New Update
ગુજરાત રાજ્ય યોગ બોર્ડ ભરૂચ દ્વારા હ્રદય રોગ નિવારણના પ્રચાર માટે જનજાગૃતિ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું
ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા હ્રદય રોગ નિવારણ અભિયાન તેમજ નશા મુક્તિ અભિયાનના પ્રચાર પ્રસાર અર્થે ભરૂચના સિનિયર યોગ કોચ પ્રકાશચંદ્રના માર્ગદર્શન હેઠળ યોગ ટ્રેનર અંજલી ડોગરાની આગેવાનીમાં ઝાડેશ્વર ખાતે પદયાત્રા રેલીનું યોજવામાં કરવામાં આવ્યું.આ રેલીમાં ભરૂચ જિલ્લાના કોર્ડીનેટર ભાવિની ઠાકર, યોગ કોચ બિનીતા પ્રજાપતિ, યોગ ટ્રેનર હેમાબેન, જીગ્નાબેન, મંજુસાબેન અને મોટી સંખ્યામાં યોગ સાધકો ઉપસ્થિત રહ્યા.આ પદયાત્રામાં પેમ્ફેલેટ વેહેચી ૨૯મી સપ્ટેમ્બરે યોજાનાર જિલ્લાકક્ષાના કાર્યક્રમ માટે આમંત્રણ પાઠવવામાં આવ્યુ હતું.