ભરૂચ: અંકલેશ્વરમાં દોઢ લાખથી વધુ ભક્તોની ઉપસ્થિતિમાં હરિપ્રબોધમ્ યુવા મહોત્સવની શિસ્તબદ્ધ ભવ્ય ઉજવણી

ભરૂચ જિલ્લાના અંકલેશ્વર નેશનલ હાઇવે એરપોર્ટ સામેની વિશાળ જગ્યામાં હરિપ્રબોધમ્ યુવા મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું,આ પ્રસંગે વિશાળ યુવા સમુદાય અને આમંત્રિત મહેમાનોએ લાભ લીધો હતો.

New Update
  • હરિપ્રબોધમ મહોત્સવની કરાઈ ઉજવણી

  • દેશ વિદેશમાંથી હરિ ભક્તો રહ્યા ઉપસ્થિત

  • દોઢ લાખથી વધુ ભક્તોએ લીધો ઉત્સવનો લ્હાવો

  • પ્રબોધસ્વામીજીના આર્શીવચનથી તરબોળ બન્યા ભક્તો

  • મહોત્સવ નિમિતે 5000 યુનિટ બ્લડ પણ એકત્ર કરાયું  

ભરૂચ જિલ્લાના અંકલેશ્વર નેશનલ હાઇવે એરપોર્ટ સામેની વિશાળ જગ્યામાં હરિપ્રબોધમ્ યુવા મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું,આ પ્રસંગે વિશાળ યુવા સમુદાય અને આમંત્રિત મહેમાનોએ લાભ લીધો હતો.

હરિપ્રસાદસ્વામીજીના 91માં પ્રાગટ્ય દિન તથા પ્રબોધસ્વામીજીના 72માં પ્રાગટ્ય દિન નિમિત્તે ભરૂચના અંકલેશ્વર નજીક નેશનલ હાઈવે પર એરપોર્ટ પાસે આવેલ ગ્રાઉન્ડમાં 5મી જાન્યુઆરીરવિવારે 350 વીઘા જગ્યામાં મહોત્સવ યોજાયો હતો.જેમાં અમેરિકાયુકેકેનેડાજર્મનીન્યુઝીલેન્ડઓસ્ટ્રેલિયા સહિત 12 જેટલા દેશો તથા ગુજરાતમહારાષ્ટ્રપંજાબઉત્તર પ્રદેશકર્ણાટક માંથી અંદાજે દોઢ લાખથી વધુ હરિભક્તોનો માનવ મહેરામણ ખૂબ જ શિસ્ત અને ભક્તિથી આ મહોત્સવમાં ઉમટયો હતો.

સંતવર્ય શ્રી સર્વમંગલસ્વામીએ પ્રબોધસ્વામીજીની સાધુતાના પ્રસંગોનું દર્શન કરાવતા જણાવ્યું હતું કેપ્રબોધસ્વામીની આધ્યાત્મિક ગરીબાઈની આ અસર છે કે દોઢ લાખ યુવકો શિસ્તથી બેસી રહ્યા છે. પ્રબોધસ્વામીજીના જીવન પ્રસંગોનો ગ્રંથસમર્થની સાધુતાનું અનાવરણ કરવામાં આવ્યું હતું.

મહોત્સવમાં ઉપસ્થિત સંતગણમાં ગુમાનદેવ હનુમાનજી મંદિરના પૂ. મનમોહનદાસજી ઉપસ્થિત રહ્યા હતા. વિધ વિધક્ષેત્રના અગ્રણીઓએ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહી મહોત્સવના આયોજનને બિરદાવ્યું હતું. જેમાં ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલધારાસભ્ય રમેશ મિસ્ત્રીદુષ્યંત પટેલ,ભાજપ જિલ્લા પ્રમુખ મારૂતિસિંહ અટોદરિયાનીરલ પટેલરાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના બળદેવવિજય અગ્રવાલ વગેરે મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. બહેનોના વિભાગમાં જાણીતા શિક્ષણવિદ અને જામનગરના રાણીબા એકતાબેન સોઢા તથા અન્ય મહિલા આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.હરિપ્રબોધમ ફાઉન્ડેશનના પ્રમુખ વિઠ્ઠલદાસ પટેલ સાથે સત્સંગના અલગ અલગ પ્રદેશોમાંના પ્રમુખોમાં  અમેરિકાના લલિત પટેલકેનેડાના જનક પટેલયુકેના જતીન શાહજર્મનીના મેન્ફ્રેન્ડ ગુથેઇન્સ વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

