ભરૂચ: વાલિયા પંથકમાં ચા-નાસ્તાની ચોરીના બનાવ યથાવત, 2 દિવસમાં ચોરીનો ત્રીજો બનાવ સામે આવ્યો

કોંઢ ગામના જોગણ માતાજીના મંદિર પાસે તસ્કરોએ દુકાનના નકુચા તોડી અંદર મુકેલ સામાન અને ગેસનો સિલિન્ડર મળી અંદાજીત 7 હજારથી વધુનો મુદ્દામાલની ચોરી કરી ફરાર થઇ ગયા

New Update
chori
ભરૂચ વાલિયા-અંકલેશ્વર માર્ગ ઉપર કોંઢ ગામના જોગણ માતાજીના મંદિર પાસે ચાના ગલ્લાને તસ્કરોએ નિશાન બનાવી સામાન અને સિલિન્ડર મળી અંદાજીત 7 હજારથી વધુના મુદ્દામાલની ચોરી કરીને ફરાર થઇ ગયા હતા.
ભરૂચ વાલિયા તાલુકાના કોંઢ ગામમાં રહેતા મનીષાબેન વસાવા વાલિયા-અંકલેશ્વર માર્ગ ઉપર કોંઢ ગામના જોગણ માતાજીના મંદિર પાસે ચાના ગલ્લો ચલાવી પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે.જેઓના ગલ્લાને ગત તારીખ-22મી જુલાઈના રોજ તસ્કરોએ નિશાન બનાવ્યો હતો.
તસ્કરોએ દુકાનના નકુચા તોડી અંદર મુકેલ સામાન અને ગેસનો સિલિન્ડર મળી અંદાજીત 7 હજારથી વધુનો મુદ્દામાલની ચોરી કરી ફરાર થઇ ગયા હતાં.ચોરી અંગે દુકાનદાર મહિલાએ વાલિયા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.અને પોલીસ પેટ્રોલિંગ વધુ સઘન બનાવે તેવી માંગ કરી છે.
Latest Stories