ભરૂચ: ઈનરવ્હીલ ક્લબ દ્વારા સાયબર ક્રાઇમ અંગે જનજાગૃતિ કાર્યક્રમ યોજાયો

ઈનરવ્હીલ ક્લબ ઓફ ભરૂચ દ્વારા વીસીટી એજ્યુકેશન સ્કૂલ ખાતે  સાયબર ક્રાઇમ અંગે જનજાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું

New Update

ઈનરવ્હીલ ક્લબ ઓફ ભરૂચ દ્વારા વીસીટી એજ્યુકેશન સ્કૂલ ખાતે  સાયબર ક્રાઇમ અંગે જનજાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું

ઈનરવ્હીલ ક્લબ ઓફ ભરૂચ દ્વારા  VCT એજ્યુકેશન સ્કૂલ ખાતે ધોરણ 8, 9 અને 10ના વિદ્યાર્થીઓ માટે સાયબર ક્રાઇમ જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમના વક્તા અને ભરૂચ પોલીસબ સાયબર સેલના મલકેશ ગોહિલ દ્વારા સાયબર ક્રાઇમ સંબંધિત વિવિધ માહિતી આપવામાં આવી. તેમની ટીમ પણ આ પ્રસંગે ઉપસ્થિત રહી હતી.મલકેશ ગોહિલે  વિદ્યાર્થીઓને  ડિજિટલ દુનિયામાં પોતાને કેવી રીતે સુરક્ષિત રાખવું તે અંગેનું માર્ગદર્શન આપ્યુ હતું. સદર કાર્યક્રમમાં VCT એજ્યુકેશન સ્કૂલના મેનેજમેન્ટ CEO નુશરત જહાન, ઇનરવહીલ ક્લબના સભ્યો અને શાળા પરિવાર ઉપસ્થિત રહ્યો હતો.
Read the Next Article

ભરૂચ : નિકોરાના આનંદીમાં આશ્રમ ખાતે સંસ્કારોનું સિંચન અને સંસ્કૃતિનું જતન શિબિર યોજાઈ,800થી વધુ બહેનોએ લીધો લાભ

નિકોરા ધ્યાની ધામ આનંદીમાં આશ્રમ ખાતે 13 વર્ષથી વધુ વયની રાજપુત દીકરીઓ માટે એક દિવસીય શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 800થી વધુ રાજપૂત દિકરીઓએ લીધો શિબિરમાં ભાગ

New Update
  • સંસ્કારોનું સિંચન અને સંસ્કૃતિનું જતન વિષય પર યોજાઈ શિબિર

  • નિકોરા આનંદીમાં ધ્યાની ધામ આશ્રમ ખાતે યોજાઈ શિબિર

  • રાજપૂત સમાજની દીકરીઓ માટે કરાયું આયોજન

  • 800થી વધુ રાજપૂત દિકરીઓએ લીધો શિબિરમાં ભાગ

  • રાજપૂત યુવા સંઘ પ્રેરિત મહિલા સંઘના હોદેદારોનું કરાયું સન્માન

ભરૂચના નિકોરા આનંદીમાં આશ્રમ ખાતે સંસ્કારોનું સિંચન અને સંસ્કૃતિનું જતન શિબિર યોજાઈ હતી. જેમાં800થી વધારે બહેનોએ આ શિબિરનો લાભ લીધો હતો.

ભરૂચ તાલુકાના નિકોરા ગામેમાં નર્મદા નદીના કિનારે આનંદીમાં ધ્યાની ધામ આશ્રમ ખાતે અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘ પ્રેરિત મહિલા સંઘ અને યુવા પાંખ ભરૂચ જિલ્લા દ્વારા આયોજિત સંસ્કારોનું સિંચન અને સંસ્કૃતિનું જતન શિબિરમાં800બહેનોએ શિબિરનો લાભ લીધો હતો.

નિકોરા ધ્યાની ધામ આનંદીમાં આશ્રમ ખાતે13વર્ષથી વધુ વયની રાજપુત દીકરીઓ માટે એક દિવસીય શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં આ આધુનિક યુગમાં પરિવારમાં સાંસ્કૃતિક સમસ્યાઓ થાય છેમેરેજ પછી  પોતાના જીવનમાં મૂલ્યવાન સમજણ આવે સાસરિયામાં પણ સંયુક્ત કુટુંબ સાથે રહી સમાજ અને પોતાનું નામ રોશન કરે તેવા ઉમદા હેતુથી સંસ્કારોનું સિંચન અને સંસ્કૃતિનું જતન કાર્યક્રમ યોજાયો હતો.આ કાર્યક્રમમાં800થી વધુ દીકરીઓએ ઉપસ્થિત રહી પોતાના જીવનમાં પરિવર્તન માટેની હાંકલ  કરી હતી. આ સાથે જ આ કાર્યક્રમમાં ભરૂચ જિલ્લાના નવ  નિયુક્ત હોદ્દેદારોનું પણ સન્માન કરવામાં આવ્યું હતું.