જયારે કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ વિડીયો સંદેશ દ્વારા મહોત્સવને બિરદાવ્યો હતો.

મહોત્સવના ઉપક્રમે સત્સંગના ૧૨ જેટલા પ્રાદેશિક કેન્દ્રો પર અલગ અલગ તારીખોએ થેલેસેમિયા પીડિત બાળકોની સેવાર્થે બ્લડ ડોનેશન કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.જે અંતર્ગત કુલ 5000 જેટલા યુનિટ બ્લડ એકત્ર કરવામાં આવ્યું હતું.

Read the Next Article

ભરૂચ: જિલ્લા પંચાયતની ગ્રાન્ટમાંથી વાલિયાના 9 ગામોને પાણીના ટેન્કર અર્પણ કરાયા

15માં નાણાપંચની ગ્રાન્ટમાંથી મંજુર થયેલ પાણીના 9 ટેન્કર ધારાસભ્ય રિતેશ વસાવા અને જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદીના હસ્તે અર્પણ કરવામાં આવ્યા

New Update
  • ભરૂચના વાલિયા ખાતે યોજાયો કાર્યક્રમ

  • 9 ગામોને પાણીના ટેન્કર અર્પણ કરાયા

  • જિલ્લાપંચાયતની ગ્રાન્ટમાંથી ટેન્કર આપવામાં આવ્યા

  • ધારાસભ્ય રિતેશ  રહ્યા ઉપસ્થિત

  • ભાજપ પ્રમુખ પ્રકાશ મોદીએ પણ આપી હાજરી

ભરૂચની વાલિયા ગ્રામ પંચાયત કચેરી ખાતે 15માં નાણાપંચની ગ્રાન્ટમાંથી મંજુર થયેલ પાણીના 9 ટેન્કર ધારાસભ્ય રિતેશ વસાવા અને જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદીના હસ્તે અર્પણ કરવામાં આવ્યા હતા.
ભરૂચ જિલ્લા પંચાયતની 15માં નાણાપંચ 10 ટકાની ગ્રાન્ટમાંથી વાલિયા-ડહેલીના સભ્ય અલ્પેશ વસાવા અને શાહીસ્તાબેન કડીવાલાના સમન્વયથી વાલિયા,વટારીયા,કોંઢ,ઘોડા,પણસોલી,હોલા કોતર,મોખડી,દેસાડ,ડહેલી સહિત 9 ગામોને 3500 લીટરની ક્ષમતા ધરાવતા પીવાના પાણીના 9 ટેન્કર મંજુર થયા હતા.જે  ધારાસભ્ય રિતેશ વસાવા અને જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદીના હસ્તે સરપંચોને અર્પણ કરવામાં આવ્યા હતાં.
આ કાર્યક્રમમાં જિલ્લા સંગઠન મંત્રી જીજ્ઞેશ મિસ્ત્રી,તાલુકા પંચાયત પ્રમુખ સીતાબેન વસાવા,ધરમસિંહ વસાવા તેમજ તાલુકા ભાજપ પ્રમુખ પૃથ્વીરાજસિંહ ગોહિલ,મહામંત્રી પ્રદીપસિંહ ભરથાણીયા,રતિલાલ વસાવા સહિત આમંત્રિતો ઉપસ્થિત રહ્યા હતા.