા ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના કુલ ખરાબ ૧૫.૪૦૦ કિમીથી વધુ લંબાઈના માર્ગોની મરામત કામગીરી પૂર્ણ કરાઈ છે. જેમાં કુલ ૧૨ જેસીબી, ૨૧ ડમ્પર અને ૧૦ રોલરની મદદથી ૧૧૭ થી વધુ શ્રમયોગીઓ દ્વારા આ સમગ્ર કામગીરી કરવામાં આવી રહી છે. 
આ મરામત કામગીરીમાં માર્ગના ક્ષતિગ્રસ્ત ભાગોનું સમારકામ, પેચવર્કની કામગીરી આયોજનબદ્ધ રીતે હાથ ધરવામાં આવી રહી છે.ભરૂચ જિલ્લામાં પણ માર્ગ અને મકાન વિભાગ દ્વારા અંકલેશ્વરથી ઝઘડીયા અને રાજપીપલા-સ્ટેચ્યુ ઓફ યુનિટીને જોડતો હાઈવે નં- ૬૪, રાજપારડી- નેત્રંગ, અસા - ઉમલ્લા -પાણેથા, રોડ ઉપર કુલ ૧૨ જેસીબી, ૨૧ ડમ્પર, ૧૦ રોલર, ગ્રેટર ૨ ટ્રેક્ટરો તેમજ અને લોડરની મદદથી થી ૧૧૭ વધુ શ્રમયોગીઓ દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે.