અંકલેશ્વરના સામોર ગામમાં નજીવી બાબતે બે જૂથ વચ્ચે મામલો ગરમાયો,મામલતદાર અને પોલીસે મામલો થાળે પાડ્યો

ભરૂચ | ગુજરાત | Featured | સમાચાર,અંકલેશ્વર તાલુકાના સામોર ગામ ગામમાં પ્રવેશવાના મુખ્ય માર્ગને લઇ વિવાદ ઉભો થયો હતો.અને બે જૂથ સામસામે આવી જતા મામલો બિચક્યો હતો

New Update
સામોરમાં મુખ્ય પ્રવેશદ્વારને લઈને માથાકૂટ 
બે જૂથ વચ્ચે મામલો ગરમાયો  
ગામના રહીશ દ્વારા કાંટાની વાડ કરીને રસ્તો કરાયો બંધ
રસ્તો બંધ કરતા બે જૂથ વચ્ચે મામલો બિચક્યો 
મામલતદાર અને પોલીસે મામલો થાળે પાડ્યો  

અંકલેશ્વર તાલુકાના સામોર ગામ ગામમાં પ્રવેશવાના મુખ્ય માર્ગને લઇ વિવાદ ઉભો થયો હતો.અને બે જૂથ સામસામે આવી જતા મામલો બિચક્યો હતો,જોકે પોલીસ અને મામલતદાર દ્વારા મધ્યસ્થી બનીને હાલ પૂરતો મામલો થાળે પાડ્યો હતો.

અંકલેશ્વર તાલુકાના સામોર ગામમાં પ્રવેશવા માટે મુખ્ય ત્રણ માર્ગ આવેલા છે,જેમાં મુખ્ય પ્રવેશદ્વાર એવા રસ્તાને ગામના જ રહેવાસી જીગ્નેશકુમાર પ્રાણશંકર  ભટ્ટ ના ઓ દ્વારા રસ્તો કાંટાની વાડ  કરી બંધ કરી દેવામાં આવ્યો હતો.જે અંગે મુખ્ય માર્ગ ચાલુ કરવા માટે સરકારી કચેરીઓમાં માજી સરપંચ રાજેશ મોદી દ્વારા અરજી આપવામાં આવી હતી. જે સંદર્ભે ગામના જ બંને પક્ષો સામસામે આવી ગયા હતા.અને અંકલેશ્વર મામલતદાર કરણસિંહ રાજપૂત અને શહેર B ડિવિઝન પોલીસ દ્વારા પણ આ અંગે સ્થળ તપાસ કરવામાં આવી હતી,અને ગામમાં પ્રવેશદ્વારનો મુદ્દો બે જૂથ વચ્ચે કોઈ મોટું સ્વરૂપ ધારણ કરે તે અગાઉ મામલો થાળે પાડવામાં આવ્યો હતો.
Read the Next Article

ભરૂચ: રથયાત્રાના પર્વને અનુલક્ષી પોલીસ દ્વારા ફ્લેગમાર્ચનું આયોજન કરાયુ

ભરૂચમાં અષાઢી બીજ ના રોજ નીકળનાર ભગવાન જગન્નાથની રથયાત્રાને લઈને પોલીસ વિભાગ એક્શનમાં આવ્યુ છે.જેના ભાગરૂપે ફ્લેગમાર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું

New Update

ભરૂચમાં નિકળશે ભગવાન જગન્નાથની રથયાત્રા

અષાઢી બીજના રોજ રથયાત્રાનું આયોજન

પોલીસ દ્વારા ચાપતો બંદોબસ્ત ગોઠવાશે

એ અને બી ડિવિઝન પોલીસ દ્વારા ફ્લેગમાર્ચ યોજાય

ઉચ્ચ પોલીસ અધિકારીઓ પણ જોડાયા

ભરૂચમાં અષાઢી બીજ ના રોજ નીકળનાર ભગવાન જગન્નાથની રથયાત્રાને લઈને પોલીસ વિભાગ એક્શનમાં આવ્યુ છે.જેના ભાગરૂપે ફ્લેગમાર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું
ભરૂચમાં અષાઢી બીજ નિમિત્તે રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. ભગવાન જગન્નાથ ભાઈ બલરામ અને બહેન સુભદ્રા સાથે નગરચર્યાએ નીકળશે ત્યારે રથયાત્રાના ઉત્સવ પ્રસંગે કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ તંત્રએ કમરકસી છે. જેના ભાગરૂપે ભરૂચ શહેર એ અને બી ડિવિઝન પોલીસ દ્વારા ફ્લેગમાર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ફ્લેગમાર્ચ શહેરના ફુરજા વિસ્તારમાં આવેલ જગન્નાથ મંદિરેથી નીકળી રવિવારી બજાર, સોની ફળિયુ, લાલ બજાર, લલ્લુભાઈ ચકલાથી હાથીખાના બજાર થઈ એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે પહોંચી હતી જેમાં મોટી સંખ્યામાં પોલીસકર્મીઓ જોડાયા હતા. ઉચ્ચ પોલીસ અધિકારીઓએ પણ હાજરી આપી શહેરીજનોને સુરક્ષા અને શાંતિનો અનુભવ કરાવ્યો હતો.