ભરૂચ : દિન પ્રતિદિન વકરી રહેલી ટ્રાફિકજામની સમસ્યાના નિરાકરણ માટે જય ભારત ઓટોરીક્ષા એસો.નું તંત્રને આવેદન

ત્વરિત નિરાકરણ લાવી શહેરને ટ્રાફિકના સમસ્યાથી મુક્તિ અપાવમાં આવે તેવી માંગ સાથે જય ભારત ઓટોરીક્ષા એસોસિએશનના સભ્યોએ કલેક્ટર કચેરી ખાતે આવેદન પત્ર આપી રજૂઆત કરી

New Update
  • શહેરભરમાં દિન પ્રતિદિન વકરી રહેલી ટ્રાફિકની સમસ્યા

  • નેશનલ હાઇવે સહિત શહેરમાં ટ્રાફિકજામનો અજગરી ભરડો

  • ટ્રાફિકજામ થતાં અનેક લોકો થઈ રહ્યા છે હેરાન પરેશાન

  • ટ્રાફિકની સમસ્યાનું નિરાકરણ લાવવા માટે માંગ કરાય

  • જય ભારત ઓટોરીક્ષા એસો. દ્વારા તંત્રને આવેદન પાઠવાયું

ભરૂચ શહેરમાં ટ્રાફિકની સમસ્યાનું નિરાકરણ લાવવા જય ભારત ઓટોરીક્ષા એસોસિએશનના સભ્યોએ કલેક્ટર કચેરી ખાતે આવેદન પત્ર આપી રજૂઆત કરી હતી. દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ વેનો ભરૂચ સુધીનો પોર્શન શરૂ કરી દેવામાં આવ્યો છેજેના કારણે વાહન ચાલકો ભરૂચ શહેરમાંથી પસાર થઈ  દહેગામ નજીકથી એક્સપ્રેસ હાઈવેનો ઉપયોગ કરે છે. એક્સપ્રેસ હાઈવે પરથી પસાર થતાં તમામ વાહનો ભરૂચ શહેરમાંથી પસાર થાય છે.

જેના કારણે ભારે ટ્રાફિકજામની પરિસ્થિતિનું નિર્માણ થઈ રહ્યું છેતો બીજી તરફશહેરભરના મુખ્ય માર્ગો પર આડેધડ પાર્ક કરવામાં આવતા વાહનોના કારણે પણ ટ્રાફિકની સમસ્યા સર્જાઇ રહી છે. જેનું ત્વરિત નિરાકરણ લાવી શહેરને ટ્રાફિકના સમસ્યાથી મુક્તિ અપાવમાં આવે તેવી માંગ સાથે જય ભારત ઓટોરીક્ષા એસોસિએશનના સભ્યોએ કલેક્ટર કચેરી ખાતે આવેદન પત્ર આપી રજૂઆત કરી હતી.

Read the Next Article

ભરૂચ: રૂંગટા વિદ્યાભવન ખાતે મોડેલ યુનાઇટેડ નેશન્સ 2025નું  ઉદ્ઘાટન, વિધ્યાર્થીઓમાં તટસ્થ વિચારધારાનું સિંચન કરવાનો ઉદેશ્ય

ભરૂચના સ્ટેશન રોડ પર આવેલ રૂંગટા વિદ્યાલય ખાતે મોડેલ યુનાઇટેડ નેશન્સ 2025નું ઉદ્ઘાટન કરવામાં આવ્યુ હતું. આ પ્રસંગે આમંત્રિતો ઉપસ્થિત રહ્યા હતા

New Update
  • ભરૂચમાં કરવામાં આવ્યું આયોજન

  • રૂંગટા વિદ્યાભવન ખાતે આયોજન

  • મોડેલ યુનાઇટેડ નેશન્સનું આયોજન

  • વિવિધ શાળાના વિદ્યાર્થીઓ રહ્યા હાજર

  • આમંત્રીતો રહ્યા ઉપસ્થિત

ભરૂચના સ્ટેશન રોડ પર આવેલ રૂંગટા વિદ્યાલય ખાતે મોડેલ યુનાઇટેડ નેશન્સ 2025નું ઉદ્ઘાટન કરવામાં આવ્યુ હતું. આ પ્રસંગે આમંત્રિતો ઉપસ્થિત રહ્યા હતા
ભરૂચમાં મોડેલ યુનાઇટેડ નેશન- 2025નું ઉદ્ઘાટન શહેરના સ્ટેશન રોડ પર આવેલ રુંગટા વિદ્યાભવન ખાતે કરવામાં આવ્યું હતું જેમાં કૂટનીતિ, ચર્ચા અને વૈશ્વિક જાગૃતિના માર્ગે યુવાનોની પ્રેરણાદાયી યાત્રાની શરૂઆત કરવામાં આવી હતી.ઉદઘાટન સમારંભના મુખ્ય અતિથિ તરીકે  શ્રીજન પાલસિંહ  CEO – કલામ સેન્ટર અને પૂર્વ સલાહકાર – ડૉ. એ.પી.જે. અબ્દુલ કલામ ઉપસ્થિત રહ્યા હતા અને યુવા નેતૃત્વ, સામાજિક નવીનતા અને રાષ્ટ્ર નિર્માણમાં તેમના યોગદાનને ઉજાગર કર્યું હતું.
મહાનુભાવો દ્વારા Future Zone Booklet નું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું જે ભવિષ્ય માટે સર્જનાત્મકતા અને શોધની નવી દિશા સૂચવતું રહ્યો.કોન્ફરન્સને ઔપચારિક રીતે ખુલ્લું જાહેર કરવાની જાહેરાત સમારંભ અધ્યક્ષ તથા સંસ્કાર ભારતી ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી મધુસૂદન રંગટાએ કરી. BMUN 2025નું મુખ્ય ઉદ્દેશ યુવાનોમાં માત્ર કૂટનીતિ અને નેતૃત્વ કૌશલ્ય વિકસાવવાનું ન હતું પરંતુ જવાબદારી, સહયોગ અને તટસ્થ વિચારધારાનું સિંચન કરવાનો હતો.