ઝઘડિયા : અવિધાના આરોગ્ય વર્ધક મંડળ દ્વારા સંચાલિત હોસ્પિટલમાં ડિજિટલ એક્સ-રે મશીનની સુવિધાનો પ્રારંભ

ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના અવિધા ગામ ખાતે આજથી 60 વર્ષ પહેલા આરોગ્ય વર્ધક મંડળ દ્વારા સ્વ.મોતીભાઈ શંકરભાઈ પટેલ હોસ્પિટલનો પ્રારંભ કરવામાં આવ્યો હતો,

New Update
  • ફિઝિયોથેરાપી અને રિહેબ હોસ્પિટલની સુવિધામાં વધારો

  • આરોગ્ય વર્ધક મંડળ અવિધા દ્વારા કાર્યરત છે હોસ્પિટલ

  • 60 વર્ષ પહેલા હોસ્પિટલનો થયો હતો પ્રારંભ

  • અદ્યતન એક્સ-રે મશીનની સુવિધાનો થયો પ્રારંભ

  • અંકલેશ્વર AIA પ્રમુખના હસ્તે એક્સ-રેનો કરાયો પ્રારંભ  

ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના અવિધા ખાતે સ્વ.મોતીભાઈ શંકરભાઈ પટેલ ફિઝિયોથેરાપી અને રિહેબ હોસ્પિટલ ખાતે અંકલેશ્વર ઉદ્યોગ મંડળના પ્રમુખ હિંમત શેલડિયાના હસ્તે ડિજિટલ એક્સ-રે મશીનનો પ્રારંભ કરવામાં આવ્યો હતો.

ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના અવિધા ગામ ખાતે આજથી 60 વર્ષ પહેલા આરોગ્ય વર્ધક મંડળ દ્વારા સ્વ.મોતીભાઈ શંકરભાઈ પટેલ હોસ્પિટલનો પ્રારંભ કરવામાં આવ્યો હતોહાલના સમયમાં અકસ્માતોથી લઈ અન્ય બીમારીમાં પણ વધારો થતાં આરોગ્ય વર્ધક મંડળ દ્વારા તેમની હોસ્પિટલમાં વિવિધ અદ્યતન સુવિધાઓ સમયાંતરે ઉભી કરવામાં આવી રહી છેઆજરોજ આ હોસ્પિટલમાં અંકલેશ્વર ઉદ્યોગ મંડળના પ્રમુખ હિંમત શેલડીયાના હસ્તે ડિજિટલ એક્સ-રે મશીનની સુવિધાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો.આ સાથે  સંસ્થાના સ્થાપક અને સેવાભાવી મહાનુભાવોનું સન્માન પણ કરવામાં આવ્યું હતું.

સંસ્થાના 98 વર્ષીય કાંતિ લલ્લુભાઈ પટેલ પણ વડોદરાથી અવિધા આવી ખાસ ઉપસ્થિત રહ્યા હતા,સંસ્થાના પ્રમુખ કિરીટ બી પટેલ દ્વારા સંસ્થાના 60 વર્ષના ઉતાર ચઢાવથી ઉપસ્થિત સૌને વાકેફ કર્યા હતા,અને તેમના દ્વારા લક્ષમાં લેવાયેલ મહિલાઓયુવાનો માટેની‌‌ વિવિધ યોજનાઓ આવનારા સમયમાં અવિધા ગામ ખાતે ઉભી કરવામાં સૌના સહકારની અપેક્ષા વ્યક્ત કરી હતી.

Read the Next Article

અંકલેશ્વરથી વાલિયા-નેત્રંગને જોડતા માર્ગની કામગીરીમાં ભ્રષ્ટાચારના આક્ષેપ, કોંગ્રેસે આંદોલનની ચીમકી ઉચ્ચારી

ભરૂચના નેત્રંગના કોંગ્રેસી આગેવાન શેરખાન પઠાણ દ્વારા અંકલેશ્વર-વાલિયા માર્ગની કામગીરીમાં ભ્રષ્ટાચાર થયો હોવાના આક્ષેપ સાથે જવાબદાર એજન્સી સહિતના અધિકારીઓ સામે પગલાં ભરવા માંગ કરવામાં આવી છે.

New Update
  • અંકલેશ્વરથી નેત્રંગને જોડતા માર્ગની કામગીરી

  • રૂ.55 કરોડના ખર્ચે માર્ગનું થઈ રહ્યું છે નિર્માણ

  • માર્ગની કામગીરીમાં ભ્રષ્ટાચારના આક્ષેપ

  • કોંગ્રેસ દ્વારા આંદોલનની ચીમકી ઉચ્ચરાય

  • કોર્ટ કેસની પણ ચીમકી

ભરૂચના નેત્રંગના કોંગ્રેસી આગેવાન શેરખાન પઠાણ દ્વારા અંકલેશ્વર-વાલિયા માર્ગની કામગીરીમાં ભ્રષ્ટાચાર થયો હોવાના આક્ષેપ સાથે જવાબદાર એજન્સી સહિતના અધિકારીઓ સામે પગલાં ભરવા માંગ કરવામાં આવી છે.
ભરૂચના વાલિયા તાલુકાના સહકારી આગેવાન અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મહામંત્રી સંદીપસિંહ માંગરોલા બાદ નેત્રંગના કોંગ્રેસી આગેવાન શેરખાન પઠાણ દ્વારા અંકલેશ્વર-વાલિયા માર્ગની કામગીરી અધિકારીઓ અને કોન્ટ્રાકટરની મિલી ભગતથી હલકી ગુણવત્તાની કરવામાં આવતી હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે.અંકલેશ્વર-વાલિયા અને નેત્રંગને જોડતો રાજ્ય ધોરીમાર્ગ નંબર-13 પ્રથમ વરસાદે જ બિસ્માર બન્યો છે.ઠેરઠેર ખાડાઓ અને માર્ગ તૂટી ગયો હોવાથી તેમાં યોગ્ય સામગ્રી વાપરવા નહીં આવી હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે.
ભરૂચ જિલ્લામાં મનરેગા કૌભાંડ સામે આવ્યું છે.તે રીતે 55 કરોડના ખર્ચે બની રહેલ નેત્રંગ-અંકલેશ્વર માર્ગમાં ભ્રષ્ટાચાર થયો હોવા સાથે અધિકારી,કોન્ટ્રાકટર સહિત લાગતા વળતા વિભાગના મંત્રીનો હાથ હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે.જો આ કામગીરી સારી ગુણવત્તાની નહીં કરવામાં આવે તો તાળાબંધીની ચીમકી ઉચ્ચારવામા આવી છે.અને  માર્ગનું નિર્માણ કરનાર શિવાલય ઈંફાસ્ટ્રક્ચર એજન્સી તેમજ અધિકારી સામે કોર્ટ કેસ કરવાની પણ ચીમકી ઉચ્ચારવામા આવી છે.