અંકલેશ્વરના સામોર ગામમાં નજીવી બાબતે બે જૂથ વચ્ચે મામલો ગરમાયો,મામલતદાર અને પોલીસે મામલો થાળે પાડ્યો

ભરૂચ | ગુજરાત | Featured | સમાચાર,અંકલેશ્વર તાલુકાના સામોર ગામ ગામમાં પ્રવેશવાના મુખ્ય માર્ગને લઇ વિવાદ ઉભો થયો હતો.અને બે જૂથ સામસામે આવી જતા મામલો બિચક્યો હતો

New Update
સામોરમાં મુખ્ય પ્રવેશદ્વારને લઈને માથાકૂટ 
બે જૂથ વચ્ચે મામલો ગરમાયો  
ગામના રહીશ દ્વારા કાંટાની વાડ કરીને રસ્તો કરાયો બંધ
રસ્તો બંધ કરતા બે જૂથ વચ્ચે મામલો બિચક્યો 
મામલતદાર અને પોલીસે મામલો થાળે પાડ્યો  

અંકલેશ્વર તાલુકાના સામોર ગામ ગામમાં પ્રવેશવાના મુખ્ય માર્ગને લઇ વિવાદ ઉભો થયો હતો.અને બે જૂથ સામસામે આવી જતા મામલો બિચક્યો હતો,જોકે પોલીસ અને મામલતદાર દ્વારા મધ્યસ્થી બનીને હાલ પૂરતો મામલો થાળે પાડ્યો હતો.

અંકલેશ્વર તાલુકાના સામોર ગામમાં પ્રવેશવા માટે મુખ્ય ત્રણ માર્ગ આવેલા છે,જેમાં મુખ્ય પ્રવેશદ્વાર એવા રસ્તાને ગામના જ રહેવાસી જીગ્નેશકુમાર પ્રાણશંકર  ભટ્ટ ના ઓ દ્વારા રસ્તો કાંટાની વાડ  કરી બંધ કરી દેવામાં આવ્યો હતો.જે અંગે મુખ્ય માર્ગ ચાલુ કરવા માટે સરકારી કચેરીઓમાં માજી સરપંચ રાજેશ મોદી દ્વારા અરજી આપવામાં આવી હતી. જે સંદર્ભે ગામના જ બંને પક્ષો સામસામે આવી ગયા હતા.અને અંકલેશ્વર મામલતદાર કરણસિંહ રાજપૂત અને શહેર B ડિવિઝન પોલીસ દ્વારા પણ આ અંગે સ્થળ તપાસ કરવામાં આવી હતી,અને ગામમાં પ્રવેશદ્વારનો મુદ્દો બે જૂથ વચ્ચે કોઈ મોટું સ્વરૂપ ધારણ કરે તે અગાઉ મામલો થાળે પાડવામાં આવ્યો હતો.
Read the Next Article

અંકલેશ્વર: NH 48 પર ટ્રાફિકજામની રોજિંદી સમસ્યા, બિસ્માર માર્ગોના પગલે સમસ્યા

અંકલેશ્વર નેશનલ હાઇવે પર  આમલાખાડી પરના બિસ્માર બ્રિજ અને હાઇવેનો માર્ગ ખખડધજ બનતા સતત ટ્રાફિકજામની પરિસ્થિતિનું નિર્માણ થઈ રહ્યું છે. અંકલેશ્વર નેશનલ હાઇવે

New Update
MixCollage-09-Jul-2025-08-21-PM-8778

અંકલેશ્વર નેશનલ હાઇવે પર  આમલાખાડી પરના બિસ્માર બ્રિજ અને હાઇવેનો માર્ગ ખખડધજ બનતા સતત ટ્રાફિકજામની પરિસ્થિતિનું નિર્માણ થઈ રહ્યું છે.

અંકલેશ્વર નેશનલ હાઇવે ઉપર આવેલ આમલાખાડી પરનો બ્રિજ છેલ્લા ઘણા સમયથી બિસ્માર બન્યો છે.બીજી તરફ ચોમાસુ જામતા જ હાઇવે પર ખાડાઓની ભરમાર છે.તેવામાં રોજેરોજ ટ્રાફિકજામની પરિસ્થિતિનું નિર્માણ થતા વાહન ચાલકો હેરાન પરેશાન બન્યા છે.વાહનોનું ભારણ અને બ્રિજ જર્જરિત,રસ્તા પર ખાડાઓ પડતા વાહન ચાલકો પોતાનો કિંમતી સમય સાથે ઇંધણ બગાડી રહ્યા છે.દિવસે દિવસે માથાના દુખાવા સમાન બનેલ આ ટ્રાફિકની સમસ્યા હલ કરવામાં આવે તે જરૂરી છે.તંત્ર યોગ્ય નિરાકરણ લાવે એવી વાહનચાલકો માંગ કરી રહ્યા છે